ધુમ્મસને લીધે દેશમાં માર્ગ અકસ્માતમાં 17નાં મોત

એકલા ઉત્તર પ્રદેશમાં જ 12 લોકોના મોત થયા, ઓછામાં ઓછા 46 લોકો ઘાયલ થયા નવી દિલ્હીદેશના ઉત્તર અને મધ્ય ભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે સવારના સમયે યાત્રા કરવું ખુબ જ મુશ્કેલ બને છે અને સામાન્ય જનજીવન પર તેની અસર દેખાઈ રહી છે. ગાઢ ધુમ્મસને કારણે અકસ્માતની ઘટના પણ બની છે જેમાં અત્યાર સુધીમાં 17 લોકોએ…

નેવીએ અરબ સાગરમાં 4 પેટ્રોલ વેસલ્સ તૈનાત કરી દીધા

આ પેટ્રોલ વેસલ્સ એડવાન્સ હેલિકોપ્ટરોથી સજ્જ હશે નવી દિલ્હીભારતના પશ્ચિમી તટ પર કેમિકલ ટેન્કર એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા બાદ ઈન્ડિયન નેવી અરબ સાગરમાં સુપર એક્ટિવ થઈ ગઈ છે. હુમલા બાદ ઈન્ડિયન નેવીએ અરબ સાગરમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા હતા અને હવે 4 પેટ્રોલ વેસલ્સ તૈનાત કરી દીધા છે. આ પેટ્રોલ વેસલ્સ એડવાન્સ…

સાસરિયામાં છોકરી સાથે સામાન્ય દુર્વ્યવહારને ક્રૂરતા ન કહી શકાયઃ સુપ્રીમ

ફરિયાદીના લગ્ન જીવનમાં દખલગીરી અથવા સંડોવણીના કોઈ ફિઝિકલ પુરાવા નથી તો આરોપીને ક્રૂરતા માટે દોષી ન ઠેરવી શકાય નવી દિલ્હીકર્ણાટકના એક કેસની સુનાવણી કરતા દહેજ ઉત્પીડન અંગે સુપ્રીમ કોર્ટે એક મોટી ટિપ્પણી કરી છે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે સાસરિયામાં છોકરી સાથે સામાન્ય દુર્વ્યવહારના કેસને દહેજ ઉત્પીડનનું નામ ન આપી…

જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે લેખિત પરીક્ષા રદ કરાઈ

28 અને 29 ડિસેમ્બરના રોજ પોલ ટેસ્ટ તમામ ઉમેદવારો માટે રાબેતા મુજબ લેવાની જાહેરાત વડોદરાગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કંપની સત્તાધીશોએ કરી હતી.જેની સામે અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.આમ છતા જેટકો સત્તાધીશોએ પોલ ટેસ્ટ…

ઈવીએમની ખામી દૂર નહીં થાય તો ભાજપને 400થી વધુ બેઠક મળશેઃ પિત્રોડા

રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની ભારત ન્યાય યાત્રા ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશેઃ કોંગ્રેસ નેતા નવી દિલ્હીલોકસભા ચૂંટણી 2024 માં હાલ 4 મહિનાનો સમય બાકી છે અને ભાજપે તૈયારીઓ ઝડપી બનાવી છે. જ્યારે કોંગ્રેસ તૈયારીની જગ્યાએ અત્યારથી ઈવીએમ પર સવાલો ઊઠાવા લાગી છે. પાર્ટી નેતા સામ પિત્રોડાએ ગુરુવારે કહ્યું કે જો ઇવીએમની ખામીઓને દૂર કરવામાં…

મહાદેવ એપના પ્રોમટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ

યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું નવી દિલ્હીમહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં…

રાહલ ગાંધીએ અખડામાં જઈ રેસલર્સ સાથે મુલાકાત કરી

રાહુલ ગાંધી કુશ્તીબાજોને એવા સમયે મળ્યા છે જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે રોહતકકુશ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુશ્તીબાજોને મળવા હરિયાણાના ઝજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા અને અહીં તેણે…

મમતા બેનર્જી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી અળગા રહેવાની શક્યતા

હજુ સુધી ટીએમસીએ સત્તાવાર રીતે આ બબાતે નિર્ણયની જાહેરાત કરી નથી નવી દિલ્હીઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે અને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નેતાઓ, ક્રિકેટરો તેમજ અનેક મોટી હસ્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ પણ સામેલ છે ત્યારે હવે સામાચાર આવી રહ્યા છે કે…

રાહુલ ગાંધી 6200 કિમીની ભારત ન્યાય યાત્રા કાઢશે

યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થશે, મણિપુરથી શરૂ થઈને મુંબઈ સુધી જશે નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે. આ પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા…

ધર્માંતરણ કરનારાને અનુસૂચિત જાતીમાંથી બાકાત કરવા માગ

ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા હોવાનો આક્ષેપ રાંચીઆદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે ધર્માંતરણ કરનારા લોકો એસટીનો લાભ લઈ તેમના હક્કો છીનવી રહ્યા છે. તેમના મતે, ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા છે.ડી-લિસ્ટિંગ માટે…

મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવાયો

આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપીને લોકોને ઉશ્કેરે છે નવી દિલ્હીકેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં…

મને છંછેડશો તો ભાજપ સરકારના 40,000 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરીશઃ બસનાગૌડા પાટીલ

વિજયપુરાના અસંતુષ્ટ બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે ફરીથી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પર પ્રહારો કર્યા નવી દિલ્હીએક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં અસંતોષની લાગણી વધુ જ ઉભરી રહી છે. આ સમયમાં ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે જો મને છંછેડશો તો બીજેપીની…

કોરોનાના નવા વેરિયન્ટ જેએન-1ના કેસની સંખ્યા 109, ગુજરાતમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાંથી 36, કર્ણાટકમાંથી 34, ગોવામાંથી 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાન અને તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી બે કેસ મળી આવ્યા નવી દિલ્હીદેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે અને ખાસ કરીને તેના નવા સબ વેરિઅન્ટ જેએન.1નો ખતરો સતત વધી રહ્યો છે. જેએન.1નું સંક્રમણ દેશના સાત રાજ્યોમાં ફેલાયું છે અને સંક્રમિત લોકોની સંખ્યા પણ…

ફ્રાન્સમાં અટકાવેલું 276 મુસાફરો સાથેનું વિમાન મુંબઈ પહોંચ્યું

ટેકઓફ કર્યું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા, જોકે, બે સગીર સહિત 25 લોકોએ આશ્રય માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી નવી દિલ્હીમાનવ તસ્કરીની આશંકા હેઠળ ફ્રાન્સમાં ચાર દિવસથી અટકાવેલું વિમાન 276 મુસાફરો સાથે મુંબઈ આવી પહોંચ્યું છે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે 276 મુસાફરોને લઈને આ વિમાન મંગળવારે વહેલી સવારે…

હિંદુ ધર્મ ધર્મ નહીં, એક દગો છેઃ સ્વામી પ્રસાદ મૌર્ય

નવી દિલ્હીના જંતર મંતર પર મિશન જય ભીમના બેનર હેઠળ રાષ્ટ્રીય બૌદ્ધ અને બહુજન અધિકાર સંમેલનમાં આપેલા નિવેદનથી વિવાદ નવી દિલ્હીસમાજવાદી પાર્ટી (સપા) નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર એવું ઝેરી નિવેદન આપ્યું છે જેને હિન્દુ સમાજ કદાચ ક્યારેય સ્વીકારી નહીં શકે. ખરેખર તો સ્વામી પ્રસાદ મૌર્યએ હિન્દુ ધર્મને લઈને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું…

આતંકીઓ સામે લડતા જમ્મુ-કાશ્મીરમાં 31 જવાનો શહીદ થયા

જમ્મુના પુંચ અને રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં આ વર્ષે 21 જવાન શહીદ થયા, કુપવાડામાં ઓપરેશન દરમિયાન એક જેસીઓ અને બે જવાનોનું ઊંડી ખીણમાં પડી જતા મોત નવી દિલ્હીજમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકીઓ સામે લડતા લડતા ભારતીય સૈન્યના 31 જવાનોએ શહીદી વહોરી હતી. તેમાંથી ત્રણ જવાન પેટ્રોલિંગ મિશન દરમિયાન શહીદ થયા છે જ્યારે જમ્મુ કાશ્મીરના અલગ અલગ…

હવામાનની માહિતી આપતી એપ્સ જાસૂસી કરે છે

2017, 2018 અને 2019માં વેધર એપ્સમાંથી લાખો યુઝર્સના ડેટા લીક થયા હતા, જેના કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો નવી દિલ્હીતમે અવારનવાર આવા સમાચાર સાંભળ્યા હશે કે કોઈ વેબસાઈટ અથવા એપનો ડેટા લીક થઈ ગયો છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે પ્રાઈવસી સૌથી મોટો પડકાર છે. ડેટાએ કોઈપણ વેબસાઈટ કે એપનો પર્સનલ ડેટા નથી પરંતુ…

ભારતીય રેલવેનો કલાર્ક આતંકવાદી નિકળ્યો, સઘન તપાસ જારી

એનઆઈએને જાણવા મળ્યું કે, સામાન્ય સ્રોતમાંથી તેમના ખાતામાં નિયમિતપણે ભંડોળ સ્થાનાંતરિત કરવામાં આવતું હતું નવી દિલ્હી9મી ડિસેમ્બરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા 44 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ તપાસ એજન્સીએ આઈએસઆઈએસના 15 આતંકીઓની ધરપકડ કરી હતી. મોડ્યુલની વધુ તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું કે એક…

બાગેશ્વર ધામ પીઠ ક્રિસમસ અને સાન્તાક્લોઝની ઉજવણીનો ખુલ્લેઆમ વિરોધ કરશે

આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જે ભારતીય અને સનાતની પરંપરાઓ અને સંસ્કૃતિ સાથે સુસંગત નથીઃ ધીરેન્દ્ર શાસ્ત્રી નવી દિલ્હીબાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા જાહેરાત કરી હતી કે બાગેશ્વર ધામ પીઠ ક્રિસમસ અને સાન્તાક્લોઝની ઉજવણીનો ખુલ્લેઆમ વિરોધ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જે ભારતીય અને સનાતની પરંપરાઓ…

અલ્ટ ન્યૂઝ અને એચટીને કોર્ટમાં ઢસડી જવા બિટ્ટુ બજરંગીનો નિર્ધાર

13મી ડિસેમ્બરે બિટ્ટુ બજરંગીના ભાઈ મહેશના જીવન પર એક પ્રયાસ કરવામાં આવ્યો હતો., જેમાં તે 60 ટકા દાઝી ગયો હતો નવી દિલ્હીરવિવારે (24 ડિસેમ્બર) ગૌ રક્ષા બજરંગ દળના પ્રમુખ બિટ્ટુ બજરંગીએ એક વીડિયો જાહેર કરીને અલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈર અને હિન્દુસ્તાન ટાઇમ્સ (એચટી) પર પોતાના ભાઈ વિરુદ્ધ નકલી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.એચટીએ એક…