પૂર્વમંત્રી ગિરીશ પરમાર ભાજપ અને રાજ્ય સરકારની  આબરૂનું ધોવાણ કરવા નીકળ્યા, નશાબંધી મંડળ,  ગુજરાતના પ્રમુખ જાતે બની બેઠા

અમદાવાદ રાજ્યના નશાના બંધાણી લોકોને નશાના બંધનમાંથી મુક્ત કરાવવાનું કાર્ય કરતી સંસ્થા નશાબંધી મંડળ, ગુજરાતનાં કેટલાંક ટ્રસ્ટીઓ દ્વારા આચરાયેલી ગેરરીતીઓ અને કૌભાંડનાં સંદર્ભમાં ગુજરાત રાજ્યનાં ચેરીટી કમિશનરે તાજેતરમાં વર્તમાન પ્રમુખ વિવેક દેસાઈની તરફેણમાં સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. ચોંકાવનારી વિગતો એવી છે કે આ ચુકાદાને અવગણીને નશાબંધી મંડળ ગુજરાતનાં પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસનાં અગ્રણી કરસનદાસ સોનેરીએ રાજ્યનાં પૂર્વમંત્રી ગિરીશ પરમારનું શરણું લીધું…

ભાજપનો ખેસ ધારણ કરનારા નેતાઓનો ગુના આચરવા છતાં વાળ પણ વાંકો થતો નથી

અમદાવાદ સત્તાધારી ભાજપના અનેક નેતાઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવા છતાં પક્ષની છત્રછાયામાં તેઓને કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી તેથી જ હજુ પણ ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો પણ ગુનો કરતા ખચકાતા ન હોવાનું જોવા મળે છે. એમ તો નેતાઓને ગુનાઓ સાથે વર્ષો જૂનો નાતો છે પણ છેલ્લા કેટલાક દાયકાઓથી આ પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો…