લોકસભાના સ્પિકરે હંગામો કરતા વધુ ત્રણ સાંસદને સસ્પેન્ડ કર્યા

આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ નવી દિલ્હીસંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સદનની અવમાનના મામલે સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા.સંસદમાં શીયાળુ…

2024માં ભારત સહિત વિશ્વના 78 દેશોમાં ચૂંટણીઓ યોજાશે

વોશિંગ્ટન સ્થિત થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના કહેવા પ્રમાણે 2024 પછી છેક 2048માં જ આ પ્રકારનો સંયોગ જોવા મળશે નવી દિલ્હી2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ચૂંટણી વર્ષ જાહેર કરવુ પડે તેવી સ્થિતિ છે.કારણકે 2024માં ભારત સહિત દુનિયાના 78 દેશોમાં વિવિધ ચૂંટણીઓ યોજાવાની છે. વોશિંગ્ટન સ્થિત થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના કહેવા પ્રમાણે 2024 પછી છેક 2048માં જ આ પ્રકારનો…

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે

ભારતને રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટને વહેલી તકે ઓપરેશનલ સર્વિસમાં સામેલ કરવા અપેક્ષા નવી દિલ્હી ભારત ફરી એકવાર ફ્રાન્સ સાથે મોટી ડિફેન્સ ડીલ કરવા જઈ રહ્યું છે. ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે ટેન્ડર ખોલ્યું છે. ભારતીય પક્ષ હવે તેનો અભ્યાસ કરીને જવાબ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને સૌન્ય હાર્ડવેરના વેચાણ…

દિલ્હીમાં  રાતે 10થી 12માં વધુ અકસ્માત થાય છે

2021માં આ બે કલાક દરમિયાન 219 લોકોના મોત થયા હતા ત્યારે બીજી તરફ વર્ષ 2022માં 225 લોકોએ જીવ ગુમાવ્યા નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીના માર્ગો પર રાત્રે 10:00 વાગ્યાથી 12:00 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોતની ઘટના ગત વર્ષે બની છે. આ ખુલાસો દિલ્હી ટ્રાફિક પોલીસના એક રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું…

સાંસદોના સસ્પેન્શ મુદ્દે વિપક્ષી સાંસદોની સંસદથી વિજય ચોક સુધી કૂચ

143 સાંસદોને ગૃહમાંતી સસ્પેન્ડ કરવા સામે વિપક્ષોનો જોરદાર વિરોધ નવી દિલ્હી સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે સરકાર પર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી રહ્યા છે. આ કૂચ 140થી સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ કરવામાં આવી રહી છે. આ કૂચ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું…

લોકતંત્રના મંદિરને જ શ્મશાન ઘાટમાં ફેરવી નખાયુઃ ઉદ્ધવ

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લોકતંત્ર, બંધારણ અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે કોઈ પ્રેમ નથી, વડાપ્રધાન બોલે છે કંઈક અને કરે છે કંઈક મુંબઈ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (યુબીટી) એ તેના મુખપત્ર સામનામાં એક લેખ દ્વારા સંસદમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમાં લખ્યું છે કે વડાપ્રધાન મોદી અને…

લલિત ઝાના ઘરની બહાર ક્રાંતિકારી યોદ્ધાના પોસ્ટર્સ લાગ્યા

મુંબઈ અને હરિયાણાના બે અજાણ્યા વ્યક્તિ લલિતના ઘરે આવ્યા અને થોડી વાતચીત બાદ ઘરની બહાર પોસ્ટર્સ લગાવીને ચાલ્યા ગયા દરભંગા સંસદની સુરક્ષામાં ચૂકના માસ્ટરમાઈન્ડ દરભંગાના બહેડાના પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ઉદય ગામના લલિત ઝાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરે નવો વિવાદ ઉભો કરી દીધો છે. લલિત ઝાના ભાઈ હરિદર્શન ઝા ઉર્ફે સોનૂએ જણાવ્યું કે, બુધવારે…

અકસ્માત કરીને ભાગી જનારને 10 વર્ષની સજા થશે

અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઇ જશે નવી દિલ્હી રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા લોકો માટે મોટા સમાચાર છે. આ ગંભીર મુદ્દા બાબતે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપી આપતા જણાવ્યું હતું કે રોડ અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ અકસ્માત…

22 જાન્યુઆરીના કાર્યક્રમ માટે સોનિયા-ખડગેને પણ આમંત્રણ મોકલાયા

હજુ સુધી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે પછી વિપક્ષના અન્ય નેતાઓ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી નવી દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અને સોનિયા ગાંધીને અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરના નવા ભવનમાં આયોજિત થનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપી દેવાયું છે. અયોધ્યામાં આ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો…

…તો ત્યાંની કાનૂની પેઢીઓને ભારતમાં કામ નહીં કરવા દેવાયઃમેઘવાલ

અર્જુન રામ મેઘવાલે આ મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા દિશાનિર્દેશોનો હવાલો આપી લોકસભામાં આ માહિતી આપી નવી દિલ્હી જો કોઈ દેશમાં ભારતીય વકીલ કે તેમને લગતી ફર્મને વકીલાત કરવામાં પરેશાન કરાશે કે તેમની સામે અવરોધો પેદા કરાશે તો તે દેશના વકીલોને કે પછી ત્યાંની કાનૂની પેઢીઓને ભારતમાં વકીલાત કરવા નહીં દેવાય.  કેન્દ્રીય…

ગુજરાતના વિનોદ જોષી સહિત 24ને સાહિત્ય અકાદમી પુરસ્કાર

પુરસ્કારમાં નવ કાવ્યસંગ્રહ, છ નવલકથાઓ, પાંચ વાર્તા સંગ્રહ, ત્રણ નિબંધો અને એક ટિકાનું પુસ્તક સામેલ નવી દિલ્હી સાહિત્ય અકાદમીએ ગઈકાલે વિવિધ ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023ની જાહેરાત કરી હતી, જેમાં સાહિત્ય અકાદમીએ હિન્દી માટે સંજીવ, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દૂ માટે સાદિકા નવાબ સહર સહિત 24 ભારતીય ભાષાઓ માટે પુરસ્કારની જાહેરાત કરી…

હોસ્પિટલ્સને સાવચેતી, ભીડમાં માસ્ક પહેરવા લોકોને સલાહ

કેરળમાં દિવસમાં 300 નવા કેસ, ત્રણનાં મોત, કોરોનાના વેરિયન્ટ જેએન.1ની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે નવી દિલ્હી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે અને સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે જ્યાં સૌથી વધારે ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 358…

હવે રાજદ્રોહ નહીં, દેશ દ્રોહ, મોબ લિચિંગ બદલ ફાંસીઃ અમિત શાહ

પહેલા સીઆરપીસીમાં 484 કલમ હતી જેમાં હવે 531 કલમો હશે, 177 કલમોમાં બદલાવ કર્યો છે જ્યારે 39 નવી પેટા કલમો અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી નવી દિલ્હીકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યું હતું…

ફઈબાની એન્ટ્રી પર ભત્રિજાનો નન્નો, કોંગ્રેસને બીએસપી પર સવાલ પૂછ્યા

મલ્લિકાર્જુન ખડગેએ સપા નેતાઓને આશ્વાસન આપ્યું નવી દિલ્હીઆગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મંગળવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં ભાગ લીધો હતો. જોકે, અખિલેશ યાદવની પાર્ટીએ મહાગઠબંધનમાં માયાવતીની બસપાના પ્રવેશ પર કોંગ્રેસને સવાલો પૂછ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે ઈન્ડિયા ગઠબંધનની…

પન્નુ કેસમાં માહિતી મળશે તો ચોક્કસ તપાસ કરીશુઃ મોદી

જો અમારા નાગરિકોમાંથી કોઈએ કંઈ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તેની તપાસ કરવા તૈયાર છીએ, કાયદાના શાસન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છેઃ વડાપ્રધાન નવી દિલ્હીભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે એક ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકામાં એક ભારતીયની હત્યાના ષડયંત્રના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જો અમને કોઈ…

ધનખડની મિમિક્રી કરનારા કલ્યાણ બેનર્જી સામે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો

ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી નવી દિલ્હીવિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે. તેમની વિકુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધી લીધો છે.ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસે સ્વીકાર કરી છે….

લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે નવી દિલ્હીસંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે ચાલુ હંગામા વચ્ચે લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે સદનની અવમાનના મામલે સ્પીકરે બે વિપક્ષી સાંસદ સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધી લોકસભા…

ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર આઈએનએસ વર્ષા

આઈએનએસ વર્ષા નૌસેનાના બેઝમાં 8થી 12 સબમરીન પાર્ક કરી શકાશે નવી દિલ્હીભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું આએનએસ વર્ષા નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ શકશે નહીં, કારણે કે, અન્ડરગ્રાઉન્ડ બેઝ તૈયાર કરવામાં આવ્યો…

જાતિને દરેક મુદ્દામાં ન ઢસડવી જોઈએઃ મલ્લિકાર્જુન ખડગે

શું રાજ્યસભામાં દરેક વખતે મને બોલવાની મંજૂરી નથી મળતી તો શું હું એમ કહીશ કે હું દલિત છું એટલે મને બોલવાની તક નથી અપાતી, કોંગ્રેસના નેતાનો સવાલ નવી દિલ્હીરાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવા મુદ્દે બુધવારે રાજ્યસભાની અંદર અને બહાર બંને જગ્યાએ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. સાંસદોને સસ્પેન્ડ કરવા વિરુદ્ધ સંસદના પગથિયાં પર વિપક્ષના…

સસ્પેન્ડ સાંસદોના ચેમ્બર,ગેલેરી અને લોબીમાં પ્રવેશ પર પ્રતિંબંધ

સાંસદોને દૈનિક ભથ્થું પણ મળશે નહીં, જો કોઈ સાંસદ નોટિસ આપશે તો તેનો પણ સ્વીકાર કરવામાં આવશે નહીં નવી દિલ્હી લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર વધુ એક મોટી કાર્યવાહી કરતા લોકસભાના સચિવાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોના કેટલાક અધિકારો છીનવાયા છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન 13મી ડિસેમ્બરે નવી સંસદમાં…