ભાજપે ત્રણ રાજ્યો માટે નિરક્ષકો જાહેર કર્યા, રવિવાર સુધી સીએમનો નિર્ણય

આ નિરીક્ષકો ધારાસભ્ય દળ સાથે બેઠક કરશે અને તેમાં તેમનો અભિપ્રાય મેળવશે નવી દિલ્હી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદથી આ રાજ્યોમાં મુખ્યમંત્રી પદ કોને સોંપાશે તે મુદ્દે ચર્ચા વિચારણાં ચાલી રહી છે. આ સૌની વચ્ચે ભાજપે આ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોના નામની જાહેરાત કરી દીધી છે.  સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે…

અગ્નિ-1 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ કરાયું

સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ આયોજિત ટ્રેનિંગ લોન્ચ, તમામ ઓપરેશનલ અને તકનીકી પરિમાણોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું થિરુવનંતપુરમ ગઈકાલે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું ટ્રેનિંગ લોન્ચ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મીડીયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું પ્રશિક્ષણ પ્રક્ષેપણ સફળતાપૂર્વક હાથ…

અર્જુન મુંડાને કૃષિ-ખેડૂત ક્લાયણ મંત્રાલયનો વધારોનો હવાલો

અર્જુન મુંડા પહેલેથી જ આદિજાતિ બાબતોના મંત્રી છે જેને હવે તોમરનાં ખાતાં સોંપાયા મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે. તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને હવે કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને  કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો વધારાનો…

રજિસ્ટ્રી દસ્તાવેજોમાંતી ઉર્દૂ-ફારસી શબ્દો હટાવવા નિર્ણય

હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે, પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદગી બાદ પણ કાયમી નોકરી માટે આ પરીક્ષા પાસ કરવાની ફરજ પડતી હતી લખનઉ ઉત્તરપ્રદેશમાં (યુપી) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક સર્વિસ કમિશન દ્વારા…

2018થી વિદેશોમાં 403 ભારતીય છાત્રોના મોત થયા

રિપોર્ટ અનુસાર, વિશ્વના 34 દેશોમાં કેનેડામાં સૌથી વધુ 91 મૃત્યુ થયા, સરકારે રાજ્યસભામાં માહિતી આપી નવી દિલ્હી ભારતમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાના ઈરાદે વિદેશમાં જાય છે. જેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે. આ દરમિયાન ભારત સરકારે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં 2018…

2023ના વર્ષ દરમિયાન અલ્મોરા ફોલ્ટથી 124 વાર ધરા ધ્રૂજી

2023ની શરૂઆત 24મી જાન્યુઆરીએ 5.8ની તીવ્રતાના ભૂકંપ સાથે થઈ પછી ત્રીજી ઓક્ટોબરે 6.2ની અને ત્રીજી નવેમ્બરે 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો નવી દિલ્હી ભૂકંપની દ્રષ્ટિએ આ વર્ષ ઘણું ખતરનાક સાબિત થયું છે. આ વર્ષની શરુઆતમાં જ 5.8ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો હતો અને વર્ષમાં કુલ 124 વાર ધરા ધ્રુજી છે. કેન્દ્રિય મંત્રીએ સંસદમાં અલ્મોરા ફોલ્ટને જવાબદાર ગણાવ્યો…

તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર લપસી પડતાં હોસ્પિટલમાં દાખલ

પીઠમાં ગંભીર ઈજા, સર્જરીની જરૂર પડી શકે છે હૈદ્રાબાદ તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સુ્ત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે તેઓ લપસીને પડી ગયા હતા જેના પગલે તેમને પીઠમાં ગંભીર ઈજા પહોંચી હતી.  તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર  (કેસીઆર) ગઈકાલે લપસીને પડી ગયા હોવાથી હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

ભાજપે મણિપુરમાં 30 વર્ષથી લાગુ દારૂબંધી ઊઠાવી લીધી

કેબિનેટે રાજ્યની મહેસૂલી આવક વધારવા અને ઝેરીલા દારૂની સપ્લાય રોકવા માટે લીકર પોલિસીમાં ફેરબદલ કર્યા ઈમ્ફાલ દારૂબંધી એક અતિ સંવેદનશીલ મુદ્દો ગણાય છે. આ મુદ્દે કોઈ પણ સરકાર ગમે તેવો નિર્ણય કરતાં પહેલાં અનેકવાર વિચારે છે. ટેક્સની દૃષ્ટિએ આ સરકાર માટે કમાણીનો મોટો સોર્સ હોય છે. જ્યારે લોકો માટે આ ભાવનાત્મક મુદ્દો છે. એટલે જ…

લોકસભાની ચૂંટણી માટે કમર કસી લેવા કાર્યકરોને મોદીની સલાહ

તમામ સાંસદો પોતપોતાના ક્ષેત્રમાં જઈને લાભાર્થીઓ સાથે સંપર્ક કરે અને લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવા વડાપ્રધાનની સુચના નવી દિલ્હીદેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ત્રણેય રાજ્યોમાં જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવાયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ…

ચૂંટણી પહેલાં પીઓકે જીતી લાવો, આખો દેશ મત આપશેઃ ચૌધરી

ચૌધરીએ કટાક્ષ કરતા કહ્યું કે, મોદી સરકારે 10 વર્ષ અને અટલજી સરકારે 6 વર્ષ કેન્દ્રમાં સત્તા સંભાળી, તો પછી ભાજપને પીઓકે જીતીને લાવતા કોણે રોક્યા નવી દિલ્હીપાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે લોકસભામાં અધીર રંજન ચૌધરીએ વળતો જવાબ આપ્યો છે. ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને હિન્દુસ્તાનના બહાદુર કહી કટાક્ષ…

