એર એશિયાની ફ્લાઈટ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને લીધા વીના જતી રહી

Spread the love

રાજ્યપાલ પ્રોટોકોલ મુજબ વેળાસર એરપોર્ટ પર પહોંચી ગયા હોવા છતાં એરલાઇન સ્ટાફે વિલંબ થયો હોવાનું કહીને તેમનું બોર્ડિંગ ક્લિયર કરવાની ના પડી


બેંગલુરૂ
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ થી હૈદરાબાદ જવા માટે એર એશિયાની ફ્લાઇટ I5972માં ઊડાન ભરવાના હતા. જોકે આ ફ્લાઈટે રાજયપાલને લીધા વગર જ ઊડાન ભરી લીધી હતી. રાજ્યપાલની પ્રોટોકોલ ટીમના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ સમયસર વીવીઆઈપી લાઉન્જમાં પહોંચી ગયા હતા અને રાહ જોઈ રહ્યા હતા.
રાજ્યપાલની પ્રોટોકોલ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યપાલ ગઈકાલે બપોરે 1:30 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા અને ટર્મિનલ 1ના વીવીઆઈપી લાઉન્જમાં બેઠા હતા. એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફને તેમના આગમન વિશે જાણ કરવામાં આવી હતી અને પ્રોટોકોલ મુજબ ગવર્નર બોર્ડમાં છેલ્લી વ્યક્તિ હોય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્લેન બપોરે 2.50 કલાકે ટેક ઓફ કરવાનું હતું. ગવર્નર ટર્મિનલ 1 થી 2:06 વાગ્યે ટર્મિનલ 2 પર પહોંચ્યા, પરંતુ એરલાઇન સ્ટાફે વિલંબ થયો હોવાનું કહીને તેમનું બોર્ડિંગ ક્લિયર કરવાની ના પડી અને તેમને લીધા વગર જ જતી રહી હતી.
પ્રોટોકોલ ઓફિસરના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ બપોરે 2.27 વાગ્યે ટેકઓફ થઈ હતી, પરંતુ ગવર્નરને એરલાઈન્સ સ્ટાફ દ્વારા ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ અંગે રાજ્યપાલની ઓફિસ દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ મામલો ધ્યાનમાં આવ્યા પછી એર એશિયાએ સ્પષ્ટતા કરી છે અને આ અસુવિધા માટે રાજ્યપાલની માફી માંગી છે. આ મામલે વિભાગીય તપાસના આદેશ પણ આપ્યા છે.
એરલાઈન્સે તેની સ્પષ્ટતામાં કહ્યું, અમને આ ઘટનાનો અફસોસ છે. તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે. એરલાઈન્સની વરિષ્ઠ નેતૃત્વ ટીમ આ અંગે ગવર્નર ઓફિસના સંપર્કમાં છે. અમે ગવર્નર ઑફિસ સાથેના અમારા સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *