બોલિવૂડના જાણીતા આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈનો આપઘાત

Spread the love

નિતિન દેસાઈએ કર્જતમાં તેમના એન.ડી.સ્ટુડિયો ખાતે મૃત અવસ્થામાં મળી આવ્યા, આર્થિક ભીંસમાં ફસાઈ જતા આપઘાત કર્યાનું અનુમાન


મુંબઈ
હિન્દી સિનેમા જગત માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. બોલીવૂડના પ્રસિદ્ધ આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ આપઘાત કરી લીધો છે. તેમના મૃત્યુના અહેવાલ સામે આવતા જ દરેકને આંચકો લાગ્યો હતો. સિનેમા જગતમાં સન્નાટો પ્રસરી ગયો હતો.
નિતિન દેસાઈએ કર્જતમાં તેમના એન.ડી.સ્ટુડિયો ખાતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે અત્યાર સુધી તેમના મૃત્યુના કારણ વિશે વધુ માહિતી આપી નથી. પણ એવા અહેવાલ છે કે તેમણે આપઘાત કર્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી હતી.
માહિતી અનુસાર નિતિન દેસાઈએ સવારે 4:30 વાગ્યે એન.ડી.સ્ટુડિયોમાં ફાંસો ખાઈ લીધો હતો. પૈસાની તંગીના લીધે તેમણે જીવન ટૂંકાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. કર્જતના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ કહ્યું કે નિતિન દેસાઈના મૃત્યુ સંબંધિત માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે આર્થિક ભીંસમાં ફસાઈ જવાને કારણે તેમણે આપઘાત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *