લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવાને કૂદીને ગેસનો સ્પ્રે કરતા અફરાતફરી

સંસદ પર હુમલાની 22મી વર્ષીના દિવસે જ સંસદમાં અંધાધૂધી, બે શખ્સોને ઝડપી લેવાયા, ટીયર ગેસના સેલ મળી આવ્યા નવી દિલ્હીદેશની સંસદને સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે અને તેની 22મી વરસીએ જ ત્યાં મોટી સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો છે. અહીં બે યુવકો લોકસભાની અંદર સાંસદો વચ્ચે દર્શક ગેલેરીમાંથી કૂદી ગયા હતા. આ સમયે ગૃહની…

સાંસદોએ પકડાયેલા યુવાનોની જોરદાર ધોલાઈ કરી

સાગર નામના યુવકના તો વાળ પણ ખેંચી કાઢ્યા, તેના પર થપ્પડ અને જૂતાનો વરસાદ કરવામાં આવ્યો નવી દિહીબુધવારે સંસદ પર હુમલાની 22મી વરસીએ મોટી સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન બે લોકો સંસદની દર્શકોની ગેલરીમાંથી કૂદીને સંસદમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે સ્મોક બોમ્બ સળગાવી અફરા તફરી મચાવી હતી. જોકે આ બંને લોકોને…

સંસદમાં વિઝિટર-ઈ-પાસ બનાવવા પર પ્રતિબંધ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ આદેશ આપ્યો નવી દિલ્હીસંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ધસી ગયા હતા. જેના કારણે થોડા સમય માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ રીતે સંસદમાં…

લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવક અચાનક કૂદીને વેલમાં ધસી આવ્યા

વેલમાં ઘસી જઈને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું હતું જેમાંથી ગેસ નીકળી રહ્યો હતો, આ બાદ સાંસદોએ તેમને પકડી લીધા નવી દિલ્હી સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ઘસી ગયા હતા….

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્શલીઓના આઈઈડી બ્લાસ્ટમાં જવાન શહીદ

અન્ય એક જવાન ઘાયલ, નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો રાયપુર આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા  આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા. આજે છત્તીસગઢના મુખ્યમંત્રીનો શપથ…

ભૂપત ભાયાણી બાદ આપના વધુ બે ધારાસભ્યોના રાજીનામાની શક્યતા

ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડ્યો છે અને હવે તે ભાજપમાં જોડાય શકે તેવી ચર્ચા છે ત્યારે આમ આદમીને વધુ બે ઝટકા લાગી શકે છે ગાંધીનગર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આપના વધુ બે…

સંસદ પર હુમલાની 22મી વર્ષીએ મોદીની શહીદોને અંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યા નવી દિલ્હી ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. આજે આ હુમલાની 22મી વરસી…

આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામાનાં મૂડમાં

વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યતા, ભાજપમાં જોડાવાની શક્યતા ગાંધીનગર દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગી શકે છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના મૂડમાં છે. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં…

બ્રાહ્મણ મુખ્યમંત્રીની માંગણી કરનાર બ્રાહ્મણોનું મિશન હમ ભારત મિશન સફળ રહ્યું

રાજસ્થાનમાં બ્રાહ્મણ મુખ્યમંત્રીની માંગણી સાથે 7 વિભાગીય મુખ્યાલયો, 33 જિલ્લા મુખ્યાલયો અને સેંકડો તાલુકા મથકો અને રાજસ્થાનના સેંકડો ગામોમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણનું બે વર્ષ લાંબુ અભિયાન સફળ રહ્યું હતું. રાજ્યના તમામ બ્રાહ્મણોનો આભાર, તમે બધાએ મિશન હમ ભારત કે બ્રાહ્મણને તમારો ટેકો આપ્યો હતો અને સમગ્ર રાજસ્થાનમાંથી તમે બ્રાહ્મણ મુખ્યમંત્રીની વિદાય માટે લેખિત…

ભાજપે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દ્વારા ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો

કિરેન રિજિજુએ કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ અને તેમની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચાર જેવી બીમારીઓ ફેલાવી રહી છે નવી દિલ્હીભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરંતુ લોકોએ…

રાજસ્થાનમાં ભજનલાલ શર્માને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા

દીયા સિંહ અને પ્રેમ ચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી, વાસુદેવ દેવનાનીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા જયપુરછત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને તક આપી ફરી સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે જ ત્રણે રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર કરવાની સસ્પેન્સનનો અંત થયો છે. ભાજપે રાજસ્થાનમાં પણ નાયબ મુખ્યમંત્રી તરીકે બે નામની…

મોદી વિરૂદ્ધ સામનામાં લેખ બદલ સંજય રાઉત સામે એફઆઈઆર

ભાજપના યવતમાલ સંયોજક નીતિન ભૂતડાની ફરિયાદના આધારે આ લેખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો મુંબઈ શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. યુબીટી મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવતમાલ જિલ્લાના ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. યુબીટી મુખપત્ર સામનામાં…

મોહન યાદવનો જૂનો વીડિયો શેર કરાયો, ભાજપનું હિંદુત્વ ફેક

જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે વીડિયો શેર કરતા કહ્યું કે, કે એ વાતની આજે પુષ્ટી થઈ ગઈ કે ભાજપમાં ફેક સનાતનીને સન્માન મળે છે નવી દિલ્હી મધ્યપ્રદેશમાં ભાજપે મોહન યાદવને તેમના સીએમ જાહેર કરી દીધા છે. તેના આ પગલાની અસર હવે ચારેકોર દેખાવા લાગી છે. બિહારના જેડીયુએ ભાજપને ઘેરતાં મોહન યાદવનો એક જૂનો વીડિયો શેર…

આરિફ મોહમ્મદ ખાનનો પિનરાઈ વિજયન પર ઈજા પહોંચાડવાનો આક્ષેપ

રાજ્યપાલ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીને સીપીઆઈ-એમની વિદ્યાર્થી પાંખ એસએફઆઈના કાર્યકરોએ કથિત રીતે ટક્કર મારી હતી તિરુવનંતપુરમ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સોમવારે રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજ્યપાલે મુખ્ય પ્રધાન પર તેમને શારીરિક ઈજા પહોંચાડવા માટે ‘ષડયંત્ર’ રચવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યપાલ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ…

આચારસંહિતા ભંગ કેસમાં જયાપ્રદાની ધરપકડનો આદેશ

એમપી-એમએલએ કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ આચાર સંહિતા મામલે આ બિનજામીન પાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું નવી દિલ્હી પૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયા પ્રદા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યુ છે. એમપી-એમએલએ કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ આચાર સંહિતા મામલે આ વોરંટ જારી કરવામાં આવ્યુ છે. કોર્ટે જયા પ્રદાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ…

જેએનયુમાં ધરણાં માટે 20000, દેશ વિરોધી નારેબાજી બદલ 10000નો દંડ

જે વિદ્યાર્થીઓ પોતાના હિત માટે યુનિવર્સિટીમાં આંદોલન કરીને સમયાંતરે પોતાની માંગણીઓ ઉઠાવતા હતા તેઓ હવે માંગણીઓ કરી શકશે નહી નવી દિલ્હી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) માં ફરી એકવાર નવા નિયમો લાગુ કરવા આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિયમ બાદ અહીંના વિદ્યાર્થીઓ ફરી નારાજ દેખાઈ રહ્યા છે. નવા નિયમો અનુસાર, યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરવા બદલ…

લોકસભા-રાજ્યસભાનો લંચબ્રેક સમય સમાન કરાયો

રાજ્યસભામાં દોઢકલાકનો લંચબ્રેક રખાતો હતો જેમાં નમાજના સમયનો સમાવેશ થતો હતો જે ઘટાડી દેવાતા નિર્ણય સામે સવાલ ઊઠ્યા નવી દિલ્હી ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે એક મોટો નિર્ણય કરતાં રાજ્યસભામાં પણ દર શુક્રવારે લંચ બ્રેકનો સમય લોકસભાની જેમ સરખો કરી દીધો છે. એટલે કે લોકસભામાં લંચ બ્રેકનો સમય બપોરે 1:00 થી 2:00 વાગ્યા સુધી…

એમસીડી યૂઝર ચાર્જ વસૂલવા સામે કાપડ બજાર બંધ કરી દેવાની ચીમકી

એમસીડી નિયમોનું ઉલ્લંઘન કરનારા દુકાનદારો પાસેથી બેફામ રીતે એક હજાર રૂપિયાનો યૂઝર ચાર્જ વસૂલી રહી હોવાનો આરોપ નવી દિલ્હીપૂર્વ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં વેપારીઓએ રવિવારે ઉગ્ર દેખાવો કર્યા હતા. તેમણે નક્કી માપદંડોથી વિપરિત કચરો ઉપાડવા માટે એમસીડી યૂઝર ચાર્જ વસૂલવા સામે કાપડ બજાર બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. તેના પર જ્યારે મ્યુનિસિપાલિટીનો સંપર્ક સાધવામાં આવ્યો…

પંજાબના પઠાણકોટમાં સની દેઓલ મિસિંગના પોસ્ટર લાગ્યા

સની દેઓલ સાંસદ બની ગયા ત્યારથી બીજી વખત બંને જિલ્લામાં એક વાર નજર નથી આવ્યા અને તેમણે તેમણે વિકાસનું કોઈ કામ પણ નથી કરાવ્યું પઠાણકોટબોલીવુડ અભિનેતા સની દેઓલની દમદાર એક્ટિંગના કારણે તેના કરોડો ચાહકો છે. પરંતુ પંજાબમાં ફરી એક વખત તેમના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં સની દેઓલને શોધી લાવનાર માટે 50…

કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજોઃ સુપ્રીમ

રાજ્ય તરીકેનો દરજ્જો પણ જમ્મુ-કાશ્મીરને જલદી પરત કરવામાં આવે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાનો આદેશ બંધારણીય રીતે માન્ય છે. જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ભલામણ ભારતના રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી….