કોંગ્રેસના 12 મહાસચિવ-12 પ્રભારીમાં અડધાથી વધુ ઉચ્ચ જ્ઞાતિના

રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં જાતિ ગણતરી અને ઓબીસીની ભાગીદારી પર આપવામાં આવેલા નિવેદનોનો ઉલ્લેખ કરીને ટીકા કરવામાં આવી નવી દિલ્હીકોંગ્રેસે શનિવારે સંગઠનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે 12 મહાસચિવ અને 12 પ્રભારી નિયુક્ત કર્યા છે. આમાંથી અડધાથી વધુ ઉચ્ચ જાતિના નેતાઓ છે.કોંગ્રેસ પાર્ટીમાં નિયુક્ત નવા 12 મહાસચિવોમાં અન્ય પછાત વર્ગના માત્ર એક નેતાને સ્થાન…

દહેજમાં ક્રેટા કાર માગનારા વરરાજા અને જાનનું સરઘસ કાઢવામાં આવ્યું

લગ્નના ખર્ચ પરત આપવામાં આવ્યા બાદ વરરાજા અને જાનને મુક્ત કરવામાં આવી બુલંદશહેરદહેજમાં ક્રેટા ન મળવાથી નારાજ વરરાજાએ લગ્ન કરવાની ના પાડી. કન્યા પક્ષે વરરાજાને દહેજમાં બ્રેઝા કાર આપી હતી પરંતુ વરરાજા ક્રેટા કારની માંગ પર અડગ હતો. કન્યા પક્ષે લગ્નની આખી જાનને બંધક બનાવી લગ્નની જાનનો વીડિયો વાઈરલ કર્યો હતો. અંતે લગ્ન પાછળ ખર્ચેલા…

બાલોતરાના સમદડી સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેન્ પાટા પરથી ખડી પડી

ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો ગભરાઈ ગયા હતા, ટ્રેન રોકાયા પછી તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યા હતા જયપુરરાજસ્થાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. બાલોતરાના સમદડી રેલ્વે સ્ટેશન પાસે ગઈકાલે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરતા અરાજકતા સર્જાઈ હતી. મળેલી માહિતી મુજબ જોધપુરથી પાલનપુર જતી ડેમો પેસેન્જર ટ્રેન સમદડી સ્ટેશનથી થોડી નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી….

રામલલા દેશની અસ્મિતા, કોઈની ખાનગી માલિકી નથીઃ સંજય રાઉત

ભાજપ રામલલાના નામે વારંવાર વોટ માગી રહી છે, શિવસેના પહેલી એવી પાર્ટી છે જેણે ટ્રસ્ટની સ્થાપના બાદ સૌથી પહેલાં 1 કરોડ રૂપિયા દાન આપ્યાનો દાવો મુંબઈશિવસેના સાંસદ સંજય રાઉતે રામમંદિર અને જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અંગે કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ રામલલાના નામે વારંવાર વોટ માગી રહી છે. રામલલા દેશની અસ્મિતા…

દેશમાં કોરોનાના 628 નવી કેસ, અમદાવાદમાં વધુ પાંચ કેસ

ગુજરાતમાં 54 એક્ટિવ કેસ છે, જે દેશમાં પાંચમાં ક્રમે, સૌથી વધુ કેરળમાં 128 એક્ટિવ કેસ નવી દિલ્હીભારતમાં આજે કોરોનાના 628 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસ વધીને 4,054 થઈ ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ કોરોના ધીરે ધીરે મોટું સ્વરૂપ લઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં 54 એક્ટિવ કેસ છે. જે દેશમાં પાંચમાં ક્રમે છે….

દિલ્હી યુનિવર્સિટી ક્યૂએસ સસ્ટેનિબિલિટી રેન્કિંગમાં વિશ્વમાં 22મા સ્થાને

ગત બે વર્ષોમાં યુનિવર્સિટીએ રિસર્ચ ક્ષેત્ર, ગુડ ગવર્નેન્સ અને જ્ઞાનની આપ-લે માટે અભૂતપૂર્વ પગલાં ભર્યા નવી દિલ્હીદિલ્હી યુનિવર્સિટી (ડીયુ) એ તાજેતરમાં જાહેર કરાયેલા ક્યૂએસ સસ્ટેનિબિલિટી રેન્કિંગમાં વિશ્વભરમાં 22મું સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગમાં ડીયુએ દેશની તમામ આઈઆઈટીને પાછળ કરી દીધી છે. ગત બે વર્ષોમાં યુનિવર્સિટીએ રિસર્ચ ક્ષેત્ર, ગુડ ગવર્નેન્સ અને જ્ઞાનની આપ-લે માટે અભૂતપૂર્વ પગલાં…

