સુરતમાં અંગદાતા સ્વ. મનુ ડોબરીયાને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ભાવભીની શ્રદ્ધાંજલિ

પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ ડોબરીયા પરિવારના માનવતાભર્યા નિર્ણયને બિરદાવ્યો; અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ માટે સમાજને આગળ આવવા અપીલ સુરતગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતની પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ અંગદાતા સ્વર્ગસ્થ મનુ લાલજી ડોબરીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે ડોબરીયા પરિવાર દ્વારા દુઃખની ઘડીમાં લેવામાં આવેલા અંગદાનના માનવતાભર્યા અને પ્રેરણાદાયી…

સુરત નવી સિવિલમાં 96મું સફળ અંગદાન: ઓડિશાના યુવકના હૃદય, લીવર અને બે કિડનીથી ચાર દર્દીઓને નવજીવન

દેશમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે હૃદયનાં ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવહન; સુરતથી અમદાવાદ માત્ર અઢી કલાકમાં પહોંચ્યું હૃદય સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થકી માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના 36 વર્ષીય મિથુન લક્ષ્મણભાઈ સ્વૈનને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવાની સંમતિ આપી…