બીઆઈએમએસટીઈસીના નવા મહાસચિવ તરીકે ઈન્દ્રમણિ પાંડેની નિમણૂક

બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરતી બંગાળની ખાડીની મુખ્ય પ્રાદેશિક સંસ્થામાં નિમણૂક અંગે પાંડેએ મોદી-જયશંકરનો આભાર માન્યો નવી દિલ્હીબે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (બીઆઈએમએસટીઈસી)ના નવા મહાસચિવની આજે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પહેલી વખત કોઈ ભારતીયના ખભા પર જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્દ્રમણિ પાંડેની બીઆઈએમએસટીઈસીના…

રશિયન યુટ્યુબર સાથે ગેરવર્તણૂકનો વીડિયો સામે આવ્યો

અચાનક પાછળથી એક યુવક આવીને યુવતી સાથે મિત્રતા કરવાનું કહે છે, આ પછી યુટ્યુબરે તેને ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવક પણ અડગ રહ્યો. બાદમાં તે ત્યાંથી નીકળી ગયો નવી દિલ્હીયુટ્યુબ પર કોકો ઈન ઈન્ડિયા નામથી પેજ ચલાવતી એક રશિયન યૂટ્યેબર સાથે ગેરવર્તણુકની ઘટના સામે આવી છે.આ ઘટના દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં બની હતી.આ ઘટના…

2024માં ભાજપ ત્તામાં આવશે તો લોકોનો મતાધિકાર છીનવી લેશેઃ અખિલેશ

ભારતની લોકશાહી અને તેના બંધારણને ખતરો હોવાનો સપાના પ્રમુખે ભય વ્યક્ત કર્યો શાહજહાંપુરઅગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બધા પક્ષો પોતાની તાકાત લગાવી રહ્યા છે. એવામાં ફરી એકવાર સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું હતું. શાહજહાંપુરમાં એક કાર્યક્રમને સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, તમામ સપા કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણીની તૈયારી પુરી તાકાતથી…

અખિલેશ પર સવાલથી કમલનાથ બોલ્યા, છોડો અખિલેશ વખિલેશ

કમલનાથના નિવેદનથી સપાના પ્રમુખ અખિલેશ યાદવનો આક્રોશ, તો અમે ઈન્ડિયાની બેઠકમાં પણ ગયા ન હોત ભોપાલમધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ગુસ્સે ભરાયા છે. અખિલેશે પણ વળતો જવાબ આપી ઈન્ડિયા ગઠબંધનને લઈ મોટી…

કેનેડાના રાજદ્વારીઓને દેશ છોડવા અંગે કોઈ આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન કર્યું નથીઃ ભારત

કેનેડાએ ભારત પર રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયનો આકોર જવાબ નવી દિલ્હીભારતના વિદેશ મંત્રાલયે 41 કેનેડિયન રાજદ્વારીઓના ભારત છોડવા અંગે નિવેદન બહાર પાડ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ પર વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે અમે 19 ઓક્ટોબરે કેનેડા સરકારનું નિવેદન જોયું છે.વિદેશ મંત્રાલયે…

હવે માત્ર જેઈઈ એપેક્સ બોર્ડ જ જેઈઈ મેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી  તમામ માહિતી ટેકનોલોજી-સંબંધિત સપોર્ટ અને બેક-એન્ડ પ્રવૃત્તિઓનું સંચાલન કરશે નવી દિલ્હી જેઈઈ મેઈન્સ 2024ની પરીક્ષાનું શેડ્યુંલ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે  શિક્ષણ મંત્રાલયે આઈઆટીએસ, એનઆઈટીએસ અને અન્ય કેન્દ્રિય તકનીકી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ  પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) માટે જેઈઈ એપેક્સ ના બોર્ડની રચના અને વહીવટી માળખાના પુનર્ગઠન માટેનો આદેશ પસાર…

