અમદાવાદ
દેશના નવ બેન્ક કર્મચારી યુનિયનો દ્વારા બેન્કોના કામકાજના પાંચ દિવસ કરવાની તેમની પડતર માગણીને લઈને 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો તથા સહકારી બેંકોમાં કાર્યરત અંદાજે 8| લાખ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે.
2023માં ભલામણ કરાઈ હતી
બેંકિંગ ક્ષેત્રમાં 5દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં મૂકવા માટે સરકારની મંજૂરી આપવી તથા હાલ જે રીતે 2જો અને 4થો| શનિવાર રજા છે, તે સિવાયના તમામ શનિવારોને રજા જાહેર કરવી. આ માંગ ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન (IBA) દ્વારા 7-12-2023ના રોજ UFBU સાથે થયેલ સમજૂતીપત્ર તથા 8-3-2024ના સેટલમેન્ટ / સંયુક્ત નોંધ મુજબ સરકારને| ભલામણ કરવામાં આવી છે.
2015માં બીજા-ચોથા શનિવારે રજા જાહેર કરાઈ હતી
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ લાંબા સમયથી બેંકિંગ ક્ષેત્રમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ અમલમાં મૂકવાની માંગ કરી રહ્યું છે. 2015માં થયેલ 10મા દ્વિપક્ષીય સેટલમેન્ટ / 7મી સંયુક્ત નોંધમાં IBA અને સરકાર વચ્ચે આ બાબત સ્વીકારવામાં આવી હતી અને તેના અનુસંધાને દર મહિને 2જો અને 4થો શનિવાર રજા જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય શનિવારો સંપૂર્ણ કાર્યદિવસ રાખવામાં આવ્યા હતા.
યોગ્ય વિચારણાની ખાતરી છતાં પગલાં ન લેવાયા
2015માં ખાતરી આપવામાં આવી હતી કે બાકીના બધા શનિવારોને રજા જાહેર કરવાની અમારી માંગણી પર યોગ્ય સમયે વિચારણા કરવામાં આવશે. પરંતુ આ મુદ્દો પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. 2022 માં, સરકાર અને ભારતીય બેંક એસોસિએશન UFBU સાથે કામકાજના કલાકો વધારવા માટે આ મુદ્દા પર ચર્ચા કરવા સંમત થયા હતા જેથી બાકીના શનિવારોને રજા તરીકે જાહેર કરી શકાય. 2023માં, ચર્ચા પછી એવું નક્કી થયું કે સોમવાર શુક્રવારથી દૈનિક કામકાજના કલાકોમાં 40 મિનિટનો વધારો કરવામાં આવશે અને બાકીના શનિવારોને ‘રજા તરીકે’ જાહેર કરવામાં આવશે. સરકારને આ અંગે યોગ્ય ભલામણ કરવામાં આવી છે પરંતુ કમનસીબે છેલ્લા બે વર્ષથી તે સરકારની મંજૂરી માટે રાહ જોઈ રહ્યું છે.
માર્ચ 2025માં હડતાળ મુલત્વી રખાઈ હતી
સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતાં, UFBU એ 24 અને 25 માર્ચ, 2025ના રોજ 2 દિવસની હડતાળનું એલાન આપ્યું હતું. તે સમયે અમને જાણ કરવામાં આવી હતી કે આ મુદ્દો સક્રિય વિચારણા હેઠળ છે અને તેથી હડતાળ મુલતવી રાખવામાં આવી હતી. આ ગંભીર ખાતરી પછી પણ, સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી રહી નથી. તેથી, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે, વિવિધ વિરોધ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોર્યા પછી, 27-1-2026 ના રોજ હડતાળનું એલાન આપ્યું છે.
કેન્દ્ર-રાજ્ય,આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસીમાં કામકાજનાં પાંચ દિવસ
નાણાકીય ક્ષેત્રમાં, પહેલાથી જ RBI, LIC અને GIC માં, આનો અમલ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં, તેમની બધી ઓફિસો ફક્ત સોમવારથી શુક્રવાર સુધી કામ કરે છે. સ્ટોક એક્સચેન્જ સોમવારથી શુક્રવાર સુધી કાર્યરત છે. શનિવાર અને રવિવારે મની માર્કેટ, વિદેશી હૂંડિયામણ વ્યવહારો વગેરે બંધ રહે છે.
કામકાજનાં પાંચ દિવસ કરવાથી ગ્રાહકોને મોટી સમસ્યા નહીં થાય
બેંકોમાં પહેલાથી જ બીજા અને ચોથા શનિવારને રજા હોય છે. તેથી, સોમવારથી શુક્રવાર સુધીના કામકાજના કલાકોમાં વધારો કરીને બાકીના શનિવારને રજા તરીકે જાહેર કરવાથી બેંક ગ્રાહકો માટે કોઈ મોટી સમસ્યા ઊભી થશે નહીં, જ્યારે બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવા માટે વિવિધ વૈકલ્પિક ડિલિવરી ચેનલો ઉપલબ્ધ છે.
હડતાળમાં જોડાનારા એસોસિએશન્સ
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) જેમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓની 9 યુનિયનોનો સમાવેશ થાય છે, જેમ કે: 1. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયીઝ એસોસિયેશન (AIBEA) 2. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) 3. નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લિોયીઝ (NCBE) 4. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિયેશન (AlBOA) 5. બેંક એમ્પ્લોયીઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) 6. ઈન્ડિયન નેશનલ બેંક એમ્પ્લોયીઝ ફેડરેશન (INBEF) 7. ઈન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ (INBOC) 8. નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ (NOBW) 9. નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક ઓફિસ ર્સ (NOBO).
