તામિલનાડુમાં ભારે વરસાદથી 10નાં મોત, ભારે તારાજી

દક્ષિણના જિલ્લાઓ, ખાસ કરીને તિરુનેલવેલી અને તુતિકોરીનમાં રેકોર્ડ વરસાદ બાદ પૂરની સ્થિતિ થિરૂવનંતપૂરમ તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી રહી છે. સામાન્ય જનજીવન લગભગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. પૂરની ભયંકર સ્થિતિને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું છે. એક અહેવાલ…

લોકતંત્રને ટૂંપો અપાઈ રહ્યો છેઃ સોનિયા ગાંધી

નહેરુ જેવા મહાન દેશભક્તોને બદનામ કરવા પ્રયાસ, ઈતિહાસ અને ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરીને અભિયાન ચલાવાયાનો આક્ષેપ નવી દિલ્હી સંસદના શિયાળુ સત્રમાંથી વિપક્ષના 141 સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ સંસદીય દળ (સીપીપી) ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા હતા. સીપીપીની બેઠકમાં સોનિયાએ કહ્યું કે લોકતંત્રને ગળે ટૂંપો અપાઈ રહ્યો…

હું છેલ્લા 20 વર્ષથી આ અપમાન સહન કરી રહ્યો છુઃ મોદી

મોદીએ ફોન કરીને ઉપરાષ્ટ્રપતિ સાથે વાત કરીને મિમિક્રીની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું નવી દિલ્હી સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ટેલિફોન આવ્યો હતો. તેમણે કેટલાક સાંસદો દ્વારા ગઈકાલે સંસદ પરિસરમાં કરવામાં આવેલી ઘૃણાસ્પદ હરકત પર…

સુકમામાં પોલીસ સાથેની અથડામણમાં છ નક્સલીઓ ઠાર

ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને કોબ્રા 201 બટાલિયનના જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું સુકમા સુકમા છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ સાથેની અથડામણમાં પાંચથી છ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને કોબ્રા 201 બટાલિયનના જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત…

અમૃતસરમાં એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર ઠાર, એક અધિકારી ઘાયલ

ગેંગસ્ટરની ઓળખ અમૃતપાલ સિંહ ઉર્ફે આમરી તરીકે થઈ છે, આરોપી હત્યા અને હત્યાના પ્રયાસના ચાર ગુનામાં સંડોવાયેલો હતો અમૃતસર અમૃતસરમાં એન્કાઉન્ટરઃ પંજાબના અમૃતસરમાં પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટર જંડિયાલા ગુરુમાં થયું હતું. પોલીસ બલેરો કારમાં મુસાફરી કરી રહેલા બદમાશોનો પીછો કરી રહી હતી. શહેરમાંથી પસાર થતી વખતે બદમાશો શેખફાટા કેનાલ પાસે…

રાજસ્થાનને બ્રાહ્મણ મુખ્યમંત્રી મળવા પર ભાજપનો આભાર માનતા મિશન હમ ભારતના બ્રાહ્મણોના અગ્રણીઓ

નવી દિલ્હી આજે 19મી ડિસેમ્બરે, મિશન હમ ભારત બ્રાહ્મણોના ત્રણ સંયોજકો, શ્રી યોગેશ્વર નારાયણ શર્મા, શ્રી શ્યામ સુંદર સેવાદા અને શ્રી સંજય તિવારી રાજસ્થાનના બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવવા બદલ તેમનો આભાર માનવા માટે ભાજપના નેતાઓને મળ્યા. I.B ના રાષ્ટ્રીય મુખ્યાલય પહોંચ્યા પછી. ભાજપના પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને કૃતજ્ઞતા અને આભાર…

મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવા ઈન્ડિયાનો પ્રસ્તાવ

બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો, સંસદમાં સુરક્ષામાં ચુક, સંસદની શિયાળુ સત્રમાં વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ચર્ચા થઈ નવી દિલ્હીનવી દિલ્હીના અશોક હોટલમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક સમાપ્ત થઈ છે. બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો, સંસદમાં સુરક્ષામાં ચુક, સંસદની શિયાળુ સત્રમાં વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ચર્ચા થઈ છે. ઉપરાંત આગામી લોકસભા…

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી

આ કમિટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, મુકુલ વાનસિક અને મોહન પ્રકાશના નામ સામેલ નવી દિલ્હીઆજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક મંગળવારે સાંજે શરુ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી બનાવી છે.આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક શરુ થાય તે પહેલા…

મોદી પર ટીપ્પણી કેસમાં સંજય રાઉત સામેનો દેશદ્રોહનો કેસ હટાવાયો

આ કેસમાં કાયદાકીય અભિપ્રાય લીધા બાદ પોલીસે કેસમાંથી દેશદ્રોહનો આરોપ હટાવવાનો નિર્ણય કર્યો મુંબઈશિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતને આજે મોટી રાહત મળી છે. મહારાષ્ટ્ર પોલીસે સંજય રાઉત પર લાગેલા દેશદ્રોહના આરોપને હટાવી દીધો છે. અધિકારીએ કહ્યું કે, પોલીસ દ્વારા કાયદાકીય અભિપ્રાય અને અને સલાહ લીધા બાદ રાઉત વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ હટાવી દેવામાં આવ્યો છે.યવતલામ જિલ્લામાં…

સંસદમાંથી વધુ 49 સાંસદો સહિત કુલ 141 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

સોમવારે સંસદમાંથી રેકોર્ડ 79 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યાર પછી મંગળવારે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરાયા નવી દિલ્હીસંસદમાં અત્યારે સત્તાપક્ષ અને વિરોધપક્ષો વચ્ચે જોરદાર ધમાલ ચાલી રહી છે જેમાં વિપક્ષના સાંસદો સામે સસ્પેન્શનનું હથિયાર ઉગાવવામાં આવ્યું છે. આજે લોકસભામાંથી વિપક્ષના 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ વખતે સસ્પેન્ડ થયેલા સાંસદોની સંખ્યા…

