કર્ણાટકમાં અટકળોનો અંતઃ સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી
દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસનો દાવો, માત્ર રાજ્યસભાની ચૂંટણી પર જ ચર્ચા થઈ નવી દિલ્હી કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બદલાવાની ચાલી રહેલી તમામ અટકળોને હાઈકમાન્ડે ફગાવી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સત્તા પરિવર્તનની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી, જેને પગલે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે હાઈ-વોલ્ટેજ બેઠકોનો દોર પણ યોજાયો હતો. જોકે, આ બેઠકોનો એજન્ડા…
