કોંગ્રેસે ઈસરોની સ્થાપના માટે જવાહરલાલ નેહરુના યોગદાનની પ્રશંસા કરી

વિપક્ષી પાર્ટીઓ તેમના નેતાઓના પ્રયાસોને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે શાસક પક્ષનો દાવો છે કે 2014 પછી આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે નવી દિલ્હીકોંગ્રેસે ઈસરોની સ્થાપના માટે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના યોગદાનની પ્રશંસા કરી છે. કોંગ્રેસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં નેહરુ અને…

બેંગલુરૂમાં લિવઈન પાર્ટનરની કૂકર ફટકારીને પ્રેમીએ હત્યા કરી

પોલીસે આરોપીની ધરપકડ કરી, આરોપીનું નામ વૈષ્ણવ છે અને તે કેરળના કોલ્લમનો રહેવાસી છે બેંગલુરુદેશમાં લિવ-ઈન પાર્ટનરોની હત્યાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત લિવ-ઈન માં રહી રહેલી પ્રેમિકાને તેને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના બેંગલુરની છે. ત્યાં એક વ્યક્તિએ અફેરની શંકામાં પોતાની લિવ-ઈન પાર્ટનરની પ્રેશર કુકરથી હત્યા કરી નાખી છે. આ મામલે…

ગાડી પરથી પડી જનારા કર્મીને લાખ સિંગાપોર ડોલર વળતર ચુકવવા આદેશ

રામાલિંગમ મુરુગન કંપનીની ગાડીમાં કામ કરવા જતા હતા ત્યારે તે ગાડીમાંથી પડી જતા તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું ચેન્નાઈતમિલનાડુના એક ભારતીય વ્યક્તિનું સિંગાપોરમાં કામ કરવા ખચાખચ ભરેલી કંપનીની ગાડીમાં જતા હતા તે દરમિયાન ગાડી પરથી પડી ગયા હતા. આ માટે તેણે નોકરીદાતાઓ સામે કેસ કર્યો હતો. આ કેસમાં નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હતો જેમાં કંપનીને…

જી20 માટે દિલ્હીને શણગારવા મુદ્દે ભાજપ-આપ વચ્ચે ધમાસાણ

ભાજપનો દાવો છે કે દિલ્હીને શણગારવાનું કામ કેન્દ્ર સરકારના ફંડથી કરાયું છે, તેના પર આપ દ્વારા તીખા પ્રહાર કરાયા નવી દિલ્હીઆગામી મહિને યોજાનાર ત્રણ દિવસના જી-20 શિખર સંમેલન પૂર્વે દિલ્હીને શણગારવા મુદ્દે ભાજપ (ભાજપ) અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ઘમસાણ શરૂ થઈ ગયું છે. ભાજપનો દાવો છે કે દિલ્હીને શણગારવાનું કામ કેન્દ્ર સરકારના ફંડથી…

બે વર્ષની બાળકીનું ઓક્સિજન ઘટતાં વિમાનમાં હાજર ડૉક્ટર્સે જીવ બચાવ્યો

એઆઈઆઈએમએસના ડૉક્ટરોએ બાળકીને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેને આઈવી કેનુલા લગાવ્યો અને ઓક્સિજન સપોર્ટ આપ્યું બેંગલુરૂબેંગ્લુરુથી દિલ્હી આવતી ફ્લાઇટમાં હૃદયરોગથી પીડિતાની બે વર્ષની બાળકી અચાનક બેભાન થઈ ગઇ હતી. ઓક્સિજનના અભાવે તેના શરીરનો રંગ બદલાવા લાગ્યો હતો અને તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. આ જ કારણે વિસ્ટારા એરલાઇન્સની ફ્લાઇટમાં હેલ્થ ઈમરજન્સી…

સીકરની પ્રિયન સેને મિસ અર્થ ઈન્ડિયા 2023નો ખિતાબ જીત્યો

પ્રિયન સેન 16 ફીનાલીસ્ટમાં મિસ અર્થ ઇન્ડિયા 2023નો ખિતાબ જીતી, ડિસેમ્બરમાં વિયેતનામમાં ઈન્ટરનેશનલ બ્યુટી પૈજંટ મિસ અર્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે નવી દિલ્હીસીકર, રાજસ્થાનમાં રહેનાર પ્રિયન સેને મિસ અર્થ ઇન્ડિયા 2023નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ખિતાબ મેળવનાર તે પ્રથમ રાજસ્થાની છે. આ ઇવેન્ટનું આયોજન ડિવાઈન બ્યુટીના દીપક અગ્રવાલ દ્વારા દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડીયમમાં કરવામાં…

ઈન્ડિયન ઓઈલે સંજીવ કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો

શેફ સંજીવ કપૂરને દર્શાવતી નવી એક્સ્ટ્રાતેજ ટીવી કમર્શિયલનું અનાવરણ કરવામાં આવ્યું બેંગલુરૂઇન્ડિયન ઓઇલે તેની નવી ઇન્ડેન એક્સ્ટ્રાતેજ એલપીજી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર સાથે જોડાણની ગર્વપૂર્વક જાહેરાત કરી હતી. આ જાહેરાત બેંગાલુરુમાં રાંધણકળાની ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગનાજ્ઞાનના સંગમ એવી પ્રતિષ્ઠિત ઇન્ડેન એક્સ્ટ્રાતેજ હોટેલિયર હાર્મની મીટમાં કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શેફ સંજીવ કપૂરને…

એશિયન પેઈન્ટ્સે ‘સ્માર્ટકેર હાઈડ્રોલોક એક્ટ્રીમ લોન્ચ કર્યું

હાઇડ્રોલોક એક્સટ્રીમ તીવ્ર વોટરપ્રૂફીંગની સમસ્યાઓ જેમ કે ભેજ અને એફ્લરેસન્સ સામે અતુલનીય રક્ષણ પ્રદાન કરે છે મુંબઈહવે પાણીના લીકેજને વિદાય આપો કેમ કે એશિયન પેઇન્ટ્સ ‘સ્માર્ટકેર હાઈડ્રોલોક એક્ટ્રીમ સાથે એકશનમાં આવી ગઇ છે, જે બ્રાન્ડ એમ્બેસેડર રણબીર કપૂર અને પીવી સિંધુ સાથે ઇન્ટેરિયર વોટરપ્રૂફીંગ માટેનો અંતિમ ઉકેલ છે. કાર્યરત ફીચર્સની રેન્જ સાથે હાઇડ્રોલોક એક્સટ્રીમ તીવ્ર…

સેન્સેક્સમાં 110 અને નિફ્ટીમાં 40 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા મુંબઈસપ્તાહના પહેલા દિવસે આજે માર્કેટમાં તેજી જોવા મળી હતી, સવારથી ખુલતા માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયેલો રહ્યો. દિવસના અંતે સ્ટૉક માર્કેટમાં બે મોટા ઇન્ડેક્સ બીએસએઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. દિવસના કારોબારના અંતે આજે બીએસઇનો ઇન્ડેક્સ…

તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેવું પડશે

બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું અમદાવાદગુજરાતીઓને મહાઠગ કહેવાના નિવેદનને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. આ નિવેદનને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું…

પુતિનના ભારત આવવા અંગે રાષ્ટ્રપતિ કાર્યલય જ જાહેરાત કરી શકે

રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવ સાથે પત્રકારોએ વાત કરતા તેમણે સ્પષ્ટ ઉત્તર આપ્યો નવી દિલ્હીરશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે… હજુ પણ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની કોઈ સંભાવના જોવા મળી રહી નથી… ત્યારે આગામી મહિને ભારતમાં જી20 શિખર સંમેલન યોજાવાનું છે. ઉપરાંત એવા અહેવાલ પણ વહેતા થયા છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

હિમાચલમાં વરસાદી આફતથી આસપાસના રાજ્યોના અનેક હાઈવે બંધ

રસ્તાઓ બંધ હોવાથી બાંધકામ સામગ્રીના કન્સાઈનમેન્ટ લઈ જતી હજારો ટ્રકો ફસાતાં. સળીયા, સિમેન્ટ અને બિટ્યુમેનનો સપ્લાય બંધ થવાથી બાંધકામ કંપનીઓની મુશ્કેલી વધી લદાખહિમાચલ પ્રદેશમાં આવેલી આપત્તિ કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદ્દાખના વિકાસ પર ભારે અસર કરી રહી છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે કિરાતપુર મનાલી ફોરલેન મંડી જિલ્લામાં સિક્સ લેઈન સહિત અનેક રસ્તાઓ છેલ્લા 15 દિવસથી…

રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સદી ફટકારવી જોઈએઃ આકાશ ચોપરા

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા – આ પ્રકારની લાગણીનું કારણ છે શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી નવી મુંબઇટીમ ઇન્ડિયાને આવતા મહિને બે મોટી ટૂર્નામેન્ટ રમવાની છે. એશિયા કપ અને વર્લ્ડ કપ તેથી જ ભારતીય ટીમ એશિયા કપ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. આ પછી તરત જ ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી રમવાની છે. વર્લ્ડ…

હવેથી 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશેઃ મોદી

લખનઉ સ્થિત શિયા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ આ નામને લઈને વાંધો ઉઠાવ્યો નવી દિલ્હીભારત માટે બુધવારનો દિવસ ઈતિહાસમાં નોંધાય ગયો છે કેમકે આ દિવસે ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થયુ હતું અને આમ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો. આ સિદ્ધિ પર પીએમ મોદીએ આજે જાહેરાત કરી હતી કે જ્યાં ચંદ્રયાન…

ઓગસ્ટ કોરો, સપ્ટેમ્બરમાં વરસાદ નહીં પડે તો પાણીની તંગીનાં એંધાણ

વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત કફોડી થશે, જળાશયોમાં પુરતો પાણીનો જથ્થો છે પણ પીવાના પાણીને બાદ કરતાં સિંચાઈ માટે કેટલું પાણી મળશે એ તો સરકાર જ નક્કી કરશે અમદાવાદરાજ્યમાં અત્યારસુધી સરેરાશ 28 ઈંચ સાથે મોસમનો 80 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્ય માટે ઓગસ્ટ મહિનો હજુ સુધી સામાન્ય રહ્યો છે અને જેમાં અત્યારસુધી સરેરાશ પોણો ઈંચ…

ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે કહેનારા રમેશચંદ્ર ફેફરની અટકાયત

હિન્દુ ધર્મના તમામ મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે રાજકોટરાજકોટમાં પૂર્વ સરકારી કર્મચારી અને પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશચંદ્ર એચ. ફેફરે ફરી એક નવો બફાટ કર્યો છે. આ વખતે તેમણે વિવાદિત ધાર્મિક ટિપ્પણી કરી છે. રાજકોટ પોલીસે તેમની વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે અટકાયત…

જાણ્યા-સમજ્યા વીના ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા સીઆરપીએફના જવાનોને સુચના

યૂનિફોર્મમાં પોતાના વીડિયો કે ફોટો અપલોડ ન કરવા અને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન મિત્રતા ન કરવા તંત્ર દ્વારા સુચના અપાઈ નવી દિલ્હીસેનાના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સૂચના આપવામાં આવી છે. સીઆરપીએફએ પોતાના જવાનોને જાણ્યા-સમજ્યા વગર ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફોટો અપલોડ કરવામાં પણ સાવધાની રાખવા માટે જણાવ્યું છે કારણ…

વન-ડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવશેઃ સેહવાગ

આઈસીસીએ વીરેન્દ્ર સેહવાગનો આ વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો નવી દિલ્હીપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે હાલમાં જ આવનારા વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનું નામ લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. સેહવાગનું કહેવું છે કે ભારતીય હોવાને કારણે તે આ માટે ભારતીય ખેલાડીની પસંદગી કરશે, પરંતુ અહીં તેણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન…

વર્લ્ડ કપ ક્રિકેટની ટિકિટ વેચાણની વેબસાઈટ પહેલા દિવસે જ ક્રેશ

ક્રિકેટ ચાહકોને ટિકિટ બુક કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, હાલમાં એવી મેચોની ટિકિટોનું વેચાણ થઇ રહ્યું છે જેમાં ભારત નથી રમી રહ્યું નવી દિલ્હીભારત દ્વારા યોજાનારી ક્રિકેટની મેગા-ઇવેન્ટ વનડે વર્લ્ડ કપ 5મી ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. આ પહેલીવાર છે જ્યારે સમગ્ર વિશ્વકપનું આયોજન ભારતમાં થવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ આ મેગા ઈવેન્ટ…

બોગસ સ્પોન્શરશિપથી નોકરી મેળવનારા ફાયર વિભાગના આઠને નોટિસ

બે ડીવીઝનલ ઓફિસર ઉપરાંત પાંચ સ્ટેશન ઓફિસર તથા એક સબ ઓફિસરને સાત દિવસમાં નોટિસનો જવાબ કરવા આદેશ કરાયો અમદાવાદફાયર વિભાગમાં પણ બોગસ સ્પોન્સરશીપના આધારે કેટલાક અધિકારીઓએ નોકરી મેળવી હોવાનું બહાર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ શરુ કરવામા આવી હતી. દરમિયાન વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કેટલાક અધિકારીઓના પ્રોબેશન પિરીયડમાં વધારો કરવાનો…