અમદાવાદમાં ભારે વરસાદને કારણે શૈક્ષણિક નુકસાન: DEOનો નિર્ણય, રવિવારે શાળાઓ સ્વૈચ્છિક ધોરણે ચાલુ રાખી શકાશે

અભ્યાસક્રમ પાછળ રહી જતાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર; વિદ્યાર્થીઓની સલામતી અને હવામાનને પ્રાધાન્ય આપવા સૂચના અમદાવાદ અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પાછળ રહી ગયો છે. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી…