ભારતને ધમકાવનારા યુએસએ જ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદ્યું

રશિયન અખબારના દાવા અનુસાર અમેરિકાએ 35 લાખ ડોલરનુ ઓઈલ રશિયા પાસેથી ખરીદયુ છે અને આ ઓઈલ અમેરિકા પહોંચી પણ ગયુ છે મોસ્કોરશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરુ થયુ તે બાદ અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોએ રશિયા પર જાત જાતના પ્રતિબંધો લાગુ કર્યા હતા. જેમાં રશિયા પાસે ક્રુડ ઓઈલ નહીં ખરીદવાના નિર્ણયનો પણ સમાવેશ થતો હતો.જોકે…

2024ના વર્ષમાં વિશ્વમાં બેરોજગારી અને મોંઘવારી વધવાની શક્યતા

જી-20 સંગઠનના સભ્ય દેશોમાં શ્રમિકોને અપાતા વાસ્તવિક મહેનાતાણામાં ઘટાડો થયો છે, કારણકે મહેનાતાણામાં જે પણ વધારો થયો છે તેના કરતા મોંઘાવારી વધારે છે ન્યૂયોર્ક2024ના વર્ષમાં બેરોજગારી અને મોંઘવારી વધશે તેવી ચેતવણી યુનાઈટેડ નેશન્સની એજન્સી ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને આપી છે.એજન્સીના કહેવા પ્રમાણે બેકારીનો દર કોરોનાની મહામારી ફેલાઈ તે પહેલાના સ્તર કરતા ઓછો છે પણ વૈશ્વિક સ્તરે…

અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાયઃ કોંગ્રેસ

પ્રાણ પ્રતિષ્ઠા નિયમો અનુસાર થઈ રહ્યો ન હોઈ શંકરાચાર્યો અયોધ્યામાં રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં તેઓ હાજર રહેશે નહીં નવી દિલ્હીઅયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસ ફરી એકવાર રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ભાજપનો રાજકીય ક્રાર્યક્રમ ગણાવ્યો છે.કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આજે પ્રત્રકાર…

યુક્રેને પુનઃનિર્માણ માટે ભારત પાસેથી મદદ માગી

યુક્રેનના ડેપ્યુટી ફાઈનાન્સ મિનિસ્ટર વોલોદમેર કૂજયોએ ગુજરાતમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનમાં પોતાના દેશની ઈકોનોમીને ફરી પાટા પર ચઢાવવાનો પ્લાન રજૂ કર્યો કીવરશિયાના ભીષણ હુમલાઓના કારણે બરબાદ થઈ રહેલા યુક્રેને ભારત પાસે મદદ માંગી છે.યુક્રેનનુ કહેવુ છે કે, દેશ તબાહ થઈ ગયો છે અને ઈકોનોમી ખાડે ગઈ છે ત્યારે દેશમાં પુન નિર્માણ માટે ભારત મદદ કરે….

આઈએમએફએ પાકિસ્તાનને 700 મિલિયન ડૉલરની વધુ એક લોન મંજૂર કરી

પાકિસ્તાને આર્થિક સુધારા માટે બનાવેલા કાર્યક્રમનો રિવ્યૂ કર્યા બાદ આઈએમએફે ઉપરોક્ત નિર્ણય લીધો ઈસ્લામાબાદમોંઘવારી અને આર્થિક કંગાળી વચ્ચે લોન માટે આઈએમએફ( ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) સમક્ષ કરેલી કાકલૂદીઓ પાકિસ્તાનને ફળી રહી છે. પાકિસ્તાનને આઈએમએફ દ્વારા 700 મિલિયન ડોલરની વધુ એક લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.વિદેશી હુંડિયામણની તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે આ લોન રાહતરૂપ બનશે….

રામ મંદિરમાં તમામ ધર્મના લોકોને પ્રવેશ મળશેઃ મંદિર નિર્માણ અધ્યક્ષની સ્પષ્ટતા

મંદિરમાં આવવા માટે ધર્મ, જાતિ કે ઓળખ પત્રની જરૂર નથી, આ સનાતનનું મંદિર છે, અહીં તમામ લોકો આવી શકે છેઃ નૃપેન્દ્ર મિશ્રા લખનૌરામ મંદિરના ઉદ્ધાટન પહેલા મંદિર નિર્માણના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરને લઈને તમામ જાણકારીઓ આપી છે.500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ…