ભાજપના નેતાઓએ અપમાનિત કરનારા ડીએમને ચા માટે 700 રુપિયા મોકલ્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી મળવા ગેસ્ટ હાઉસ ગયા ત્યારે ડીએમ રાકેશ કુમારે નેતાઓને અપમાનિત કર્યા અને ચા પીવડાવીને પાછા મોકલી દીધા ગાઝિયાબાદઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ભાજપ નેતાઓ જિલ્લા અધિકારી પર તેઓને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવું છે કે ગઈકાલે જયારે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી મળવા ગેસ્ટ હાઉસ ગયા ત્યારે જિલ્લા અધિકારી રાકેશ કુમારે નેતાઓને અપમાનિત કર્યા…

પ્રવાસન સ્થળોએ ભારે ભીડથી ઠેર-ઠેર ટ્રાફિક જામ

કુલ્લુ-મનાલી, શિમલા, હિમાચલ પ્રદેશના ધર્મશાલા અને ઉત્તરાખંડના મસૂરી, નૈનીતાલ, દેહરાદૂન જેવા પ્રવાસન સ્થળોએ ભારે ભીડ સિમલાક્રિસમસની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડો પર પહોંચી રહ્યા છે. જેના કારણે આ સ્થળોએ અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાણી છે. કુલ્લુ-મનાલી, શિમલા, હિમાચલ પ્રદેશના ધર્મશાલા અને ઉત્તરાખંડના મસૂરી, નૈનીતાલ, દેહરાદૂન જેવા પ્રવાસન સ્થળોએ…

અખિલેશની દુકાન બંધ, ઈન્ડિયાનો હિસ્સો નથીઃ આચાર્ય પ્રમોદ

સમાજવાદી પાર્ટી રામ વિરોધી પાર્ટી છે, તે હિન્દુ વિરોધી છે, તે મંદિર વિરોધી પાર્ટી છે અને તેમની દુકાન બંધ થઈ ચૂકી હોવાનું કોંગ્રેસના નેતાએ કહ્યું નવી દિલ્હીઆગામી લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી જૂથ ‘ઈન્ડિયા’ ગઠબંધને કમર કસી લીધી છે. થોડા દિવસો પહેલા જ વિપક્ષી નેતાઓની દિલ્હીમાં બેઠક થઈ હતી. જોકે, સીટ વહેંચણી અંગે વિપક્ષી નેતાઓ…

ધનખડે બાળકની જેમ સામાન્ય વાતને લઈને હંગામો મચાવ્યોઃ બેનર્જી

ધનખડ પદની બંધારણીય ગરિમાને નષ્ટ કરી રહ્યા છે કેમ કે તે પદની લાલચમાં પીએમ મોદી પ્રત્યે સન્માન પ્રગટ કરવાથી વધુ તેમની સામે સમર્પણ કરે છે નવી દિલ્હીતૃણૂમલ સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. કલ્યાણ બેનર્જીના સંસદીય વિસ્તાર શ્રીરામપુરમાં એક સભાનું આયોજન કરાયું હતું. આ વખતે તેમાં તૃણમૂલ નેતાએ ધનખડની સાથે…

મટર પનીરમાં પનીર ન મળતાં ભોજન સમારોહમાં બે ઝપાઝપી

બંને પક્ષો વચ્ચે જોરદાર ખુરશીઓ ફેંકવામાં આવી, વીડિયોને જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે નવી મુંબઇદિવાળી સિઝન પૂરી થઈ છે, ત્યારે હવે લગ્નની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. તેમજ નવા વર્ષની તૈયારીઓમાં પણ લોકો લાગેલા છે. લોકોને પોતાના લગ્નમાં મન મુકીને પૈસાનું પાણી કરતાં હોય છે.ત્યારે ઘણા લગ્ન એવા પણ હોય છે જે…

સુકમામાં સેના સાથેની અથડામણમાં ત્રણ નક્સલીઓ ઘાયલ થયા

આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે સુકમાછત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. સુકમા અને દંતેવાડાની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ નક્સલીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.સુકમાના…

સેનાએ અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરી કરતા એક ઠાર, ત્રણ સાથીના મૃતદેહને લઈને નાસી ગયા

આ ઘટના સર્વેલન્સ ઉપકરણોમાં પણ નોંધાઈ, આ અંગે ભારતીય સૈન્યની ‘વ્હાઈટ નાઈટ કોર’એ એક્સ પર પોસ્ટમાં માહિતી આપી જમ્મુભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરજ પર તહેનાત સુરક્ષાદળોએ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી કરી હતી અને એક…

પીએફઆઈ સાથે સંકળાયેલા પાંચ જણાની ઈડી દ્વારા ધરપકડ

આ તમામની ઓળખ ઈ એમ અબ્દુલ રહેમાન, અનીસ અહેમદ, અફસર પાશા, એ એસ ઈસ્માઈલ અને મોહમ્મદ શકિફ તરીકે થઈ છે નવી દિલ્હીકેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ પીએફઆઈ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપી પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ માં અલગ-અલગ હોદ્દા પર હતા, જે વિદેશોમાંથી હવાલા દ્વારા આવેલા કરોડો રૂપિયાનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃતિઓમાં કરી…

કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવા મુખ્યપ્રધાનનો આદેશ

અગાઉની બીજેપી સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો અને ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે બેંગલુરુ કર્ણાટકની કોંગ્રેસ  સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એ આજે પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, રાજ્યની સ્કૂલો અને…

આંતરરાષ્ટ્રીયક્ષેત્રે ભારતીય વાયુસેના મહત્વની ભૂમિકા નિભાવશેઃ વાયુસેનાના પ્રમુખ

આપણે નવા આકાશમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છીએ તો રાષ્ટ્રની શક્તિના મહત્વના રૂપ તરીકે વાયુ શક્તિ નિસંદેહ મહત્વની ભૂમિકા ભજવશે નવી દિલ્હી વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે ‘ગ્લોબલ સાઉથ’માં…

બીફ ખાનારી કામિયા જાનીએ જગન્નાથ મંદિરમં વીડિયો બનાવતા ધરપકડની માગ

જગન્નાથ મંદિરમાં, કામિયા સત્તારૂઢ બીજુ જનતા દળના નેતા વીકે પાંડિયન સાથે મહાપ્રસાદ ચાખતી જોવા મળતા ભારતીય જનતા પક્ષનો ભારે વિરોધ સોશિયલ મીડિયા પ્રભાવક અને યુટ્યુબ ચેનલ ‘કર્લી ટેલ્સ’ની સંસ્થાપક કામિયા જાની ઓડિશાના જગન્નાથ મંદિરમાં વીડિયો બનાવવાને કારણે વિવાદમાં ફસાઈ છે. બીજેપીના રાજ્ય એકમે તેને બીફ ખાનાર ગણાવીને તેની ધરપકડની માંગ કરી છે. જગન્નાથ મંદિરમાં, કામિયા…

વિશ્વમાં છેલ્લા એક માસમાં કોરોનાના 8.5 લાખ નવા કેસ

વિશ્વભરમાં કોરોનાના કારણે ચાર અઠવાડિયામાં 3,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા, ચાર અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8%નો વધારો નોંધાયો નવી દિલ્હી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે. કોરોનાએ ફરી એક વખત વિશ્વને ડરાવવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વભરમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના 8.5 લાખ નવા કેસ નોંધાયા છે. ડબલ્યુએચઓએ જણાવ્યું કે, છેલ્લા ચાર અઠવાડિયામાં…

દેશમાં ચોવિસ કલાકમાં 700થી વધુ કોરોનાના નવા કેસ, 4નાં મોત

કેરળમાં 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15, તમિલનાડુમાં 13 અને ગુજરાતમાં 12 સહિત 17 રાજ્યોમાં કોવિડ-19ના સક્રિય કેસ નોંધાયા નવી દિલ્હી વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારીએ ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં દર એક કલાકે ઓછામાં ઓછા 26થી 27 લોકો સંક્રમિત થઈ રહ્યા છે જેના પગલે ડરનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર…

બાપના પૈસાના નિવેદન પર ઉદયનીધિને સીતારમણની ચેતવણી

અમે કોઈના બાપના પૈસા માંગી નથી રહ્યા, અમે ફક્ત તમિલનાડુના લોકો દ્વારા  ચૂકવાયેલો ટેક્સનો હિસ્સો માંગી રહ્યા છીએના સ્ટાલિનના નિવેદન પર નાણાંમંત્રી ગુસ્સે થયા નવી દિલ્હી નાણામંત્રી નિર્મલા સીતારમણ એ ઉદયનિધિ સ્ટાલિનને તેમના ‘બાપના પૈસા’ વાળા નિવેદન પર ચેતવણી આપતા કહ્યું કે બોલતા પહેલા પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ અને રાજકીય નેતાને શોભે તે…