મંગલદીપ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન અને વિદ્યાર્થી અભિનંદન કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા શાખાના સહયોગથી સંસ્કારમય ઉજવણી, નવા વાડજ ખાતે વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદરભાવનો સંદેશ અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે નવા વાડજ સ્થિત મંગલદીપ વિદ્યાલયમાં ભારત વિકાસ પરિષદ, ઘાટલોડિયા શાખાના સહયોગથી ‘ગુરુ વંદન – વિદ્યાર્થી અભિનંદન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સંવર્ધન…

હીરામણિ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક દ્વારા, પ્રવચન, વકૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. જેમકે ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને…