
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વનાં ગુણો વિકસે તે હેતુસર વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓની જ કમિટી રચવામાં આવી જે અંતર્ગત હીરામણિ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સ્વયંશિસ્ત જાળવતાં થાય તેનાં માટે શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, સી.ઇ.ઓ.ભગવત અમીન શાળાના આચાર્યા ભારતીબેન મિશ્રા,કૉ. ઓર્ડિનેટર ભરત પટેલ વગેરેએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.