દેશમાં 10 વર્ષમાં 50 ટકા મહિલા મુખ્યમંત્રીનું કોંગ્રેસનું લક્ષ્યઃ રાહુલ

કોંગ્રેસ પાર્ટીમાં ઘણી મહિલાઓ છે, જેઓ એક શ્રેષ્ઠ મુખ્યમંત્રી બની શકે છેઃ કોંગ્રેસ નેતાનો દાવો એર્નાકુલમ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એર્નાકુલમની મુલાકાતે છે. રાહુલે અહીં ‘ઉત્સાહ’ મહિલા કોંગ્રેસ દ્વારા આયોજીત સંમેલન ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સત્તામાં મહિલાઓનો અભાવ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે આપણી પાસે મહિલા મુખ્યમંત્રીઓનો અભાવ છે. આપણી…

સીબીએસઈએ 10-12માની બોર્ડની પરીક્ષામાં કોઈને ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય

ઓવરઓલ ડિવિઝન કે એગ્રીગેટ માર્ક્સ નહીં આપવાનો નિર્ણય, તમામ વિષયોમાં પ્રાપ્ત કુલ માર્ક્સનો યોગ નહીં અપાય નવી દિલ્હી સીબીએસઈ 10મા અને 12માના બોર્ડની પરીક્ષા 2024ની ડેટશીટ જાહેર થવાની રાહત જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સીબીએસઈએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય. સાથે જ ઓવરઓલ ડિવિઝન…

રાજસ્થાનમાં કોંગ્રેસને મધ્યપ્રેદશમાં ભાજપને નુકશાન

પાંચ રાજ્યોમાં ચૂંટણી બાદ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલમાં ભાજપને રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસને તેલંગણામાં લાભના સંકેત, 3 ડિસેમ્બરે પરિણામ નવી દિલ્હી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે તેલંગાણાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ આવ્યા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ…

અજીત મોર્યને બે પત્ની, 9 બાળક અને છ ગર્લફ્રેન્ડ હતી

અજીત મોર્ય 29 નવેમ્બરે તે તેની પત્ની સાથે એક હોટેલમાં ડિનર કરી રહ્યો હતો અને વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી લખનઊ અહીંના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસરની ગુનેગાર બનવાની વાત તમને વિચારતા કરી દેશે. આ માણસે એક-બે લોકોને નહીં પરંતુ 17 લોકોના પેટ ભરવાના હતા. 17માંથી બે તેની પત્નીઓ, 9…

PMGKAY યોજના હેઠળ વધુ 5 વર્ષ સુધી મફત રાશન મળશે

આગામી પાંચ વર્ષમાં આ યોજના પર આશરે રૂ. 11.8 લાખ કરોડનો ખર્ચ કરાશે, ખેતી માટે 2023 થી 2026માં 15000 મહિલાને ડ્રોન આપવા કેબિનેટનો નિર્ણય નવી દિલ્હી  કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજના વિતરણ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના ગરીબોની મદદ માટે કોરોના મહામારીના સમયે શરૂ કરવામાં આવી હતી….

ભારત ગૌરવ ટ્રેનમાં 80થી વધુ લોકો ફૂડપોઈઝનિંગનો શિકાર બન્યા

આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી, જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો પ્રવાસ હતો પૂણે ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ 80થી વધુ લોકો  ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જે કાર્યક્રમ…

દેશમાં જ લગ્નો યોજવા વડાપ્રધાનની લોકોને અપીલ

અલગ અલગ શહેરોમાં લગ્નના આંકડાઓ મુજબ થોડા જ દિવસોમાં 38 લાખ લગ્ન થશે, જેમાં ઓછામાં ઓછો 4.74 લાખ કરોડ રૂપિયાની ખર્ચ થશે નવી દિલ્હી પીએમ મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ફરી એક વાર લોકલ પ્રોડ્કટસના વપરાશની વાત કરી છે. તેમને 107માં એપિસોડમાં ફરી એકવાર ‘વોકલ ફોર લોકલ’ની વાત કરતા કહ્યું હતું કે, આ સમય…

41 મજૂરોને બચાવવા સુરેન્દ્ર રાજપૂતે પુલી ટ્રોલી તૈયારી કરી

આ એજ વ્યક્તિ છે જેણે 2006 માં હરિયાણામાં બોરવેલમાં પડી ગયેલા બાળક પ્રિન્સનો જીવ બચાવ્યો હતો સિલ્કયારા ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ 12 નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા 41 મજૂરોને અંતે એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ નિષ્ણાતો સહિત અનેક એજન્સીઓની મદદથી 17 દિવસના અંતે બચાવી લેવાયા છે. આ જ…

તરનજિત સાથે ગેરવર્તણૂક કરનારા સામે પગલાંની માગ

તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ અનુરોધ કર્યો વોશિંગ્ટન   અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ ગયા વીક એન્ડમાં ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતના રાજદૂત તરનજિત સિંઘ સંધુ સાથે કેટલાક શિખોએ કરેલી ગેરવર્તણુંકની ઉગ્ર ટીકા કરી હતી. સાથે તે તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અનુરોધ કર્યો હતો. સોમવારે…

સાત વર્ષની પુત્રી પર દુષ્કર્મમાં મદદ કરનારી મહિલાના 40 વર્ષની કેદ

પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં આવી,બળાત્કારી પુરુષે અગાઉ જ આત્મહત્યા કરી લીધી તિરુવનંતપુરમ   કેરળમાં એક માતાને પોતાની જ પુત્રીના બળાત્કારના કેસમાં ૪૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. મહિલાએ પોતાના પ્રેમીને પોતાની જ પુત્રી પર બળાત્કાર કરવાની છૂટ આપી હતી. જેથી બળાત્કારમાં મદદ કરવા બદલ પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં…

રેલવે નિવૃત્તીના 3 દિવસ પહેલાં કર્મીની બદલી કરી

રેલવેના એક એન્જિનિયરની છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો નવી દિલ્હી   રેલવે મેનેજમેન્ટનો એક અજીબો ગરીબ હુકમ જાણવા મળ્યો છે. જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના એક એન્જિનિયરની નિવૃત્તિના ૩ દિવસ પૂર્વે છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં તે એન્જિનિયર નિવૃત્ત થવાના છે, તે…

ભારતમાંના યુએસ દૂતાવાસે રેકોર્ડ 1.40 લાખ છાત્રોને વિઝા જારી કર્યા

લગભગ 50 ટકા જેટલાં અમેરિકી દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ દ્વારા પહેલાં કરતાં વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર નિર્ણય લેવાયો વોશિંગ્ટન ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ અને તેના કોન્સ્યુલેટ્સે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં અમારા દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે 140,000 થી વધુ વિદ્યાર્થીઓને વિઝા…

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાનું નિધન

સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા, તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા ભાવનગર ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું હતું. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા હતા. સુનિલ ઓઝાના અચાનક…

ટનલમાં ફાસયેલા મજૂરોને બહાર કાઢવામાં આર્નોલ્ડ ડિક્સની મહત્વની ભૂમિકા

આર્નોલ્ડ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત છે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. તેઓ હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ 17 દિવસ સુધી ચાલેલા આ બચાવ અભિયાનની સફળતા આર્નોલ્ડ ડિક્સ વિના અધૂરી છે. ફસાયેલા કામદારોને ટનલમાંથી બહાર લાવનારા નિષ્ણાતોમાં આર્નોલ્ડની મોટી ભૂમિકા હતી. તેઓ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં…

સિલ્ક્યારા ટનલ એક્સિડેન્ટ પર દેશ માટે કેસ સ્ટડી તૈયાર કરાશે

ભવિષ્યમાં ટનલ નિર્માણ વખતે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી? કેવી રીતે ખામીઓ દૂર કરવી? તેના પર એનઆઈડીએમ દ્વારા સંપૂર્ણ ચેપ્ટર તૈયાર કરાશે નવી દિલ્હી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) ના કાર્યકારી નિર્દેશક રાજેન્દ્ર રતનું કહ્યું હતું કે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ એક્સિડેન્ટ પર દેશ માટે કેસ સ્ટડી તૈયાર કરાશે. ભવિષ્યમાં ટનલ નિર્માણ વખતે આપણે કઈ…

રાજસ્થાન કોંગ્રેસનું ચાર લાખ સરકારી નોકરી આપવાનું વચન

ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે, યુવાનો માટે 10 લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે જયપુરકોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે આ મેનિફેસ્ટો પાર્ટી કાર્યાલયમાંથી જાહેર કરવામાં આવ્યો હતો જેમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જયપુરના…

ફાર્મા કંપનીના સીએમડી સામેની દુષ્કર્મની ફરિયાદ પોલીસ નોંધતી નથી

27 વર્ષીય બલ્ગેરિયન ફ્લાઈટ એટેન્ડન્ટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી, અગાઉ સમાધાન માટે પણ દબાણ કરાયાનો આરોપ અમદાવાદફ્લાઈટમાં ખોટી રીતે મહિલાની છેડતીનાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં 27 વર્ષીય બલ્ગેરિયન ફ્લાઈટ એટેન્ડન્ટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે કે રાજ્ય પોલીસ સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીનાં સીએમડી સામે દુષ્કર્મ અને છેડતીનો આરોપ લગાવતી જે ફરિયાદ છે તે…

લાઈફસ્ટાઈલમાં ફેરફારોએ અચાનક થનારા મૃત્યુની સંભાવનાને વધારી

વેક્સિનના કારણે અચાનક થનારા મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, જો કોઈએ વેક્સિનનો એક ડોઝ લીધો છે તો કોરોનાને કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે નવી દિલ્હીકોવિડ-19 મહામારી બાદ સરકારે લોકોના જીવ બચાવવા માટે મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવ્યુ હતું. દેશમાં લોકોને વેક્સિનના 2 અરબથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષની…

મધુપુરાના ડીએમની કારની અડફેટે આવતા ત્રણનાં મોત

એક મજૂર, મહિલા અને તેની 7 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, ઘટના બાદ ડીએમ અને ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયા મધુપુરાબિહારમાં મધુપુરાના ડીએમની કારની અડફેંટે આવતા ત્રણ લોકોનું મોત થયું હતું. જયારે 2 લોકો ગંભીરપણે ઘવાયા હતા. આ ઘટના ત્યારે બની હતી જયારે ડીએમની ગાડી મધેપુરા તરફ જઈ રહી હતી. આ દરમિયાન…

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરો સલામત

આ ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો જેમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે નવી દિલ્હીઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા 10થી ફસાયેલા છે. અકસ્માતના 9 દિવસ બાદ એટલે કે ગઈકાલે સાંજે 6 ઈંચની નવી પાઈપલાઈન દ્વારા સુરંગની અંદર ફસાયેલા કામદારો માટે ખીચડી, દાળ અને…