હુ-મારા બાળકો મોઢું ખોલીશું તો અનેકનાં સત્તાનાં સપનાં ચૂર-ચૂર થઈ જશેઃ સીતા સોરેન

જામા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સીતા સોરેને નામ લીધા વિના હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પર જોરદાર નિશાન સાધ્યુ રાંચી ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોર્ચાના પ્રમુખ શિબૂ સોરેનના મોટા પુત્રવધૂ અને જામા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સીતા સોરેને ભાજપમાં સામેલ થયા બાદ નામ લીધા વિના હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પર જોરદાર નિશાન સાધ્યુ છે. તેમણે…

એક પણ બેઠક ન મળવા છતાં રાજ ઠાકરે એનડીએના બેનરમાં ચૂંટણી લડશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની વચ્ચે વાતચીત સકારાત્મક રહી અને આગામી અમુક દિવસોમાં તસવીર સ્પષ્ટ થઈ જવાની આશા મુંબઈ છેલ્લા અમુક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાવાર એનડીએ ગઠબંધન મહાયુતિમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેને પણ સામેલ કરવાની ચર્ચા જોરોથી ચાલી રહી છે. આ દરમિયાન રાજ ઠાકરેએ…

ગુજરાત, પંજાબ, ઓડિશા-પ.બંગાળમાં ડીએમ અને એસપી બદલવા પંચનો આદેશ

જિલ્લામાં ડીએમ અને એસપીના પદ ક્રમશઃ ભારતીય વહીવટી અને ભારતી પોલીસ સેવાના અધિકારીઓ માટે હોય છે નવી દિલ્હી ચૂંટણી પંચે ફરી એકવાર મોટી કાર્યવાહી કરતાં નોન કેડર ઓફિસર્સની બદલીનો આદેશ જાહેર કર્યો છે. આ વખતે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (એસપી) તરીકે તહેનાત અધિકારીઓની બદલીનો આદેશ જાહેર…

મોદી સરકારે કોંગ્રેસના બેન્ક ખાતા જ નહીં, ભારતની લોકશાહી સીઝ કરીઃ રાહુલ ગાંધી

દેશની સૌથી મોટી પાર્ટીને પંગુ બનાવી દેવાનો પ્રયાસ, મોદી સરકારે દેશના સંસાધનો, મીડિયા અને બંધારણીય તથા ન્યાયિક સંસ્થાનો પર કબજો કરી લીધો નવી દિલ્હી  લોકસભા ચૂંટણી પહેલાં બેન્ક ખાતાઓ ફ્રીઝ થઈ જવા મામલે કોંગ્રેસના હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદને સંબોધતાં મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભાજપ તથા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. પત્રકારોને…

જયપુરના એક મકાન ભિષણ આગથી 5 લોકો જીવતા ભૂંજાયા

વિશ્વકર્માના જૈસલ્યા ગામમાં આગની લપેટમાં આવનારા લોકોમાં 3 બાળકો પણ સામેલ જયપુર  જયપુરના વિશ્વકર્મામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ. અહીં એક મકાનમાં ભીષણ આગ લાગતાં 5 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. વિશ્વકર્માના જૈસલ્યા ગામમાં આગની લપેટમાં આવનારા લોકોમાં 3 બાળકો પણ સામેલ હતા. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. તમામ…

સુપ્રીમ કોર્ટે પીઆઈબી ફેક્ટ ચેક યુનિટ પર પ્રતિબંધ મૂક્યો

સુપ્રીમ કોર્ટની બેન્ચે આ બાબતને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ખતરો ગણાવ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે પીઆઈબી ફેક્ટ ચેક યુનિટ પર પ્રતિબંધ મૂક્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક યુનિટને લઈને બુધવારે જ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં આજે (ગુરુવાર) સુપ્રીમ કોર્ટે ફેક્ટ ચેક યુનિટ (એફસીયુ) પર પ્રતિબંધ…

ચૂંટણી પંચે વોટ્સએપ પર મેસેજ મોકલવા સામે કેન્દ્રની ઝાટકણી કાઢી

આઈટી મંત્રાલયને આદેશ અપાયો છે કે, તેઓ તુરંત યુઝર્સોને વૉટ્સએપ પર મોકલાતા ‘વિકસીત ભારત’ના મેસેજ મોકલવાનું બંધ કરે નવી દિલ્હી મોબાઈલ યુઝર્સોને ‘વિકસીત ભારત સંપર્ક’નો મેસેજ મોકલવા મામલે ચૂંટણી પંચે આજે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે અને તુરંત આવા મેસેજે મોકલવાનું બંધ કરવા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને આદેશ આપ્યો છે. આ મામલે ઘણી…

સ્ટેટ બેંકે આલ્ફા ન્યુમેરિક નંબર સહિતની તમામ વિગતો ચૂંટણી પંચને આપી

એસબીઆઈએ કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો આપી દીધી નવી દિલ્હી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આજે(ગુરુવાર) સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આલ્ફા ન્યુમેરિક નંબર સહિતની તમામ વિગતો ચૂંટણી પંચને આપી છે. એસબીઆઈએ કહ્યું કે,’અમારા તરફથી અત્યારે કોઈ માહિતી ઉપલબ્ધ નથી….

કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર

કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે હાલમાં કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે ઈડીને અરવિંદ કેજરીવાલની અરજી પર બે અઠવાડિયામાં…

મફતની રેવડી સામેની પીઆઈએલ પર સુનાવણી માટે સુપ્રીમ તૈયાર

અરજીમાં રાજકીય પક્ષોના મફતની રેવડી સંબંધિત નિર્ણયોને બંધારણની કલમ 14, 162, 266 (3) અને 282 નું ઉલ્લંઘન ગણાવાયા નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી માટે એક પીઆઈએલ લિસ્ટેડ કરવા પર સહમતિ આપી દીધી છે. આ પીઆઇએલ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન મફતની રેવડી એટલે કે મફત ભેટ કે યોજનાઓનો લાભ આપવાનો વાયદો કરવાની પ્રથા વિરુદ્ધ…

શોભા કરંદલાજેના નિવેદનની સ્ટાલિન દ્વારા ટીકા, કાર્યવાહીની માગ

શોભા કરંદલાજે એવો દાવો કર્યો હતો કે વિસ્ફોટનો આરોપી તમિલનાડુનો રહેવાસી જેમને તામિલનાડુના કૃષ્ણાગિરી જંગલોમાં તાલીમ આપવામાં આવી હતી બેંગલુરૂ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસના આરોપી અંગે કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજે આપેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો, હવે તેમણે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે. શોભા કરંદલાજે એવો દાવો કર્યો હતો કે વિસ્ફોટનો આરોપી…

પીલભિત બેઠક પરથી પત્તું કપાય તો વરૂણ ગાંધી અન્ય પક્ષમાંથી ચૂંટણી લડે એવા સંકેત

ટિકિટની વધતી રાહ વચ્ચે વરુણના શબ્દો બદલાઈ ગયા છે, તાજેતરમાં, એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ દરમિયાન, તેમણે પીલીભીતને મળેલી ભેટો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો નવી દિલ્હી  ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 51 ઉમેદવારોની જાહેરાત કરી છે. સોમવારે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠકમાં યુપીની 25 બેઠકો માટે…

મુસ્લિમ બહુમતી ધરાવતી 100થી વધુ બેઠકો માટે ભાજપનો માસ્ટર પ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં ૧૦ વર્ષના કાર્યકાળમાં મુસ્લીમ સમાજની સ્થિતિમાં બહુ મોટો સુધારો કર્યો, તેને ગરીબીમાંથી બહાર કાઢ્યા હોવાનો દાવો નવી દિલ્હી   ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ મળવાની આશા રાખે છે. પાર્ટીના કાર્યકરો, ભાજપ માટે ૩૦૦ એ એનડીએ ગઠબંધન માટે ૪૦૦થી વધુ બેઠકો મેળવવાની આશા રાખે છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે…

ભારતની 2024ની ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ, 1.20 લાખ કરોડનો ખર્ચ થશે

અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણો ખર્ચ હશે, રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડ તેમજ અન્ય માધ્યમથી કરોડો રૂપિયા એકઠા કર્યા છે નવી દિલ્હી  લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેને પગલે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ બન્ને હાલ ચૂંટણી માટે તૈયાર થઇ ગયા છે. એવામાં એક અનુમાન છે કે ભારતમાં યોજાનારી લોકસભાની આ ચૂંટણી વિશ્વની…

બદાયુંમાં બે બાળકોનો હત્યારો એન્કાઉન્ટર પર ઠાર

બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચાવતા આગચંપી કરી બદાયું ઉત્તર પ્રદેશના બદાયુંમાં ગઈકાલે સાંજે બે નિર્દોષ બાળકોની હત્યા ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. મંડી ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના પછી પોલીસે કાર્યવાહી કરતાં આ કેસમાં એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં…

21 રાજ્યો-કેન્દ્ર શાશિત પ્રદેશોની 102 બેઠકો માટે નોમિનેશન શરૂ

પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બિહાર સહિતના રાજ્યોનો સમાવેશ નવી દિલ્હી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની…

ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર

લગભગ એક અબજ લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે, વધતી જતી પૂરની ઘટનાઓ અને દુષ્કાળે ચિંતા વધારી નવી દિલ્હી ક્લાઈમેટ ચેન્જ  સાથે સંબંધિત એક ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર થવાની છે. માનવીની પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ પેટર્નમાં…

ટોળાએ મંત્રીને ઉમેદવારી માટે કલેક્ટર કચેરીમાં પ્રવેશવા ન દીધા

1991માં હુકુમદેવ નારાયણ યાદવ ફરીથી સીતામઢી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા આવતા ટોળું વિફર્યું અને નેતાના કપડા પણ ફાડી નાખ્યા નવી દિલ્હી લોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી અને વિવાદ અને નેતાઓના કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો બન્યો હતો જ્યારે ટોળાએ મંત્રી પર એટલો ગુસ્સો કર્યો કે તેઓએ ઉમેદવારી…

કોંગ્રેસ- ડીએમકેને હિન્દુ ધર્મનું અપમાન કરવાની આદત થઈ ગઈ છેઃ મોદી

 ડીએમકે અને કોંગ્રેસનું ઈન્ડિયાગઠબંધન બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતું, હિન્દુ ધર્મને અપશબ્દો બોલવામાં તેમને એક સેકેન્ડ નથી લાગતીઃ વડાપ્રધાન નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના સલેમમાં જાહેર સભામાં રાહુલ ગાંધીની ‘શક્તિ’ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિપક્ષી દળનું ‘ઈન્ડિયાગઠબંધન’ વારંવાર ઈરાદાપૂર્વ હિન્દુ ધર્મનું અપમાન કરે છે. તેના સહયોગી દળ કોંગ્રેસ અને ડીએમકેની પ્રવૃતિ હિન્દુ ધર્મનું અપમાન કરવાની આદત થઈ ગઈ છે. હિન્દુ ધર્મ વિરુદ્ધ તેમના દરેક નિવેદન સમજી વિચારીને આપવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ ઈન્ડિયાગઠબંધનના સાથી પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, તમે જુઓ ડીએમકે અને કોંગ્રેસનું ઈન્ડિયાગઠબંધન બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતું. બીજા કોઈ ધર્મ વિરુદ્ધ તેમના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો પરંતુ હિન્દુ ધર્મને અપશબ્દો બોલવામાં તેમને એક સેકેન્ડ નથી લાગતી.  વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીની ‘શક્તિ’ વાળી ટિપ્પણીના જવાબમાં કહ્યું કે, આપણા શાસ્ત્રો સાક્ષી છે કે, વિનાશ એનો જ થાય છે જે શક્તિને ખતમ કરવાનો વિચાર ધરાવે છે. આવા ખતરનાક વિચારોને હરાવવાની શરૂઆત 19 એપ્રિલે સૌથી પહેલા મારું તમિલનાડુ કરશે. હજું તો ચૂંટણી અભિયાનની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું કે, મોદી દેશની નારીશક્તિની દરેક સમસ્યા આગળ ઢાલ બનીને ઊભા છે. મહિલાઓને ધુમાડા મુક્ત જીવન આપવા માટે અમે ઉજ્જવલા એલપીજી ગેસ કનેક્શન આપ્યા છે અમે ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ માટે આયુષ્માન યોજના શરૂ કરી છે. આ તમામ યોજનાઓના કેન્દ્રમાં નારીશક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તમિલનાડુના સાલેમમાં એક રેલીને સંબોધી હતી. પીએમના સ્વાગત માટે 11 મહિલાઓ શક્તિ અમ્માના રૂપમાં આવી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ તેમને જોયા તો તેમને સ્ટેજ પર બોલાવ્યા. આ પછી તે થોડા સમય સુધી મહિલાઓને હાથ જોડીને અભિવાદન કરતા રહ્યા. વાસ્તવમાં, રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં ભાષણ આપતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે સત્તા સાથે લડવું પડશે. પીએમ મોદીએ આને મોટો મુદ્દો બનાવ્યો છે. તેમણે કહ્યું છે કે તે પોતાની માતાઓ અને બહેનોની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકશે. રેલીમાં ભાષણ આપતી વખતે પણ પીએમએ સત્તા મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “ચૂંટણી પ્રચારની શરૂઆત જ થઈ છે, પરંતુ ઈન્ડી એલાયન્સની યોજનાઓ અને તેમનો ઢંઢેરો મુંબઈમાં જ તેમની પ્રથમ રેલીમાં ખુલ્લેઆમ સામે આવ્યો છે. શિવાજી પાર્કમાં ઈન્ડી એલાયન્સે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે તેમની પાસે હિન્દુત્વની શક્તિ છે. આ શક્તિનો નાશ કરવા માટે. તમિલનાડુમાં દરેક વ્યક્તિ જાણે છે કે હિંદુ ધર્મમાં શક્તિ કોને કહેવાય છે.”

ગામ્બિયાના ડેલિગેશને યુનિવર્સિટી હોસ્ટેલની મુલાકાત લીધી

આ બનાવ સંદર્ભે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાક પણ ગુજરાત આવી શકે છે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ અદા કરવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાના વિવાદની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોને ઝડપી પાડ્યા છે તેમજ યુનિવર્સિટી તંત્રએ પણ નવી ગાઈલાઈન જાહેર કરી છે. તો બીજીતરફ ગામ્બિયા દેશનું…