કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિતાનું મોત થયું

નિષ્ણાતોની ટીમે તેજસને વાડાથી બહાર કાઢ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તેજસનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું ભોપાલમધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર ચિતા તેજસનું મંગળવારે મૃત્યુ થયું હતું. કુનો નેશનલ પાર્કમાં, મોનિટરિંગ ટીમને મંગળવારે સવારે નર ચિત્તો તેજસ ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. તેના…

દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, લોકોને પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા સુચના

દિલ્હીમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા, દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્વિમિંગ પુલ બની ગયા નવી દિલ્હીદિલ્હીમાં યમુના વધીને 207.55 મીટર થઈ જતા 45 વર્ષના રેકોર્ડને તોડ્યો હતો. યમુનાના વધતા જળ સ્તરને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમા તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ…

હૈદ્રાબાદમાં એમબીબીએસના છાત્રની હાથની નસ કાપીને આત્મહત્યા

21 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો, આ માટે તે સારવાર પણ લઈ રહ્યો હતો હૈદ્રાબાદતેલંગાણાના હૈદરાબાદમાં હાલના દિવસોમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ ક્રમમાં હવે એમબીબીએસના વિદ્યાર્થીએ બ્લેડ વડે હાથની નસ કાપીને આપઘાત કરી લીધો છે. આપઘાતનો આ મામલો જગતગીરીગુટ્ટા વિસ્તારનો છે. મળેલ માહિતી અનુસાર આ 21 વર્ષીય…

સીમા હૈદરે ભારતીય રૂપ ધારણ કર્યું, રાધે રાધેનો પટ્ટો, માંગમાં સિંદૂર પુર્યું

નેપાળ થઈને ભારતમાં પ્રવેશેલી સીમાએ સચિન સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે કાયમ ભારતમાં જ રહેવા માગે છે નવી દિલ્હીપ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની કહાની સૌને ચોંકાવી દે છે. સીમાની મુલાકાત ઓનલાઈન ગેમિંગ દ્વારા ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતા સચિન મીના સાથે થઈ હતી. પરંતુ હવે આ સ્ટોરી ઘણી આગળ વધી ગઈ…

કુદરતી આફતો સામ રામમંદિર 1000 વર્ષ અડગ રહેશે

મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, રામ મંદિરનો પાયો ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે અયોધ્યાશ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ મંદિર માત્ર ભવ્યતા જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ટોચ પર રહેશે. રામ મંદિરના નિર્માણ માટે કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોએ દાવો કર્યો છે કે રામ મંદિર 8.0 રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપ સામે પણ…

દેહરાદૂનમાં ડ્રાઈવરની બેદરકારીથી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ

વીડિયોમાં વરસાદી નદીના ઝડપી વહેતા પાણીમાં ફસાયેલી બસમાંથી મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે દેહરાદૂનદેશના અલગ-અલગ રાજ્યોમાં વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. વરસાદની ઋતુમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં અચાનક પાણીનો પ્રવાહ વાહનચાલકોને ભારે પડી…

બિહારના કટિહાર જિલ્લામાં ગંગા ઘાટ પર પાણી લેવા જતાં ચાર બાળકો ડૂબી ગયા

2 બાળકોનો જીવ બચાવી લેવાયા, તમામ બાળકો કોઢાગોલા બ્લોકના ખેરિયા ગામમાંથી ગંગા સ્નાન કરવા માટે કાઢાગોલા ઘાટ પર આવ્યા હતા કટિહારપવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ બિહારમાં મોટી દુર્ઘટના સર્જાવાના મોટા અહેવાલ સામે આવ્યા છે. બિહારના કટિહાર જિલ્લામાં કાઢાગોલા ઘાસ પાસે સ્નાન દરમિયાન 6 બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ તમામ પૂજા માટે…

મમતાના ભત્રિજા સામેની સીબીઆઈ-ઈડી તપાસ પર રોકનો સુપ્રીમનો ઈનકાર

અભિષેક બેનર્જી ઇચ્છે તો તે આ કેસને રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે કોલકાતાપશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને કોઈ રાહત મળી નથી.સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ પર સ્ટે આપવાનો અરજી ફગાવી દીધી છે. કલકત્તા હાઈકોર્ટે અભિષેક સામે તપાસનો આદેશ…

પ.બંગાળની ચૂંટણીઓની હિંસા સહન ન કરી શકાયઃ દિગ્વિજયસિંહ

હું મુખ્યમંત્રી મમતા બેનરજીનો પ્રશંસક રહ્યો છું પરંતુ વર્તમાન પરિસ્થિતિ આપણા લોકતંત્ર માટે સારી નથીઃ કોંગ્રેસના નેતા નવી દિલ્હીપશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા બાદ રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે હવે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. સોમવારેઆ મુદ્દે બોલતા દિગ્વિજય સિંહે કહ્યું કે આવી ઘટનાઓને સહન ન…

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં 5.4ની તિવ્રતાનો ભૂકંપ

આ વખતે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હતું, સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ આવ્યા નથી જમ્મુજમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેને લીધે લોકો ફફડી ઊઠ્યા હતા. આ વખતે વહેલી સવારે 5.38 વાગ્યાના સુમારે ધરા ધ્રૂજી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સદભાગ્યે કોઈ…

નાના ઉપગ્રહોના લોન્ચિંગ વ્હીકલ એસએસએલવીને ખાનગી ક્ષેત્રને સોંપવા તૈયારી

વ્હીકલ 500 કિગ્રા વજનના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મૂકવા માટેની સેવાઓ પ્રદાન કરે છે નવી દિલ્હીટૂંક સમયમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલને ખાનગી ક્ષેત્રને ટ્રાન્સફર કરશે. આ પહેલા, તે રોકેટ દ્વારા બે ડેવલપમેન્ટ ફ્લાઇટ્સ લોન્ચ કરશે, જે 500 કિગ્રા વજનના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મૂકવા માટેની સેવાઓ પ્રદાન કરે છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું…

રેપ પીડિત મહિલાએ આપેલી નિશાની પરથી યુપીથી આરોપી ઝડપાયો

આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે છે, મહિલા સાથે દુષ્કર્મ આચરતા પહેલા તેની સાથે મારપીટ પણ કરી હતી મુંબઈમુંબઈમાં ઓટોમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની નિશાનદેહી પર ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે છે. પોલીસના…

શિવસેનાના ચિહનને લઈને સુપ્રીમમાં 31 જુલાઈએ સુનાવણી

ચૂંટણી પંચે શિંદે જૂથને ધનુષ-બાનના ચૂંટણી ચિહ્ન અને પક્ષ પર અધિકારો આપ્યા હતા, જેને ઠાકરે જૂથ દ્વારા પડકારવામાં આવ્યો છે મુંબઈશિવસેનાના ચિહ્નને લઈને ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણીની માંગ પર સુપ્રીમ કોર્ટે 31 જુલાઈએ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે. ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ચૂંટણી પંચે…

દિલ્હી અંગે વટહુકમ મામલે કેન્દ્રને સુપ્રીમની નોટિસ, કેજરીને રાહત

કેન્દ્ર સરકારને 2 અઠવાડિયામાં જવાબ રજુ કરવા આદેશ, દિલ્હી સરકારને ઉપરાજ્યપાલને પક્ષકાર તરીકે સામેલ કરવા માટેની અરજીમાં સુધારો કરવાની પણ મંજુરી અપાઈ નવી દિલ્હીઆજે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કેન્દ્ર સરકારના વટહુકમ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેન્દ્ર સરકારના વટહુકમ વિરુદ્ધ દિલ્હી સરકારની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ…

મણિપુરની હિંસામાં પોલીસ કર્મીનું મોત, 10થી વધુ લોકો ઘાયલ

ગોળીબાર કંગપોકલી જિલ્લાના કાંગચુપ વિસ્તારના ગામો અને પહાડી વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવ્યો ઈમ્ફાલમણિપુરના પશ્ચિમી કંગપોકપી વિસ્તારમાં આખીરાત હિંસક અથડામણો ચાલી હતી, ત્યારબાદ આજે એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 10 અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વહેલી સવારે 3.00…

દેશના અનેક રાજ્યોમાં વરસાદી આફતથી 50થી વધુનાં મોત

દેશભરમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી પડવા જેવી ઘટનાઓથી ભારે તબાહી નવી દિલ્હીઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી…

2014 અને 19માં વૈચારિક મતભેદોથી ભાજપ સાથે ચૂંટણી વાટાઘોટો પડી ભાંગીઃ શરદ પવાર

એનસીપીના વડાએ કહ્યું કે તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને તેમની પાસે કોઈ મંત્રી પદ નથી તેમજ મને નિવૃત્ત થવાનું કહેનારા એ કોણ ? હું હજુ પણ કામ કરી શકું છું મુંબઈમહારાષ્ટ્રમાં જ્યારથી અજિત પવારે બળવો કર્યો છે ત્યારથી રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે અને રોજ રોજ નિવેદનો સામે આવી રહ્યા છે…

જૈન મુની કામકુમાર નંદી મહારાજનું અપહરણ કરી હત્યા કરાઈ

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને શંકાસ્પદની પૂછપરછ કરતા જૈન મુનિની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી, અન્ય એકની પણ ધરપકડ બેલગામ કર્ણાટકના બેલગામ જિલ્લામાં જૈન મુનિની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ બુધવારથી ગુમ હતા. ગુરુવારે જ ભક્તોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો જિલ્લાના ચિક્કોડી…

કાનપુરમાં ઘરમાં પાળતું પ્રાણીઓ પાળવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

ઘરમાં મનપસંદ ગાય પાળવા પર પણ રોક લગાવી દેવાઈ, હવે ઘરમાં માત્ર બે ગાય જ રાખી શકાશે, આ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે લખનૌ જો તમે પાલતુ પ્રાણી કે બિલાડી પાળવાનો શોખ ધરાવતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે. ઉત્તર પ્રદેશના કાનપુર કોર્પોરેશને ઘરમાં પાલતુ પ્રાણીઓ પાળવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય કર્યુ છે….

રાહુલ ગાંધી સોનીપતના ગામોમાં ખેડૂતો વચ્ચે પહોંચી ગયા

રાહુલ ગાંધીએ ખેડૂતોની વચ્ચે પહોંચીને ટ્રેક્ટર ચલાવ્યું, ડાંગર રોપી, લોકોની ભીડ ભેગી થઈ ગઈ સોનીપતરાહુલ ગાંધી આજે સવારે કંઇક અનોખા અંદાજમાં જ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી સોનીપતના બરોડા વિસ્તારના ઘણા ગામોના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બધા પોતપોતાના કામ છોડીને તેને મળવા…