સમગ્ર ગુજરાતની જીવદયા-ગૌસેવા સંસ્થાઓ દ્વારા ગૌમાતાને રાજ્યમાતા બનાવવા તેમજ જીવદયા-ગૌસેવા અંગેના વિવિધ પ્રશ્નોની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરાશે

Spread the love

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતેગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરાશે અમદાવાદ તા 17 ઓક્ટોબર 2024 – શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે ગુજરાત રાજ્યનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદયાનાં નિર્ણયો લેવા બદલ સમસ્ત મહાજન તથા સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા સંસ્થાઓ તરફથી અભિવાદન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ 20 ઓક્ટોમ્બર, 2024ને રવિવારનાં રોજ બપોરે 3કલાકથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમી અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા સંસ્થાઓને માર્ગદર્શન આપશે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે ઓગણ વિડમાં નૂતન શેડનું ઓનલાઈન ખાતમુહુર્ત, ગૌપૂજન, તેમજ સમસ્ત મહાજન દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા તળાવોનું લોકાર્પણ તથા તકતી અનાવરણ કરવામાં આવશે. ભારતનાં દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “એક વૃક્ષ મા કે નામ” સૂત્ર અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવશે અને એનીમલ હેલ્પલાઇન, રાજકોટની એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ સહિતના કાર્યો યોજાશે.સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે આ પ્રસંગે જણાવ્યુ હતું કે વિરમગામ પાંજરાપોળ ખાતે ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદયાનાં નિર્ણયો લેવા બદલ વિરમગામ પાંજરાપોળ તરફથી 20 ઓક્ટોમ્બર, 2024ને રવિવારનાં રોજ અભિવાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતની જીવદયા-ગૌસેવા સંસ્થાઓ દ્વારા ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ, દૈનિક, કાયમી મળતી સબસીડી રૂ. 30 નાં બદલે રૂ. 100 કરવામાં આવે તેમજ મહારાષ્ટ્ર રાજ્યની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને “રાજ્યમાતા” નો દરજ્જો આપવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવશે. આ સિવાય ગૌચર જમીન ને સુરક્ષિત કરીને તેનો યોગ્ય ઉપયોગ ગૌચર માટે કરવામાં આવે તેની રજૂઆત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર, ગૌચર જમીનનો ઉપયોગ પશુપાલન માટે જ થાય તે અંગે ની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, પાંજરાપોળ અને ગૌશાળાઓને જરુરિયાત મુજબ માળખાકીય સુવિધા માટે 300 કરોડનું ફંડ ફાળવવું, તેમજ સહાય સમયસર ચૂકવી શકાય તે માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવા માટેની રજૂઆત કરવામાં આવશે. તેજ રીતે પર્યાવરણ ની રક્ષા માટે પર્યાવરણને નુકસાન કરનાર આ વનસ્પતિ, જે ગૌચર જમીન માટે ખતરો છે, તેને દૂર કરવા માટેની રજૂઆત પણ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવશે. તેથી ગુજરાતની તમામ જમીનમાંથી ગાંડા બાવળ (Prosopis juliflora) ની સંપૂર્ણ રીતે દૂર થાય તે રજૂઆત પણ કરવામાં આવશે. રાજ્યના દરેક ગામ માટે “1962 ફ્રી વેટરનરી એમ્બ્યુલન્સ” શરૂ કરવામાં આવે તેમજ દર દસ ગામમાં આવી એક મફત એનિમલ એમ્બ્યુલન્સ સેવા હોય તે અંગેની રજૂઆત પણ કરવામાં આવશે. ‘સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ’ લોકો અને સરકાર વચ્ચે સંકલનનું એક મોટું માધ્યમ છે, તેને વધુ કાર્યાન્વિત કરવા અંગે તેમજ તેનું બજેટ વધારવા માટેની રજૂઆત પણ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવશે. ‘ગૌ સેવા આયોગ’ને વધુ કાર્યાન્વિત કરવા માટે તેમજ તેનું બજેટ વધારવા અંગેની રજૂઆત પણ કરવામાં આવશે. રાજ્યમાં અલગથી ‘ગૌ મંત્રાલય’ની સ્થાપના કરવામાં આવે તે અંગેની પણ રજૂઆત કરવામાં આવશે. રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક અધિકારી હોવો જોઈએ જે પ્રાણી કલ્યાણ વિશે જાણકાર હોય અને પ્રાણી કલ્યાણના કેસોમાં મદદ કરી શકે તે અંગેની પણ રજૂઆત કરવામાં આવશે. રાજ્યમાં પંચગવ્ય આધારિત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવે તે સહિતની રજૂઆતો પણ કરવામાં આવશે.સમસ્ત મહાજનના સંગઠન મંત્રી મિતલ ખેતાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતનાં જીવદયા પ્રેમીઓ, ગૌસેવકો તેમજ ગૌશાળા, પાંજરાપોળોનાં સંચાલકો દ્વારા ગૌશાળા, પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતિનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણઅર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા—પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા, ગામડાઓની ગૌચરનો વિકાસ કરવા, દેશી વૃક્ષોનાં વાવેતરમાં વધારો કરવો, જળ સંરક્ષણ, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવી, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર અંગેના પ્રશ્નો સહિતના પ્રશ્નોની પરિણામલક્ષી ચર્ચા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવશે.અત્રે ઉલેખ્ખનીય છે કે વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. 21 વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે, તેઓ વર્તમાન સમયમાં તેમના જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં 300 થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા કે જે 497 હેકટર જગ્યામાં પથરાયેલી છે અને અત્યારે પાંજરાપોળમાં 2000 પશુઓનો ખૂબ સુંદર રીતે નિભાવ થઈ રહયો છે.કાર્યક્રમ 20 ઓક્ટોમ્બર, રવિવારના રોજ શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા, “જીવ મૈત્રી ધામ”, મોટીકુમાદ, વિરમગામ ખાતે બપોરે 3 કલાકેથી રાખવામાં આવ્યો છે.

Total Visiters :63 Total: 1497227

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *