મારા ઘણા મહત્વપૂર્ણ કામ અધૂરા, વધુ જાગૃત થવું પડશેઃ સુસ્મિતા સેન

Spread the love

હું હંમેશા જિંદગીને પ્રેમ કરતી હતી અને હજુ પણ કરુ છુ અને હંમેશા કરતી રહીશ

મુંબઈ

બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અત્યારે પોતાની નવી વેબ સિરીઝ ‘તાલી’ ને લઈને ચર્ચામાં છે. ક્રાઈમ થ્રિલર શો આર્યા માં પોતાની દમદાર વાપસી બાદ સુષ્મિતા તાલી માં ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા શ્રીગૌરી સાવંતની ભૂમિકા નિભાવી રહી છે. તેમની આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ જીઓ સિનેમા પર રિલીઝ થઈ ચૂકી. દર્શકોને તેમનું પાત્ર ખૂબ પસંદ આવી રહ્યુ છે. 

સુષ્મિતા સેને જણાવ્યુ કે હું હંમેશા જિંદગીને પ્રેમ કરતી હતી અને હજુ પણ કરુ છુ અને હંમેશા કરતી રહીશ. આનાથી મને અનુભવ થયો કે મારા ઘણા મહત્વપૂર્ણ કામ અધૂરા છે અને મારે એ વિશે વધુ જાગૃત થવુ પડશે કે મારે શું કરવાનું બાકી છે. તમે તે પ્રકારના એપિસોડમાંથી પાછા આવી શકો નહીં. હાર્ટ એટેક આવ્યાને ચાર મહિના થઈ ગયા છે અને હું સારુ અનુભવી રહુ છુ. તે બાદ જે કંઈ પણ થયુ. તેની પાછળ એક કારણ છે કે હું હજુ પણ અહીં છુ.  

તેમણે કહ્યુ, મને ખબર હતી કે જ્યારે હું કામ પર પાછી આવીશ તો એ થશે કે તમે આ ભૂમિકા નિભાવી લો કે તે કરી લો અને તમને ના કહેવા માટે અપાર ક્ષમતાની જરૂર હોય છે. મન મારીને કહેવુ કે આ નથી કરવુ તમને તમારી ભૂલને દૂર રાખતા ના કહેવુ પડશે, જ્યારે હું પાછી આવી ત્યારે જવાબદારીની ભાવના સાથે એક શો નું શીર્ષક બનાવવા માંગુ છુ, એક લેખક-સમર્થિત ભૂમિકા નિભાવવા માંગુ છુ. આર્યાની સાથે હું ખૂબ ભાગ્યશાળી રહી. મે 3 મેઈન પ્લેટફોર્મ સાથે સંપર્ક કર્યો અને તે અદ્ભુત શો ની સાથે પાછા આવ્યા. આર્યા સાથે આ એક સરળ જીત હતી. સ્ક્રિપ્ટ અને પછી રામ માધવાનીનું આવવુ, આ એક શાનદાર સંયોજન હતુ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *