પાકિસ્તાનમાં સિંધિ ભાષા અંગેના નિવેદન પર નસરૂદ્દીન શાહે માફી માગી

Spread the love

માફી માગવા છતાં ટ્રોલર્સે ટ્રોલ કરતા અભિનેતા ભડકી ગયા


નવી દિલ્હી
નસીરુદ્દીન શાહ મોટા ભાગે પોતાના બેબાક નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે કંઈક એવું નિવેદન આપ્યું કે હવે આ દિગ્ગજ એક્ટર સ્પષ્ટતા આપતા ફરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સિંધી ભાષા હવે પાકિસ્તાનમાં નથી બોલાતી.
આ મુદ્દે હવે સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા છે. સ્થિતિ એવી ઉભી થઈ કે, નસીરુદ્દીન શાહે પોતાના નિવેદન અંગે માફી પણ માંગવી પડી છે.
તાજેતરમાં જ નસીરુદ્દીન શાહે દાવો કર્યો હતો કે, સિંધી હવે પાકિસ્તાનમાં નથી બોલાતી.
આ પહેલીવાર નથી જ્યારે નસીરુદ્દીન શાહની સિંધી ભાષા વિશેના તેમના નિવેદનની ટીકા કરી હોય. થોડા દિવસો પહેલા નસીરુદ્દીને સિંધી અને મરાઠી ભાષાઓ પર તેમની ટિપ્પણીઓ પર ટ્રોલિંગનો જવાબ આપ્યો હતો. 8 જૂને તેની ફેસબુક પોસ્ટમાં, તેણે તેના ખોટા નિવેદનોને સ્વીકાર કર્યો હતો. તેમણે એ જ પોસ્ટમાં મરાઠી અને ફારસી ભાષાઓ વચ્ચે સબંધો વિશે પોતાની કોમેન્ટ સ્પષ્ટ કરી.
હાલમાં જ પોતાની વેબ સિરીઝ ‘તાજ: ડિવાઈડેડ બાય બ્લડ સીઝન 2’ના પ્રમોશન દરમિયાન નસીરુદ્દીન શાહે પાકિસ્તાનમાં બોલવામાં આવતી તમામ ભાષાઓ વિશે વાત કરી હતી. અભિનેતાએ દાવો કર્યો હતો કે, હવે સિંધી ભાષા પાકિસ્તાનમાં નથી બોલાતી. તેમના આ નિવેદન બાદ વિવાદ છેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *