નિરાધાર વૃદ્ધો માટે મોજનું સરનામું રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમ
5000થી વધુ નિરાધારોને આશ્રયનું લક્ષ્ય ધરાવતા આશ્રમમાં 700થી વધુની સેવાશ્રુષા થાય છે અમદાવાદ રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી ચાલતાં વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર સદભાવના વૃધ્ધાશ્રમમાં 700થી વધુ નિરાધાર વૃદ્ધો આશ્રય લઈ રહ્યા છે અને એ પણ નિઃશુલ્ક. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદર સાથે દાખલ કરી તમામ…