બિહારના વૈશાલીમાં જમીનનો કબજો છોડાવવા ઈડી પોલીસની શરણે

એજન્સીએ બચ્ચા રાયની કોલેજ સહિત ઘણી સંપત્તિઓને જપ્ત કરી લીધી હતી જેના પર માફિયાનો ફરી કબજો વૈશાલી કહેવાય છે કે, જ્યાં ક્યાંય નથી થતું તે બિહારમાં થાય છે. સમગ્ર દેશમાં ભ્રષ્ટ અને બેઈમાનોની સંપત્તિ જપ્ત કરનારી કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીની સંપત્તિ પર જ બિહારમાં દબંગોએ દબંગોએ કબજો કરી લીધો છે. આ મામલો વૈશાલીનો છે. હવે…

દેશના કેટલાક વિસ્તારમાં ઠંડી વધશે, બિહાર-ઝારખંડમાં વરસાદનું એલર્ટ

બંગાળની ખડીમાં સર્જાયેલું વાવાઝોડું મિગ્જોમ હવે ઉત્તરપૂર્વ તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ આંતરિક ઓડિશામાં પહોંચતા ઓછા દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ ગયું નવી દિલ્હી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડી વધવાની આગાહી છે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના મેદાન વિસ્તારોના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે…

શ્વાનોની ખતરનાક પ્રજાતીઓ રાખવા પર પ્રતિબંધ માટે અલ્ટિમેટમ

દિલ્હી હાઈકોર્ટેમાં કેન્દ્ર સરકારને શ્વાનોની ખતરનાક પ્રજાતિઓ રાખવાના લાઇસન્સ પર પ્રતિબંધ અને રદ કરવાના મેમોરેન્ડમ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ આપ્યો નવી દિલ્હી દેશમાં કેટલીક જગ્યાએ પાલતું શ્વાનના લોકો પર હુમલો કરવાના બનાવો બન્યા હતા. જે અંગે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને શ્વાનોની ખતરનાક પ્રજાતિઓ રાખવા માટેના…

ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં ટોચ પર

મહારાષ્ટ્ર લાંચ રુશ્વત વિરોધી વિભાગે સૌથી વધુ 749 લાંચ રુશ્વત કેસમાં કાર્યવાહી કરી નાગપૂર ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં સૌથી અવ્વલ આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક અહેવાલમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તેવા રાજ્યોની જાણકારી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર લાંચ રુશ્વત વિરોધી વિભાગે સૌથી વધુ 749 લાંચ રુશ્વત કેસમાં કાર્યવાહી કરી…

દિલ્લી એઆઈઆઈએમએસમાં રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસથી ભયનો માહોલ

એઆઈઆઈએમએસ એ આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું તો આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાની જાણકારી મળી નવી દિલ્હી કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીને ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી ફેલાવીને ફફડાટ ફેલાવ્યો છે. તાજેતરની ઘટના અનુસાર ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ હવે દિલ્હી એઆઈઆઈએમએસમાં નોંધાતા ભયનો…

ભાજપના પાંચથી વધુ ધારાસભ્યો કોંગ્રેસના નેતાની હોટેલમાં પહોંચતા ભાગદોડ

ભાજપના ટોચના નેતૃત્વને આ માહિતી મળી તો દોડધામ મચી અને તાબડતોબ કાર્યવાહી કરતાં આ લોકોને બળજબરીપૂર્વક પાછા બોલાવાયા જયપુર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે ભાજપે જીત તો મેળવી લીધી પણ હજુ સુધી સીએમ કોને બનાવવા તે અંગે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજસ્થાનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. અહીં ટોચના…

કોરોના બાદ ખેડૂતો કરતા ખેતમજૂરોની આત્મહત્યામાં વધારો થયો

ખેડૂતોની આત્મહત્યા કરતાં ખેતમજૂરોની વધુ આત્મહત્યાનો ટ્રેન્ડ 2020 પછી જ શરૂ થયો હોવાનો આંકડા પરથી ખુલાસો થયો નવી દિલ્હીનેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ અનુસાર, 2018 અને 2022 વચ્ચે ભારતમાં ખેતી સાથે સંકળાયેલા લોકોની આત્મહત્યામાં સતત વધારો થયો છે. તેમાં એકમાત્ર અપવાદ વર્ષ 2019 છે, જેમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, કોવિડ-19 રોગચાળા…

વિધાનસભામાં જીતનારા ભાજપના 12 સાંસદોએ રાજીનામા આપ્યા

બીજેપીએ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં 21 સાંસદોને ટિકિટ આપી હતી નવી દિલ્હીપાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બીજેપીએ આજે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જે સાંસદો જીતીને આવ્યા છે તેમણે સંસદની સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. આજે એવા 12 સાંસદોએ રાજીનામું સોંપી દીધુ છે.ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે…

રાજસ્થાન, છત્તિસગઢ, મ.પ્ર.ના સીએમને લઈને ભાજપમાં ભારે અવઢવ

ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે અથવા ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે નવી દિલ્હીમધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે.ભાજપે વિધાનસભા…

370મી કલમ જમ્મ-કાશ્મીરમાં 45000 લોકોના મૃત્યુ માટે જવાબદારઃ અમિત શાહ

લોકસભામાં કેન્દ્રીય પ્રધાનના કોંગ્રેસ પર આકરા પ્રહાર, 70 વર્ષથી અન્યાય, અપમાન અને અવગણના કરાયેલા લોકોને ન્યાય આપવાનું બિલ હોવાનો શાહનો દાવો નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 લોકસભામાં વિચારણા માટે રજૂ કર્યા હતા. આજે…