બરોડા બીએનપી પારિબા ગિલ્ટ ફંડ 23મી વર્ષગાંઠ ઉજવે છે, રોકાણકારો માટે ચાર ગણી વૃદ્ધિ સાથે રૂ. 1,500 કરોડની એયુએમનો આંકડો વટાવ્યો

મુંબઈ ભારતની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ તેની ફ્લેગશિપ ફિક્સ્ડ ઇન્કમ ઓફરિંગ બરોડા બીએનપી પારિબા ગિલ્ટ ફંડની 23મી વર્ષગાંઠની ઊજવણી કરી રહી છે. આ ફંડે રૂ. 1,500 કરોડનો એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંકડો વટાવ્યાની બેવડી સિદ્ધિ હાંસલ કરી છે જે લાંબા ગાળે સરકારી બોન્ડ વ્યૂહરચનાઓમાં રોકાણકારોનો વધતો વિશ્વાસ દર્શાવે…

બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડનીબે મુખ્ય સિદ્ધી ઃ એયુએમ 2500 કરોડને પાર, ફંડ દ્વારા 21મી વર્ષગાંઠની  ઉજવણી

મુંબઈ  બરોડા બીએનપી પરિબા મલ્ટિકૅપ ફંડે તેની 21મી વર્ષગાંઠની ઉજવણી કરવા સાથે રૂ. 2500 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ને પાર કરવાનું વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. લાર્જ, મિડ અને સ્મોલ કેપ શેરોના મિશ્રણની રચના કરતા તેના સુસંતુલિત પોર્ટફોલિયો માટે જાણીતી, આ યોજનાએ ટૂંકા અને મધ્યમ ગાળાના સમયગાળા (અનુક્રમે એક વર્ષ અને ત્રણ-વર્ષ) માટે તેના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં સતત આઉટપરફોર્મ કર્યું છે. બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડની શરૂઆત થઈ ત્યારથી જ મજબૂત વળતર મેળવવા માગતા રોકાણકારો માટે એક આકર્ષક પસંદગી  રહ્યું છે. એક રોકાણકાર  જેણે સ્કીમની શરૂઆતથી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા માસિક રૂ. 10,000નું રોકાણ કર્યું હશે, આજે તેમનું રોકાણ વધીને રૂ. 1.58 કરોડથી વધુ થશે. ફંડનો 1.11નો શાર્પ રેશિયો મજબૂત જોખમ-સમાયોજિત વળતર આપવાની તેની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે તેનો એક કરતા ઓછો બીટા સૂચવે છે કે આ વળતર મર્યાદિત નુકસાનના જોખમ સાથે પ્રાપ્ત થયું છે. સ્કીમનું પ્રદર્શન મ્યુચ્યુઅલ ફંડના ‘ટુગેધર ફોર મોર’ના બ્રાન્ડ વચનનું પ્રમાણ છે. બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડ મલ્ટિ-કેપ ઈન્ડેક્સ માળખાનો લાભ લે છે, જે ફંડ મેનેજરોને મીડિયા, ટેક્સટાઈલ અને ફોરેસ્ટ મટિરિયલ્સ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં રોકાણ કરવાની સુગમતા પ્રદાન કરે છે જેને મોટાભાગે લાર્જ-કેપ ઈન્ડેક્સમાં સ્થાન નથી હોતું. આ વ્યાપક વૈવિધ્યતા ફંડને વિકાસની અનન્ય તકોનો ઉપયોગ કરવા અને વિવિધ આર્થિક ચક્રોમાં જોખમોને ઘટાડવા માટે સક્ષમ બનાવે છે. 40-60 શેરોના વૈવિધ્યસભર પોર્ટફોલિયોને જાળવી રાખવાનો હેતુ ધરાવતી આ યોજના, વૈવિધ્યકરણ સાથે વૃદ્ધિ ઇચ્છતા રોકાણકારો, પ્રથમ વખતના રોકાણકારો એક જ ફંડ દ્વારા માર્કેટ કેપમાં રોકાણ શોધી રહેલા અને ભારતની વૃદ્ધિ ગાથામાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે આદર્શ છે. આ યોજનાનું સંચાલન ચાવલા દ્વારા ફ્લેગશિપ પ્રોડક્ટના નિયુક્ત ફંડ મેનેજર તરીકે કરવામાં આવે છે.