યુએન,ડબલ્યુએચઓ, ડબલ્યુટીઓ જેવી સંસ્થાઓનો વૈશ્વિક સ્તરે પ્રભાવ ઘટ્યોઃ સીતારમણ

ફુગાવો, ધીમી વૃદ્ધિ , નાણાકીય સ્થિરતાના છુપાયેલા જોખમો વગેરે જેવી પરિસ્થિતિ વૈશ્વિક સ્તરે પડકારજનક નવી દિલ્હી દિલ્હીમાં ‘કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ’નું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજરી આપી ઉપરાંત તેમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રીએ બહુપક્ષીય સંસ્થાઓ પર નિરાશા વ્યક્ત કરી હતી.   તેમણે સંબોધનમાં જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે માત્ર બેંકો જ…

દક્ષિણ- પશ્ચિમ મોન્સૂનની સામાન્ય તારીખથી 4 દિવસ પછી 19 ઓક્ટોબરે વિદાય

મોન્સૂન વિદાય થવાની પ્રક્રિયા સામાન્ય તિથિથી આઠ દિવસ પછી ૨૫મી સપ્ટેમ્બરે શરૂ થઈ હતી પુના, નવી દિલ્હી   ભારતમાં હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે કે, દક્ષિણ- પશ્ચિમ મોન્સૂન ૧૫મી ઓક્ટોબરથી સામાન્ય તારીખના ૪ દિવસ પછી ગુરૂવારે (તા. ૧૯ ઓક્ટો.) ભારતમાંથી સંપૂર્ણ રીતે વિદાય થયું છે. મોન્સૂન વિદાય થવાની પ્રક્રિયા સામાન્ય તિથિથી આઠ દિવસ પછી…

અલનીનોની અસરથી શિયાલો વધુ ગરમ રહેશે, ઘઉંના ભાવ ઊંચા રહેશે

ઘઉંના ભાવ ઉંચા જવાના જ છે તેની પાછળ ચોખા સહિત અન્ય ખાદ્યાન્નના ભાવ પણ વધવાની શક્યતા છે નવી દિલ્હી, ચંડીગઢ   દેશમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઘઉં ઉત્પાદક રાજ્યો આવી જાય છે તેમાં કેન્દ્ર સરકારે બુધવારે વિવિધ ‘રવી’ પાકના ટેકાના ભાવ (મીનીમમ સપોર્ટ પ્રાઇસ એમ.એસ.પી.)માં ક્વિંટલદીઠ રૂ. ૧૫૦/-નો વધારો જાહેર કર્યો છે તેથી ૨૦૨૩-‘૨૪ની…

બિઝનેસમેન પર પીએમઓએ બંદૂકની અણિએ સહીઓ કરાવીઃ મહુઆ મોઈત્રા

મહુઆએ હીરાનંદાણીના સોગંદનામાની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઊઠાવ્યો નવી દિલ્હી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઈત્રા પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણીએ ગંભીર આરોપો મૂકી ખળભળાટ મચાવી દીધો છે. જોકે તૃણમૂલ સાંસદે સામે વળતા પ્રહાર કર્યા હતા. તેમણે વડાપ્રધાનના કાર્યાલય (પીએમઓ) પર આરોપ લગાવ્યો છે કે તેના દ્વારા બિઝનેસમેન પર દબાણ બનાવાયું છે.  મહુઆએ હીરાનંદાણીના સોગંદનામાની વિશ્વસનીયતા…

તેલંગણામાં રાજા અને પ્રજા વચ્ચેની લડાઈઃ રાહુલ ગાંધી

દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર તેલંગાણામાં છે, તેલંગાણા પર માત્ર એક જ પરિવાર શાસન કરે છે, મુખ્યમંત્રીને જનતા સાથે કોઈ લેવાદેવા નથી નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આજે તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણાના ભૂપાલપલ્લીથી પન્નૂર ગામ સુધી કોંગ્રસની એક ચૂંટણી રેલીમાં લોકોને સંબોધિત કરતા રાહુલે બીજેપી, બીઆરએસ અને એઆઈએમઆએમ પર નિશાન સાધ્યુ હતું. તેમણે…

દેશમાં હવે મંજૂરી વગર હેંગ ગ્લાઈડર ઉડાવી નહીં શકાય

ભારતના ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ હેંગ ગ્લાઈડરના સંચાલન અને સલામતી અંગેના નવા નિયમો અમલમાં મૂક્યા નવી દિલ્હી હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં હેંગ ગ્લાઈડર સાથે પ્રવેશ કર્યા બાદ ભારતના ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેડટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ હેંગ ગ્લાઈડરના સંચાલન અને સલામતી અંગેના નવા નિયમો અમલમાં મૂક્યા છે. ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેડટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ દ્વારા સુધારેલા…

મોદીના અધ્યક્ષસ્થાને અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા માટે ઉચ્ચ-સ્તરીય બેઠક

ઈસરોને 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવા માટેનું લક્ષ્ય આપવામાં આવ્યું નવી દિલ્હીઈસરોએ આપેલ માહિતી અનુસાર, ગગનયાન મિશન માટેની પહેલી ફ્લાઈટ 21 ઓકટોબરે ઉડાન ભરશે. આ ઉડાના પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ઈસરો…

મનીષ સિસોદિયાના જામીન પર સુપ્રીમનો ચુકાદો અનામત

સતત ફગાવવામાં આવી રહેલી જામીન અરજીઓની વચ્ચે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને કહ્યું હતું કે, સિસોદિયાને અનિશ્ચિત સમય સુધી જેલમાં ન રાખી શકાય નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સિસોદિયાની સીબીઆઈ અને ઈડી બંને દ્વારા તપાસ કરવામાં આવી…

સંસદમાં પ્રશ્ન માટે લાંચનો મુદ્દો આચાર સંહિતા સમિતી પાસે મોકલાયો

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મોઈત્રા વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હીલોકસભામાં પ્રશ્ન પૂછવા લાંચ લેવાના મામલે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપ સાંસદે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે, ઉપરાંત આ મામલો આચાર સંહિતા સમિતી…

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી

ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાની ધરપકડ ચંદિગઢ પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યની વહેલી સવારે તેમના ઘરેથી ધરકપડ કરવામાં આવી છે.  પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી કરતા પંજાબ પોલીસે આજે સવારે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા…

મુંબઈનું ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે છ કલાક બંધ રહ્યું

ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર મેઈન્ટેનન્સના કામ માટે એરપોર્ટને હંગામી ધોરણે બંધ બંધ કરાયું મુંબઈ મુંબઈની મુસાફરી કરનારા યાત્રીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ)6 કલાક સુધી બંધ રહેવાનું છે. જેનું મુખ્ય કારણ છે કે ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર…

મેરઠના એક મકાનમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત થયા

ઘટનામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા મેરઠ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મકાનમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘટનામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના બે મકાનો પણ ધરાશાયી…

જીવનસાથીની પસંદગી-બાળક દત્તકનો અધિકાર જરૂરી, સમલૈંગિક લગ્નને માન્યતા નહીઃ સુપ્રીમ

સરકારે આવા સંબંધોને કાનૂની દરજ્જો આપવો જોઈએ, જેથી તેમને જરૂરી કાયદાકીય અધિકારો પણ મળી શકે નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 10 દિવસની સુનાવણી બાદ 11 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ…

વોટ્સએપ પાસેથી મેસજ સોર્સની ફરી માહિતી માગતી કેન્દ્ર સરકાર

વોટ્સએપે માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો, વોટ્સએપ કોઈપણ મેસેજના સોર્સની માહિતી આપે અથવા મેસેજને પહેલા કોણે મોકલ્યો, તેની જાણકારી સરકારને આપે નવી દિલ્હીકેન્દ્ર સરકારે પ્રાઈવસી વિવાદ મામલે ફરી વોટ્સએપ પર તવાઈ શરૂ કરી દીધી છે. સરકાર વર્ષ 2021થી વોટ્સએપની પ્રાઈવસી પોલિસી અંગે કંપની પાસેથી જવાબ માંગી રહી છે, જોકે આ મામલાનો હજુ સુધી કોઈ નિવેડો…