કેન્દ્રએ મુંબઈમાં પીએમએવાય માટે આવકની મર્યાદા 3થી વધારીને છ લાખની કરી

પેટાઃ મહારાષ્ટ્ર સરકારની વિનંતી પર મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે પીએમએવાય હેઠળ એએટપી વર્ટિકલ માટે ઈડબલ્યુએસ આવકના માપદંડને વધારાયો નવી દિલ્હીઆર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) હેઠળ આવતા લોકો જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે તેઓ પણ હવે પીએમ આવાસ યોજનાનો લાભ લઈ શકશે. કેન્દ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ ભાગીદારીમાં…

મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકના જામીન ફગાવાયા

મલિક હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે નવી દિલ્હીબોમ્બે હાઈકોર્ટે એનસીપી નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી દીધી છે. તેમણે એક અરજી દાખલ કરીને મેડિકલ કારણોનો હાવલો આપી જામીન માટે અપીલ કરી હતી. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા…

ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ ચંદ્રયાન-3નું મોડલ લઈને તિરુપતિ મંદિરે પહોંચી

આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ પૂજા અર્ચના કર્યા બાદ તેણે નાનું મોડલ બતાવીને કહ્યું કે આ ચંદ્રયાન-3 છે તિરૂપતિઈસરો આવતીકાલે બપોરે 2.35 વાગ્યે આંધ પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 લોન્ચ કરવાનું છે ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3નું નાનું મોડલ લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિરે સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરવા પહોંચી…

હરિયાણામાં પૂરની સમીક્ષા માટે ગયેલા ધારાસભ્યને મહિલાએ થપ્પ઼ડ માર્યા

આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા તેમને થપ્પડ માર્યા બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી છે, ધારાસભ્યએ મહિલા સામે ફરિયાદ નોંધાવી ચંદિગઢયમુના અને ઘગ્ગર નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી અને હરિયાણાના મોટા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હરિયાણાના એક ગામમાં પૂરની સમીક્ષા કરવા આવેલા જેજેપી ધારાસભ્ય ઈશ્વર…

પ.બંગાળની ચૂંટણી હિંસા માટે મમતાના વિપક્ષો પર પ્રહાર

71,000 બૂથ પર ચૂંટણી યોજાઈ હતી પરંતુ હિંસાની ઘટનાઓ 60 બૂથો પર થઈ હોવાનો બંગાળના મુખ્યપ્રધાનનો દાવો કોલકાતાપશ્ચિમ બંગાળમાં યોજાયેલી પંચાયત ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે જેમાં સત્તાધારી પાર્ટી ટીએમસીએ શાનદાર જીત મેળવી છે. આ જીત બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોનો આભાર માન્યો હતો અને વિપક્ષને ઘેર્યું હતું. આ ઉપરાંત મમતાએ ચૂંટણી દરમિયાન થયેલી હિંસા…

બિહારમાં સરકારી બંગલામાં વધુ સમય રોકાનારા ધારાસભ્યોને લાખોનો દંડ

કાર્યવાહીનો સામનો કરનારા પૂર્વ મંત્રીઓએ મુખ્યમંત્રી, બિહાર બિલ્ડિંગ બાંધકામ વિભાગના મંત્રી અને બિહાર વિધાનસભા સચિવાલયને પત્રો લખીને દંડને અયોગ્ય ગણાવ્યો પટણાબિહારમાં નીતીશ કુમારની આગેવાની હેઠળની સરકારના બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટે રાજ્યની અગાઉની એનડીએ સરકારમાં મંત્રી પદ પર રહેલા ભાજપના કેટલાક ધારાસભ્યો પર સરકારી બંગલામાં નક્કી સમયમર્યાદાથી વધુ સમય રોકાવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. જે ધારાસભ્યોને…

મહારાષ્ટ્રમાં અજિત પવાર જૂથને નાણાં મંત્રાલય મળવાના સંકેત

વિભાગોની વહેંચણીને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી મુંબઈમહારાષ્ટ્રમાં અજિત પવાર સાથે તેમના 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા, જે પછી હજુ સુધી વિભાગોની વહેંચણી કરવામાં આવી નથી. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી. જોકે હવે સૂત્રોના હવાલાથી…