દેશમાં કોરોનાના જેએન.1 વેરિયન્ટના કુલ કેશ 1013 પર પહોંચ્યા

કોરોના મહામારીના આંકડાઓ પર નજર કરીએ તો, કોરોનાને કારણે વૈશ્વિક સંક્રમણ અને મૃત્યુના મામલામાં ભારત હજુ પણ બીજા સ્થાને નવી દિલ્હીદેશભરમાં કોરોનાનો કેર વધી રહ્યો છે અને નવા વેરિયન્ટ જેએન.1ના કેસોની વધતી સંખ્યા હવે ડરાવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર દેશમાં કોવિડના 609 નવા કેસ નોંધાયા છે જ્યારે સંક્રમણના એક્ટિવ કેસની…

પાકિસ્તાને જંગલમાં આગ લગાવતા છેક જમ્મુ-કાશ્મીર સુધી ખળભળાટ

જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા સુધી લાગેલી આગ પર કાબુ મેળવવા સેના પ્રયાસ કરી રહ્યું છે, બોર્ડર પર પણ હાઈએલર્ટ જારી નવી દિલ્હીપાકિસ્તાને જંગલમાં આગ લગાવતા છેક જમ્મુ-કાશ્મીર સુધી ખળભળાટ મચ્યો છે. પડોશી દુશ્મને સરહદ નજીક જંગલમાં આગ લગાવતા ત્યાં બિછાવેલી લેન્ડમાઈનમાં ધડાધડ બ્લાસ્ટ થઈ રહ્યા છે, જેનો અવાજ છેક જમ્મુ-કાશ્મીર સુધી સંભળાઈ રહ્યો…

હૂથી વિદ્રોહીઓની યુએસ-યુકેને બદલો લેવાની ચેતવણી

અમેરિકા અને યૂકેના હુમલા બાદ હૂથીઓએ પણ યુદ્ધનું એલાન કરતા જવાબી હુમલા શરૂ કરી દીધા, સાઉદીની સંયમની સલાહ વોશિંગ્ટનઅમેરિકા અને યુકેની સેનાએ યમનમાં હૂથી વિદ્રોહીઓના ઠેકાણા પર હુમલા શરૂ કર્યા છે. જેના પર હૂથી વિદ્રોહીઓએ અમેરિકા અને યૂકેને ચેતવણી આપતા કહ્યુ છે કે આ આક્રમકતાની તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. મહત્વનું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ…

સેન્સેક્સમાં 847 અને નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ તરફ આગળ વધ્યા મુંબઈશેરબજારનો કારોબાર શુક્રવારે બમ્પર તેજી સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 847 પોઈન્ટના ઉછાળા સાથે 72568 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો હતો. જો નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો તે 247 પોઈન્ટના વધારા સાથે 21894 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો છે….

ઓસી.માં રોહિતને ફેન્સે અપશબ્દો કહેતા ઝઘડો થયો હતો

રોહિતના ફેન્સ સાથેના ઝઘડામં પોતે સામેલ થયાનો પ્રવીણ કુમારનો ખુલાસો મુંબઈ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમારે એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન એ ઘટનાને યાદ કરી જયારે ભારતીય ફેન્સ રોહિત શર્માને અપશબ્દો કહી રહ્યા હતા. આ ઘટના વર્ષ 2012ની છે, જયારે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. આ દરમિયાન રોહિતને ફેન્સના અપશબ્દો સાંભળવા પડ્યા હતા….

પૂર્વ મંત્રીએ પરિવાર સાથે પ્લેટફોર્મ પર બેસીને ટ્રેનની રાહ જોઇ

લોકો તસવીરને લાઈક અને કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે નવી દિલ્હી આ દિવસોમાં પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો વાયરલ થવાનું કારણ તેમની સાદગી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે. પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુનો આ ફોટો હૈદરાબાદ…

દુબઈનું જેદ્ધા ટાવર કથિત રીતે 1,000 મીટરથી વધુ ઊંચુ હશે

જેદ્ધા ઈકોનોમિક કંપનીની ઈમારત લક્ઝરી રેસિડેન્ટ, ઓફિસ પ્લેસ, સર્વિસ્ડ એપાર્ટમેન્ટ અને લગ્ઝરી કોન્ડોમિનિયમનું મિશ્રણ દુબઈ 14 વર્ષ પહેલા દુબઈમાં બુર્જ ખલીફા 828 મીટરની ઊંચાઈ સુધી પહોંચીને વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ બની ગઈ હતી. આને ઘણા રેકોર્ડ બનાવ્યા અને ફેમસ થઈ ગઈ. બુર્જ ખલીફાનું નિર્માણ 2004માં શરૂ થયુ અને તેને સત્તાવાર રીતે 2010માં ખોલવામાં આવી. ઈમારતને…

હવે સ્માર્ટ ફોન હવામાં ચાર્જ થઈ જશે

સ્માર્ટફોન કલર ચેન્જીંગ ટેક્નોલોજી ઈ-શિફ્ટ, એર ચાર્જ અને ઈનફિક્સ એક્સ્ટ્રીમ-ટેમ્પ રજૂ કરાયું નવી દિલ્હી હાલમાં લાસ વેગાસમાં કન્ઝ્યુમર્સ ઈલેક્ટ્રોનિક્સ શો ચાલી રહ્યો છે. આ જે આ શો નો ત્રીજો દિવસ છે. કંપનીઓ આ શો માં પોતાના અલગ પ્રોડક્ટ્સને લોન્ચ કરી રહી છે.  તેમાં ઈનફિનિક્સે પોતાની ત્રણ નવી ટેક્નોલોજીઓનું પ્રદર્શન કર્યું છે. કંપનીએ સ્માર્ટફોન કલર ચેન્જીંગ…

સિંગાપુરમાં આસિસ્ટન્ટ પોલીસ ઓફિસર તરીકે બીજા દેશોન યુવાનોની ભરતી કરશે

સિંગાપુર પહેલેથી તાઈવાનના જવાનોની પોલીસ ફોર્સમાં ભરતી કરતુ રહ્યુ છે હવે ભારત સહિતના વિદેશીઓને પણ તક મળશે સિંગાપુર સિંગાપુરની સરકાર આસિસટન્ટ પોલીસ ઓફિસર તરીકે બીજા દેશોના યુવાનોની ભરતી કરવા માટે વિચારણા કરી રહી છે અને આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સિંગાપુરના હોમ મિનિસ્ટર કે શનમુગમે કહ્યુ હતુ કે, સિંગાપુર પહેલેથી તાઈવાનના જવાનોની પોલીસ…

એર કેનેડાની ફ્લાઈટમાંથી યુવક દરવાજો ખોલીને કૂદી પડ્યો

આ વ્યક્તિએ વિમાનનો દરવાજો ખોલીને 20 ફૂટની ઉંચાઈ પરથી કુદકો મારતા બીજા મુસાફરોમાં હડકંપ મચી ગયો ટોરન્ટો એર કેનેડાની ફ્લાઈટમાંથી એક યુવક દરવાજો ખોલીને કુદી પડવાની ઘટનાએ ચકચાર મચાવી છે. મળતી વિગતો પ્રમાણે આઠ જાન્યુઆરીએ આ વ્યક્તિ ટોરોન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર કેનેડાની ફ્લાઈટમાં બેઠો હતો.ફ્લાઈટ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહી હતી અને રન…

સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યો

પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું નવી દિલ્હી નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. અલગ-અલગ…

અલબામામાં આરોપીને નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડની સજા

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર આટલી ક્રૂર મોતની સજા આપવામાં આવશે વોશિંગ્ટન અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં અલબામામાં એક વ્યક્તિને એવી મોત આપવામાં આવશે કે જેની ચર્ચા વિશ્વમાં થશે. અમેરિકામાં અલબામામાં એક ફેડરલ ન્યાયાધીશે નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડને મંજૂરી આપી છે, જો ઉચ્ચ અદાલત દ્વારા આ નિર્ણયને રોકવામાં નહીં આવે તો અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર…

અમદાવાદ એરપોર્ટ પરથી 150 મુસાફર સાથે અયોધ્યાની પહેલી ફ્લાઈટની ઊડાન

અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ વિમાન સેવા શરૂ કરતા અનેક સંતો-ભક્તો અયોધ્યા જઈને રામલલાના દર્શન કરી શકશે અમદાવાદ અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કરાશે,જેમાં ભક્તો ભાગ લઇ શકે તે માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદ એરપોર્ટ પરથી 150 પ્રવાસી સાથેની અયોધ્યાની પહેલી ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ…

શરમમાં ન મુકાવવું પડે એટલે કોંગ્રેસ અયોધ્યા આવવાનું ટાળ્યુઃ સત્યેન્દ્ર દાસ

કોંગ્રેસનું મગજ બિલ્કુલ એવી રીતે જ ખરાબ થઈ ગયુ છે જેવું ત્રેતાયુગમાં રાવણનું થઈ ગયું હતુઃ ભાજપના નેતાઓનો કટાક્ષ નવી દિલ્હી કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સામેલ નહીં થશે. કોંગ્રેસ દ્વારા…