હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિરમાં ગણેશજીની સ્થાપના

ગણેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ અને વડીલોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાની આરાધના કરી અમદાવાદ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના કેમ્પસમાં આવેલા દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપનાના ધાર્મિક કાર્યક્રમમાં હીરામણિ હૉસ્ટેલ તથા સાંધ્યજીવન કુટિરના ચીફ રેક્ટર જયંતીજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવ સાથે…