ગુજરાત સહિત દેશના 20થી વધુ રાજ્યોમાં પાંચ દિવસ ભારે વરસાદ,પૂરની આગાહી

ગુજરાતમાં 15-16 જુલાઈ ભારે વરસાદની આગાહી, 7 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 11 રાજ્યોમાં યલ્લો એલર્ટ, સિક્કિમ અને ઉત્તર બંગાળમાં રેડ એલર્ટ જાહેર નવી દિલ્હીદિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ સહિતના રાજ્યો હાલ પૂર, ભુસ્ખલન અને ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઉત્તર ભારતમાં રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી. હવામાન…

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ, 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદશે

આ સોદાઓની કિંમત રુપિયા 90 હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે જો કે આ સોદાની સાચી કિંમત કરારની વાટાઘાટો પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે નવી દિલ્હીભારતે એક મોટા સંરક્ષણ સોદામાં ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ અને 3 સ્કોર્પિન ક્લાસની સબમરીન ખરીદી કરશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આ કરારની મંજૂરી આપી દીધી છે. આ બાબતની…

બિહારમાં ભાજપના નેતાના મોત પર બબાલ, ભાજપે નીતિશ સરકારને હત્યારી કહી

પટણાના ડાકબંગલા ચોક પર પોલીસે ભાજપની રેલી પર બળપ્રયોગ કર્યો, લાઠીચાર્જમાં જહાનાબાદનગરમાં ભાજપના મહામંત્રી વિજય કુમાર સિંહનું મોત થયું પટણાબિહાર વિધાનસભામાં ભારે હંગામો થયા બાદ માર્ચ નિકાળી રહેલા ભાજપ નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. આ ઘટનામાં એક ભાજપ નેતાનું મોત થયું છે. ભાજપ નેતાઓનું કહેવું છે કે, પટણાના ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો…..

દિલ્હીના વીવીઆઈપી સહિત અનેક વિસ્તારમાં પૂરનાં પાણીથી તબાહી

પૂરથી પ્રભાવિત દિલ્હીમાં જળ સંકટ આવવાનું છે, મશીનોમાં પાણી ઘુસી જતાં ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા નવી દિલ્હીઅતિભારે વરસાદ બાદ દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ છે. યમુના નદી તેના સૌથી ખતરનાક સ્વરૂપમાં પહોંચી ગઈ છે. 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટરે પહોંચ્યું હતું. આ રેકોર્ડ બુધવારે (12 જુલાઈ, 2023)ના રોજ તૂટી ગયો. ગુરુવારે સવારે 7…

ભાજપે બાબુભાઈ દેસાઈ, કેસરીસિંહ ઝાલાના નામ જાહેર કર્યા

અગાઉ ભાજપ તરફથી એસ જયશકંર ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે નવી દિલ્હીગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઈએ ચુટણી યોજાનાર છે ત્યારે આજે ભાજપે વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે બાબુભાઈ જેસંગ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાના નામની જાહેરાત કરી છે. આ અગાઉ ભાજપ તરફથી એસ જયશકંર ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે. કેસરીસિંહ…

પ.બંગાળમાં ટીએમસીને 34 હજારથી વધુ બેઠકો સાથે અજેય લિડ

ટીએમસીની નજીકની હરીફ ભાજપે 9,545 બેઠકો, સીપીઆઈ(એમ) એ 2,885 સીટો, કોંગ્રેસે 2,498 સીટો જીતી છે કોલકાતાપશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે. બે વર્ષ પહેલા ટીએમસીએ સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. રાતભર ચાલેલી ગણતરી બાળ રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) દ્વારા આપવામાં…

