એશિયન ગેમ્સ 2022: એસ્પોર્ટ્સ માટે સત્તાવાર ડ્રોની જાહેરાત; ભારત 24 સપ્ટેમ્બરથી અભિયાનની શરૂઆત કરશે

એશિયન ગેમ્સ 2022માં કુલ સાત એસ્પોર્ટ્સ ટાઇટલ્સ દર્શાવવામાં આવશે જેમાં ભારત ચાર ટાઇટલમાં સ્પર્ધા કરે છે: DOTA 2, EA Sports FC Online, League of Legends, અને Street Fighter V: Champion Edition ચાઇના હેંગઝોઉ એસ્પોર્ટ્સ સેન્ટરમાં યોજાશે. 2 ઓક્ટોબર સુધી નવી દિલ્હી ચાલી રહેલી એશિયન ગેમ્સ 2022માં તમામ એસ્પોર્ટ્સ ટાઇટલ માટે ખૂબ જ અપેક્ષિત ડ્રોની સત્તાવાર…

ભારતની ઈન્ડિયન ઓઈલ ગ્રાન્ડ પ્રિકસ શરૂ થતાં લુકા મેરિની નાટકીય શૈલીમાં ક્લોકમાં ટોચ પર છે

ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સેસ્કો બગનૈયા 7મા સ્થાને છે, જ્યારે સાન મેરિનો મોટોજીપી વિજેતા શુક્રવારે બીજા ફ્રી પ્રેક્ટિસ સેશન દરમિયાન બીજા ક્રમે છે નવી દિલ્હી : મૂની VR46 રેસિંગ ટીમના રાઇડર લુકા મરિનીએ બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે બીજા ફ્રી પ્રેક્ટિસ સેશન દરમિયાન છેલ્લા લેપમાં સૌથી ઝડપી સમય નોંધાવ્યો કારણ કે શુક્રવારે ભારતની ઈન્ડિયન ઓઈલ ગ્રાન્ડ પ્રિકસની…

કેદી સુધરી ગયો હોય તેને જેલમાં રાખવાથી શું મળશેઃ સુપ્રીમ કોર્ટ

જેલમાં રહેવા કેદીઓને સજામાં છૂટ આપી, સમયથી પહેલાં મુક્ત કરવાનો ઈનકાર કરવા તે કેદીઓના મૌલિક અધિકારોનાં હનન સમાન છે નવી દિલ્હી   અપરાધીઓને સમયથી પહેલાં મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વના ચુકાદામાં કહ્યું હતું કે, જે કેદી સુધરી ગયો હોય, તેને જેલમાં રાખવાથી શું મળશે ? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જેલમાં રહેવા…

મહિલા આરક્ષણમાં ઓબીસી ક્વોટો ન સમાવી શકવાનો અફસોસઃ રાહુલ

કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી નવી દિલ્હી  કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી. તેઓએ સ્વીકાર્યું કે, જો…

નાગપુરમાં પાણીમાં ફસાયેલા લોકોને કાઢવા એનડીઆરએફની ટીમ કાર્યરત

નાગપુરમાં મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે, ભારે વરસાદને પગલે અંબાઝરી તળાવ છલકાઈ ગયું નાગપુર મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે ભારે વરસાદ વરસતા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે તેમજ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે  એનડીઆરએફની ટીમ સતત કર્યરત છે. હાલ ડેપ્યુટી સીએમ ફડણવીસ સ્થિતિ પર…

દિલ્હી, પ.બંગાળ અને સિક્કીમમાં ભારે વરસાદની શક્યતા

આગામી બે દિવસ સુધી પશ્ચિમ બંગાળ અને બિહારમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના નવી દિલ્હી દેશમાં કેટલાક રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે તો કેટલાક રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી ગરમીથી પરેશાન છે તો બીજી તરફ બિહારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની…

વર્લ્ડ કપ માટે દિગ્ગજોને તાજા રાખવા રોહિત-વિરાટને આરામ અપાયોઃ દ્રવિડ

ભારતીય ટીમ આઠ ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે નવી દિલ્હી એશિયા કપમાં સુપર-4 રાઉન્ડમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતે કોહલી અને રોહિતને આરામ આપ્યો હતો. તાજેતરમાં એશિયા કપમાં જ્યારે મેનેજમેન્ટે બાંગ્લાદેશ સામે સુપર-4 રાઉન્ડમાં વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લીધો હતો, ત્યારે શરૂઆતમાં કંઈ થયું ન હતું,…

હિન્દુઓને નિશાન બનાવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ નિંદાને પાત્રઃ પિયર પોઈલીવર

કેનેડાના દરેક ભાગમાં હિંદુઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશેઃ વિપક્ષના નેતાનું નિવેદન ટોરેન્ટો કેનેડામાં ખાલિસ્તાનનો મુદ્દો ચરમસીમા પર છે. સતત નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ પન્નુએ કેનેડાના હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વીડિયોની નિંદા થઈ રહી છે. કેનેડામાં વિપક્ષના નેતા પિયર પોઈલીવરે  હિન્દુના સમર્થનમાં એક વાત…

કેનેડામાં ભારતીયો માટે કોન્સ્યુલર સેવાઓ ચાલુ છે

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ બે દિવસ પહેલા જ સોશ્યલ મીડિયા પોસ્ટ એક્સ પર પોસ્ટ કરીને જાહેરાત કરી નવી દિલ્હી કેનેડામાં જ્યારથી ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી છે ત્યારથી ભારત સાથે તણાવ ચાલી રહ્યો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન ટુડોના આરોપોને ફગાવી દીધા હતા અને તેના પર જરુરી પગલાં પણ લેવાઈ રહ્યા છે ત્યારે…

કૃષિ અને બાગાયતી પાકોમાં 33%થી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત સહાયની જાહેરાત

એસડીઆરએફ નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે અમદાવાદઃ  ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ,…

ઈન્ડો પેસિફિક ક્ષેત્રોમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે કાર્યવાહીની ચર્ચાની શક્યતા

ઈન્ડો પેસિફિક આર્મી ચીફ કોન્ફરન્સ તરીકે જાણીતી આ કોન્ફરન્સનો વિષય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવોનો છે નવી દિલ્હી ભારતીય સેના આવતા અઠવાડિયે કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી છે. આ કોન્ફરન્સ બે દિવસ સુધી ચાલશે જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોના સેના પ્રમુખો સામેલ થશે. આ કોન્ફરન્સમાં ઈન્ડો પેસિફિક ક્ષેત્રોમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે કાર્યવાહી અંગેની…

નિજજરની હત્યામાં ભારતની સંડોવણીની ઓપન સોર્સ માહિતીઃ ડેવિડ

આ બધી માહિતી ઇન્ટરનેટ પર પહેલેથી જ ઉપલબ્ધ હોવાનો દાવો ટોરેન્ટો ભારત કેનેડાના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે બંને દેશો તરફથી એકબીજા પર નિવેદનો અને કાર્યવાહી થતી જોવા મળી છે. એવામાં કેનેડાના પીએમએ ભારત પર લગાવેલ આરોપને લઇ બ્રિટીશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને ભારતના સમર્થનમાં એક નિવેદન આપ્યું હતું. બંને દેશોના…

બરસાનામાં દર્શન કરવા આવેલા બે શ્રધ્ધાળુનાં શ્વાસ રૂંધાવાથી મોત

દુર્ઘટના બાદ વહીવટી તંત્રમાં ભાગદોડ, બરસાનામાં રાધા અષ્ટમી પર દર્શન કરવા માટે 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા બરસાના/મથુરા રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન કરવા માટે આવેલા બે શ્રદ્ધાળુઓના શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયા છે. આ દુર્ઘટના બાદ વહીવટી તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. બરસાનામાં રાધા અષ્ટમી પર દર્શન કરવા માટે 2 લાખથી વધુ ભાવિકો ઉમટી…

પાકિસ્તાનની ટીમને ભારત સરકાર તરફથી હજી વિઝા નથી મળ્યા

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો દુબઈ જઈને ખેલાડીઓ સાથે કેમ્પ લગાવવાનો પ્લાન રદ્દ કરવામાં આવ્યો નવી દિલ્હી ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી યોજાશે. આ ટુર્નામેન્ટમાં પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. ભારત પાસે વર્ષ 2011 બાદ ફરી એકવાર વનડે વર્લ્ડ કપ જીતવાની તક છે. વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમોના વિઝાને મંજૂરી મળી…

2018માં જ મેં એ કેટેગરીના 9 આતંકીની યાદી કેનેડાને આપી હતી

અમરિંદર સિંહે ભારતમાં અનેક ગુનાઓમાં સામેલ આતંકવાદીઓને સોંપવા માટે કેનેડા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાનું આહ્વાન કર્યું હતું નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેનેડાના પીએમ જસ્ટિન ટુડો દ્વારા ભારત પર લગાવેલા પાયાવિહોણા આરોપોની આકરી નિંદા કરી છે. તેમણે…

મોદી આજે 11 રાજ્યોમાં 9 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે

આ 9 ટ્રેનોમાં એક અમદાવાદ અને જામનગર વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેન પણ સામેલ છે નવી દિલ્હી આવતીકાલે 24 સપ્ટેમ્બરના રોજ 11 રાજ્યોમાં નવી 9 વંદે ભારત ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી વીડિયો લિન્કના માધ્યમથી કાચીગુડા-યશવંતપુર અને વિજયવાડા-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરશે. વડાપ્રધાન મોદી એ…

યુનિ.ની ઉત્તરવહી ગૂમ કેસમાં સની ચૌધરી-અમિત સીંગની ધરપકડ

આરોપી અમદાવાદ આવ્યા હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ  ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગના ચોથા વર્ષના અંદાજે 14 જેટલા વિદ્યાર્થીઓની 28 જેટલી ઉતરવહીઓ ગુમ થવાની ઘટના બે મહિના પહેલા બની હતી. જે અંગે ગત 12 જુલાઇએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસમાં પોલીસને સની ચૌધરી અને…

39 દિવસ પહેલાં જન્મેલી બાળકીને માતાએ 14મા માળેથી ફેંકી દીધી

આરોપી માતા વિકલાંગ છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે, હજુ મહિલાની ધરપકડ કરવામાં નથી આવી મુંબઈ દેશની આર્થિક રાજધાની મુંબઈના મુલુંડથી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. 39 દિવસ પહેલા જન્મેલી માસૂમ બાળકીને તેમની માતાએ 14માં માળેથી ફેંકી દઈને કરૂણ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપી માતા વિકલાંગ છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો…

ભારતના દરેક ગામના રમતગમત મહારથીઓને ઓળખવા જરૂરીઃ મોદી

વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની વારાણસીની આ 31મી મુલાકાત, રાજ્યને રૂ. 1,565 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી વારાણસી વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વારાણસીના ગંજારીમાં પૂર્વાંચલના પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની વારાણસીની આ 31મી…

ગત નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી 39.4 ટકા પર પહોંચી

દયનીય આર્થિક હાલતને લીધે વધુ 12.5 મિલિયન લોકો ગરીબી રેખા નીધે ધકેલાતાં  કુલ 95 મિલિયન લોકો ગરીબીના ભરડામાં ફસાઈ ગયા કરાંચી દુનિયાના પ્રમુખ મંચો પર વારંવાર કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનની સ્થિતિ સુધરી જ રહી નથી. વર્લ્ડ બેન્કે કહ્યું કે પાકિસ્તાનમાં ગત નાણાકીય વર્ષમાં ગરીબી 39.4 ટકાએ પહોંચી ગઈ છે અને દયનીય આર્થિક હાલતને લીધે વધુ…