નાંદેડ ઘટના પર સ્વાસ્થ્યમંત્રી તાનાજી સાવંતને બરતરફ કરવા વિપક્ષની માગ

કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી, એનસીપીના શરદ પવાર અને ઉદ્ધવ શિવસેનાના સાંસદે શિંદે સરકારને ઘેરી નાંદેડ મહારાષ્ટ્રના નાંદેડમાં શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોતની ઘટના બની હતી. જેમાંથી 12 નવજાત પણ સામેલ હતા. આ ઘટનાથી સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. લોકોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો અને મામલાની તપાસની માંગ કરી રહ્યા હતી. જે…

બિહાર જાતિગત વસતી ગણતરી મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુનાવણી હાથ ધરશે, કોર્ટે કહ્યું કે અમે આ મામલે હાલ કંઈ કહી શકીએ નહીં નવી દિલ્હી બિહારમાં સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં એક અરજદારે કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુનાવણી હાથ ધરશે….

ન્યૂઝક્લિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા દિલ્હી પોલીસના દરોડા

દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલે ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કર્યા નવી દિલ્હી આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ન્યૂઝક્લિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા પાડી રહી છે. સ્પેશિયલ સેલે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા…

કર્ણાટકમાં બંધથી જનજીવન પ્રભાવિત, 44 ફ્લાઈટ્સ રદ

રાજ્યના વિવિધ ભાગોમાંથી વિવિધ સંગઠનોના 50થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી બેંગલુરૂ તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં આજે કન્નડ સંગઠન ‘કન્નડ ઓક્કુટા’ દ્વારા કર્ણાટકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના પગલે રાજ્યમાં અસર જોવા મળી રહી છે. બંધને પગલે રાજ્યભરમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે.  આજે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું…

દિલ્હીમાં 25 કરોડની ચોરીના કેસમાં છત્તીસગઢથી ત્રણની ધરપકડ

દિલ્હી શોરુમથી ચોરી કરાયેલા 18 કિલો સોના અને હીરાના દાગીના અને 12.50 લાખ રૂપિયાની કેશ એક શખ્સ પાસેથી જ્યારે બીજા પાસેથી 28 લાખની મત્તા મળી નવી દિલ્હી દિલ્હીમાં જ્વેલરી શોરૂમમાં 25 કરોડની ચોરીના મામલે છત્તીસગઢથી ત્રણ બદમાશોની ધરપકડ કરવામાં આવી છે.  તેમાંથી એક બદમાશ કુખ્યાત ચોર હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો મુજબ પોલીસે તેમની…

ભારતીય સેના 400 હોવિત્ઝર સ્વદેશી તોપ ખરીદશે

આ તોપો દ્વારા માત્ર શેલ જ નહીં પરંતુ ચોકસાઇથી ફાયરિંગ, રોકેટ, ડ્રોન પણ ફાયર કરી શકાય છે નવી દિલ્હી ભારતીય સેના હવે 155 મિલીમીટરની તોપ પર ફોકસ કરે છે. આ તોપો દ્વારા માત્ર શેલ જ નહીં પરંતુ ચોકસાઇથી ફાયરિંગ, રોકેટ, ડ્રોન પણ ફાયર કરી શકાય છે.  વાસ્તવમાં ભારતીય સેના 400 નવી તોપો ખરીદવા જઈ રહી…

આપ ઈન્ડિયા સાથે પણ પંજાબ પોલીસની કાર્યવાહી નહીં અટકેઃ કેજરીવાલ

કોંગ્રેસના નેતાની ધરપકડ બાદ ઈન્ડિયા ગઠબંધન પર સવાલના જવાબમાં દિલ્હીના સીએમએ ગઠબંધન સાથે રહેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી નવી દિલ્હી પંજાબમાં ડ્રગ્સ મામલે કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ કરવામાં આવી છે. ખૈરા ગુરુવારે ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, તે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી છે. હવે આ મામલે મોટો હંગામો જોવા મળી રહ્યો છે અને…

ભારતે દોલત બેગ ઓલ્ડી સુધી નવો રોડ બનાવવા 2000 લોકોને કામે લગાડ્યા

નુબ્રા ખીણમાં સસોમાથી કારાકોરમ પાસથી નજીક ડીબીઓ સુધી 130 કિ.મી. લાંબો રોડ અંતિમ અને સૌથી પડકારજનક તબક્કામાં નવી દિલ્હી ભારત લદ્દાખમાં ખુદને મજબૂત કરવા માગે છે. એટલા માટે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ચોકી તૈયાર કરવાના પ્રોજેક્ટનો પૂરો કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તેની મદદથી એલએસી પર આવેલા આ વિસ્તારની કનેક્ટિવિટી…

જવાહરલાલ નહીં સુભાષચંદ્ર દેશના પહેલા વડાપ્રધાન હતાઃ બાસનગૌડા

કર્ણાટકમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપના ધારાસભ્યએ આ નિવેદન આપ્યું બેંગલુરૂ ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. રેલ્વે અને ટેક્સટાઈલના પૂર્વ  રાજ્ય મંત્રી અને ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટીલ યતનાલે કહ્યું કે જવાહરલાલ નેહરુ ભારતના પહેલા વડાપ્રધાન ન હતા પરંતુ સુભાષ ચંદ્ર બોઝ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. કર્ણાટકમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે…

અફઘાનિસ્તાને ભારતમાં વાણિજ્ય દૂતાવાસમાં કામકાજ બંધ કરી દીધું

દૂતાવાસનું નેતૃત્વ રાજદૂત ફરીદ મામુન્ડઝે કરી રહ્યા હતા અને તેઓ હાલમાં લંડનમાં છે નવી દિલ્હી અફઘાનિસ્તાને ભારતમાં પોતાના વાણિજ્ય દૂતાવાસમાં કામકાજ બંધ કરી દીધું છે. આ અંગે અફઘાન દૂતાવાસ દ્વારા એક નોટિફિકેશન પણ જારી કરવામાં આવી છે. જો કે ભારત સરકાર દ્વારા તેને વેરિફાઈ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દૂતાવાસનું નેતૃત્વ…

દેશમાં 40થી 70 ટકા દર્દી પર એન્ટિબાયોટિક્સ કામ નથી કરતી

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના રિપોર્ટમાં ખુલાસો, દેશની 21 હોસ્પિટલોમાંથી ગત વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનો ડેટા મેળવાયો નવી દિલ્હી ભારતમાં એન્ટીબાયોટિક દવાઓ બેઅસર થવામાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈસીએમઆર)ના તાજેતરના રિપોર્ટ મુજબ, ભારતમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓએ એન્ટીબાયોટિક દવા લીધા બાદ તેની કોઈ અસર ન થઈ હોવાની સંખ્યામાં…

યુપીની એક શાળામાં શિક્ષિકાએ સાથી છાત્રને વિદ્યાર્થીને થપ્પડ મારવા કહ્યું

વીડિયો વાયરલ થયા બાદ હોબાળો, વિદ્યાર્થીએ પરિવારને જાણ કરતા પરિવારની ફરિયાદ બાદ પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી સંભલ ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરની શાળામાં થપ્પડની ઘટના બાદ ગઈકાલે સંભલ જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક મહિલા શક્ષિકાએ સવાલનો જવાબ ન આપવા પર સાથી વિદ્યાર્થી દ્વારા પાંચમા ધોરણના વિદ્યાર્થીને થપ્પડ મરવા કહ્યું હતું. હવે આ…

પૂર્વીય ભારતમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા

આ સાથે આગામી 24 કલાકમાં મધ્ય પૂર્વ અને પૂર્વોત્તર બંગાળની ખીણમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ શકે નવી દિલ્હી ભારતમાં ચોમાસું તેના અંતિમ ચરણમાં છે. ભારતીય હવામાન વિભાગે દેશના ઘણાં ભાગોમાં ચોમાસાની વિદાયની સંભાવના દર્શાવી છે. જો કે આ દરમિયાન દેશના કેટલાંક એવા રાજ્યો પણ છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા…

જૂના એનડીપીએસ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ

પંજાબ પોલીસે મહિલા પોલીસ સાથે મળીને ચંદીગઢમાં સુખપાલ સિંહ ખૈરાના ઘરે દરોડો પાડીને તેની ધરપકડ કરી ચંદિગઢ પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરતા પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ કરી છે, સુખપાલ ખૈરાની જૂના એનડીપીએસ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાને ટૂંક સમયમાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પંજાબમાંથી એક મોટા સમાચાર સામે…

ભાજપના 13 સહયોગી પક્ષોની રાજનીતિ પરિવારવાદ પર આધારિત

આમાંના ઘણા પક્ષો હજુ પણ સત્તામાં છે, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનમાં સમાવિષ્ટ મોટા ભાગના પક્ષો પરિવારની પક્કડમાં છે નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના મંચ પરથી પરિવારવાદને લોકતંત્ર માટે સૌથી જોખમી ગણાવ્યો હતો. મોદીએ આ ભાષણ દરમિયાન ઓછામાં ઓછા બાર વખત પરિવારવાદનું નામ લીધું હતું. સંબોધન દરમિયાન તેમણે રાજનીતિથી પરિવારવાદને ખત્મ…

જોશીમઠ છ સેમીથી એક મીટર નીચે ગરકાવ થયો છે

એક મીટર સુધી જમીનનો ઘટાડો મર્યાદિત વિસ્તારમાં હતો, આ સાથે જ ભૂગર્ભમાં 10 મીટર સુધીના વિશાળ પથ્થરો મળી આવ્યા ચમોલી ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત જોશીમઠ ભૂસ્ખલન માટે  ભયજનક ક્ષેત્ર માનવામાં આવે છે. જોશીમઠમાં મોટાભાગના ભૂસ્ખલન ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે થયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સેટેલાઇટ ઇમેજમાં…

ભાજપ સીએમના ચહેરા વીના જ રાજસ્થાનની ચૂંટણીમાં ઊતરશે

આ નિર્ણયથી વસુંધરા રાજે ખુશ હોવાનુ મનાઈ રહ્યું છે જયપુર આ વર્ષના અંતે કેટલાક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઈ તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને ચૂંટણી જીતવાની રણનીતિઓ તૈયાર કરી રહી છે. રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ માટે મહત્વની છે કારણ કે વિપક્ષનું મહાગઠબંધન ઈન્ડિયા તેની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. એવામાં…

ચંદ્રયાન-3નું ચંદ્રની દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગની વાત ખોટીઃચીન

ભારતનું રોવર આશરે 69 ડિગ્રી દક્ષિણના અક્ષાંશ પર ઉતર્યું હતું, તે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધનો ભાગ, દક્ષિણ ધ્રુવનો ભાગ ન કહેવાય એવો દાવો નવી દિલ્હી ઈસરોના ચંદ્રયાન-3થી સફળતાને આખી દુનિયાએ વખાણી છે પરંતુ આ સફળતા ચીન પચાવી શકતું નથી. નાસાથી લઈને યુરોપિયન યુનિયન સુધીની દરેક એજન્સીએ ભારત અને ઈસરોની સફળતાને બિરદાવી છે. ભારત ચંદ્રના દક્ષીણધ્રુવ પર…

કોટામાં એનઈઈટીની તૈયારી કરતા 21 વર્ષના છાત્રનો આપઘાત

તેના પિતા કોટામાં જ એક કોચિંગ સેન્ટરમાં શિક્ષક હતા, આપઘાત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે કોટા રાજસ્થાનના કોટામાંથી ફરી એકવાર આપઘાતનો મામલો સામે આવ્યો છે. તનવીર મૂળરૂપે ઉત્તરપ્રદેશના મહારાજગંજનો રહેવાસી હતો. 21 વર્ષીય મોહમ્મદ તનવીર 12મું ધોરણ પાસ કર્યા બાદ એનઈઈટીની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા કોટામાં જ એક કોચિંગ સેન્ટરમાં શિક્ષક…

મહાન કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન

કૃષિ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા ચેન્નાઈ ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેમણે  તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આજે સવારે 11.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.  સ્વામીનાથન વર્ષ 1972થી 1979 દરમિયાન ‘ભારતીય કૃષિ સંશોધન પરિષદ’ના અધ્યક્ષ તરીકે પણ કામ…