અડવાણી-જોશીને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર ન રહેવા અપીલ

બંને વડીલ છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા વિનંતી કરવામાં આવી નવી દિલ્હી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી  નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે હવે મંદિર ટ્રસ્ટના…

ઈન્ડિયામાં ભાગલાના સંકેત, કેજરીવાલ બાદ મમતા પણ આડા ફાટ્યા

 મમતા કોંગ્રેસ માટે માલદા અને બહરામપુર સીટો છોડવા તૈયાર નવી દિલ્હી   ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને જબરજસ્ત ઝટકો લાગે તેમ છે. એક તરફ કેજરીવાલે પંજાબની તમામ ૧૩ સીટો પર આપના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. જ્યારે ટીએમસી નેતા મમતા બેનરજીએ ઉદારતા રાખી કોંગ્રેસને બે સીટો ફાળવવા સૂચન…

મુસ્લિમમ પક્ષની તમામ પાંચ અરજી ફગાવી દેવામાં આવી

હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી તેમજ વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સૂનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો અલ્લાહબાદ જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે. આજે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની…

પ.બંગાળના આગામી મુખ્યમંત્રી તરીકે અભિષેક બેનર્જી હોટફેવરિટ

મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તેમની ફોઈના સ્થાને મુખ્યમંત્રીનું પદ સંભાળશેઃ કુણાલ ઘોષ કોલકાતા 1998માં જ્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસનું ગઠન કર્યું ત્યારે બંગાળમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ તેમની સાથે આવ્યા હતા. જોકે લાંબી લડાઈ બાદ વર્ષ 2011માં જ્યારે તૃણમૂલ કોંગ્રેસે બંગાળની સત્તા પર કબજો કર્યો ત્યારબાદથી રાજ્યના રાજકારણમાં…

પ્રિયાસિંહને કચડનારા આઈએએસના પુત્ર સહિત ત્રણને જામીન

તમામ કલમો જામીનપાત્ર છે અને પૂછપરછ માટે તેમની કસ્ટડીની જરૂર ન હોવાની આરોપીના વકીલની દલીલ મુંબઈ મહારાષ્ટ્રમાં થાણેની એક કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહને પોતાની ગાડી વડે ઈજાગ્રસ્ત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા આઈએએસ અધિકારીના પુત્ર સહિત 3 લોકોને સોમવારે જામીન આપી દીધા છે.  થાણેમાં ઘોડબંદર રોડ પર એક હોટલ નજીક 11 ડિસેમ્બરે થયેલી…

નકલી સંસ્થાના નામે છેતરપિંડી કરતા બેની ગોરખપુર પોલીસે ધરપકડ કરી

યોગી કોર્પોરેશન ગ્રૂપ ઓફ ઈન્ડિયા નામની નકલી સંસ્થા બનાવી ભળતું નામ રાખ્યું હતું અને એડ્રેસ પણ ખોટુ હતું ગોરખપુરઉત્તરપ્રદેશમાં નકલી સંસ્થા બનાવીને લોકોને છેતરતા બે આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની ઓળખ ગોરખપુર મંદિરના નજીકના હોવાનું બતાવીને સેકડો લોકો સાથે છેતરપિંડી કરી છે. તેમની પાસેથી બનાવટી દસ્તાવેજો અને ઓળખકાર્ડ પણ મળી આવ્યા છે….

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને સડક પરિવહન મંત્રાલયનાં અકસ્માતમાં મોતના આંકડામાં તફાવત

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ કહ્યું કે વર્ષ 2022માં પગપાળા જતા 32,825 લોકોએ વાહનોની ટક્કરથી જીવ ગુમાવ્યા, આ કિસ્સામાં, આ એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા ડેટા કરતા 32 ટકા વધુ છે નવી દિલ્હીસરકારી એજન્સી દ્વારા હાલમાં જ દેશના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ચોંકાવનારી બાબત તો એ છે કે આ આંકડાઓમાં મોટો તફાવત…

દેશમાં ક્યારેય ડ્રાયવરલેશ કારને મંજૂરી નહીં અપાયઃ ગડકરી

દુર્ઘટનાઓ ઓછી કરવા માટે સરકારી ઉપાયો માટે ફ્રેમવર્ક તૈયાર કર્યુ છે, જેમાં કારોમાં છ એરબેગ સામેલ કરવી, માર્ગ પર બ્લેક સ્પોટને ઓછા કરવા સહિતની બાબતોનો સમાવેશ નવી દિલ્હીકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે, ડ્રાઈવરોની રોજગારીની ચિંતાને ધ્યાનમાં રાખી તેમની રક્ષા માટે ભારતમાં ડ્રાઈવરલેસ કારો નહીં આવે. એક રિપોર્ટમાં ગડકરીએ કહ્યું કે,…

કોંગી નેતા અધિરરંજન સહિત 33 સાંસદ લોકસભામાંથી સત્ર માટે સસ્પેન્ડ

અત્યાર સુધીમાં કુલ 47 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા, વિપક્ષો ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા હતા નવી દિલ્હીહાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો છે, જેના કારણે…

કેરળમાં કોવિડના કેસ વધતાં કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક પહેરવાની સરકારની સલાહ

સંક્રમણને કાબૂમાં લેવા ફરી એકવાર સામૂહિક ટેસ્ટ શરૂ કરવામાં આવશે, તેમજ જેમને શ્વાસની તકલીફ છે તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે તિરુવનંતપુરમદેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ જેએન-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં તેમણે…