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નેપાળી શખ્સનો હોબાળો

નેપાળી યાત્રીએ કેબિન ક્રૂ મેમ્બર સાથે મારપીટ કરી હતી અને ફ્લાઈટની અંદરનો દરવાજો પણ તોડી નાખ્યો નવી દિલ્હીકેનેડાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મંગળવારે એક યાત્રીએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. નેપાળી યાત્રીએ કેબિન ક્રૂ મેમ્બર સાથે મારપીટ કરી હતી અને ફ્લાઈટની અંદરનો દરવાજો પણ તોડી નાખ્યો હતો. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી…

11 દિવસમાં એક લાખથી વધુ લોકોએ અમરનાથ યાત્રા કરી

યાત્રા 1 જુલાઈથી શરુ થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ખરાબ હવામાનને કારણે ત્રણ વાર સ્થગિત કરવામાં આવી હતી દહેરાદૂનઅમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં 1 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે. આ સિવાય અધિકારીએ જણાવ્યુ હતું કે ગઈકાલે 18 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફાની અંદર…

બેંગલુરૂમાં 24 વિપક્ષોના નેતા સામેલ થશે

8 નવી પાર્ટીઓએ 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ એકજૂટતા દર્શાવવા વિપક્ષી દળોના પ્રયાસોને સમર્થન જાહેર કર્યું નવી દિલ્હીઆગામી 17-18 જુલાઈએ કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં યોજાનાર વિપક્ષી એકજૂટતાની બીજી બેઠકમાં ઓછામાં ઓછા 24 રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. સૂત્રો અનુસાર 8 નવી પાર્ટીઓએ 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ એકજૂટતા…

હવામાનની સચોટ આગાહી માટે એઆઈ તરફ વળતા વૈજ્ઞાનિકો

હવામાનની સચોટ અને ઝડપી આગાહી માટેના બે નવા એઆઈ મોડલનું વર્ણન તાજેતરમાં પ્રકાશિત થયેલા બે સંશોધન પત્રોમાં કરવામાં આવ્યું નવી દિલ્હીતમામ વૈજ્ઞાનિક પ્રગતિઓ છતાં હવામાનની સચોટ આગાહી કરવી હજુ પણ પડકારરૂપ છે. તેઓ નિશ્ચિત રૂપે પહેલા કરતાં વધુ સારા છે, પરંતુ ભારે હવામાનની ઘટનાઓનું ચોક્કસ મૂલ્યાંકન આજે પણ મુશ્કેલ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે…

હિમાચલમાં દંપતીએ ઓનલાઈન લગ્ન કર્યા

સરકારે લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપી હતી, તેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્ન થયા સિમલાસિમલાના કોટગઢના રહેવાસીને ભુંતર બારાત લઇ જવાની હતી, પરંતુ ખરાબ હવામાન અને રસ્તો બંધ હોવાને કારણે જ્યારે તે અશક્ય બની ગયું ત્યારે પરિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્નનું આયોજન કરાવવાનું વિચાર્યું હતું.વરરાજાને સોમવારે બારાત લઇ ભુંતર જવાનું હતું. થિયોગ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ…

નાશિક નજીક બસ ઊંડી ખીણમાં ખાબકતાં એકનાં મોતની આશંકા

બસમાં કુલ 22 મુસાફરો સવાર હતા, 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નાસિકમહારાષ્ટ્રના નાશિકમાં એક ભયકંર અકસ્માતની ઘટના બની છે જેમા નાશિકના સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે. બસ સપ્તશ્રૃંગી કિલ્લાથી ખામગાંવ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની માહિતી…

દુષ્કર્મ પીડિતાને બાળકને જન્મ આપવા દબાણ ન કરી શકાય

12 વર્ષની ઉંમરે દુષ્કર્મ પીડિતાએ તેના 25 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી અલ્હાબાદયુપીની અલ્હાબાદ હાઈકોર્ટે સગીર દુષ્કર્મ પીડિતાના ગર્ભપાતની માંગ સાથે જોડાયેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે કહ્યું કે દુષ્કર્મ પીડિતાને બાળકને જન્મ આપવા દબાણ કરી શકાય નહીં. 12 વર્ષની ઉંમરે દુષ્કર્મ પીડિતાએ તેના 25 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત…