મુંબઈ
ભારતની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ તેની ફ્લેગશિપ ફિક્સ્ડ ઇન્કમ ઓફરિંગ બરોડા બીએનપી પારિબા ગિલ્ટ ફંડની 23મી વર્ષગાંઠની ઊજવણી કરી રહી છે. આ ફંડે રૂ. 1,500 કરોડનો એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંકડો વટાવ્યાની બેવડી સિદ્ધિ હાંસલ કરી છે જે લાંબા ગાળે સરકારી બોન્ડ વ્યૂહરચનાઓમાં રોકાણકારોનો વધતો વિશ્વાસ દર્શાવે છે.

શરૂઆતથી જ બરોડા બીએનપી પારિબા ગિલ્ટ ફંડે લાંબા ગાળાના વળતર આપ્યા છે. આ ફંડમાં રૂ. 10,000નું પ્રારંભિક રોકાણ 31 માર્ચ, 2025ના રોજ રૂ. 41,919.60 થયું છે જે ચાર ગણાથી વધુનો વધારો છે. છેલ્લા 12 મહિનામાં જ સ્કીમના રેગ્યુલર પ્લાને 9.61 ટકાનું પ્રભાવશાળી વળતર આપ્યું છે જે તેને મૂડીમાં વૃદ્ધિની સંભાવના ધરાવતા ઓછું જોખમ, લાંબા ગાળાના ડેટ ઇન્વેસ્ટમેન્ટ ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ પસંદગી બનાવે છે.
બરોડા પીએનબી પારિબા મ્યુચ્યુઅલ ફંડ ખાતે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ફિક્સ્ડ ઇન્કમ પ્રશાંત પિમ્પલે અને સીએફએ, સિનિયર ફંડ મેનેજર ગુરવિંદર સિંહ વાસન દ્વારા સંચાલિત આ સ્કીમ ઉચ્ચ ગુણવત્તાની, જોખમોથી મુક્ત સરકારી જામીનગીરીઓ અને સ્ટેટ ડેવલપમેન્ટ લોન (એસડીએલ)માં નાણાં રોકે છે. ફંડ આરબીઆઈ દ્વારા વ્યાજ દરોમાં અપેક્ષિત કાપથી લાભ મેળવવા માટે વ્યૂહાત્મક સમયગાળો પસંદ કરે છે જે તેને ઘટતા વ્યાજ દરના માહોલમાં લાભ લેવા ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ પસંદગી બનાવે છે. આરબીઆઈની તાજેતરની નાણાં નીતિમાં તેનું વલણ અકોમોડેટિવથી બદલીને ન્યૂટ્રલ કર્યું હોવાથી આના જેવી સ્કીમ મૂડીમાં વૃદ્ધિનો લાભ લેવા માટેની સારી સ્થિતિમાં છે જેનું પરિણામ આરબીઆઈના રેપો રેટમાં કાપથી મળશે.
બરોડા બીએનપા પારિબા એસેટ મેનેજમેન્ટ (ઈન્ડિયા)ના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ફિક્સ્ડ ઇન્કમ પ્રશાંત પિમ્પલેએ જણાવ્યું હતું કે અમે બેન્ચમાર્ક 10 વર્ષ સરકારી જામીનગીરી સિક્યોરિટીના સમયગાળાથી નજીક હોય તેવો પોર્ટફોલિયો સમયગાળો આગળ ધપાવવાની અપેક્ષા રાખીએ છીએ. આ અમારા એ મત પર આધારિત છે કે ફુગાવા સાથે એડજસ્ટેડ વાસ્તવિક દરો હજુય પોઝિટિવ ઝોનમાં હોવાથી વ્યાજ દરો નીચા આવી શકે છે. બરોડા બીએનપી પારિબા ગિલ્ટ ફંડનો પોર્ટફોલિયો સરકારી જામીનગીરીઓ અને એસડીએલ વચ્ચેના સ્પ્રેડથી તથા ભારતના બોન્ડ માર્કેટ્સ માટે હકારાત્મક ફંડામેન્ટલ્સ દ્વારા સંચાલિત યિલ્ડ કર્વના હળવા થવાની અમારી અપેક્ષાઓથી સક્રિયપણે લાભ મેળવવાની સ્થિતિમાં છે.
ફંડે ઝીરો ડિફોલ્ટ રિસ્ક જાળવી રાખ્યું છે જે સ્થિર અને સુરક્ષિત વળતર સુનિશ્ચિત કરે છે. તેની વધતી એયુએમ અને સતત કામગીરી તેને ભારતમાં શ્રેષ્ઠ ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ પૈકીના એક તરીકે તેની સ્થિતિ પુનઃમજબૂત કરે છે.