ઈમરાનના મામલે પાકિસ્તાન ભારત મોડેલને ફોલો કરે છેઃ કાર્તિ ચિદમ્બરમ

કોંગ્રેસ સાંસદે આ પ્રતિક્રિયા ઈમરાન ખાનની ધરપકડના અમુક જ મિનિટ બાદ કરી નવી દિલ્હીકોંગ્રેસ સાંસદ કાર્તિ પી.ચિદમ્બરમે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી હતી. ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવાયા છે અને ત્રણ વર્ષની જેલની સજા કરાઈ છે.કાર્તિ પી.ચિદમ્બરમે ટ્વિટ કરી જણાવ્યું કે મુખ્ય વિપક્ષી નેતાને ચૂંટણી લડતા રોકવા માટે પાકિસ્તાન પણ…

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાંથી મંદિર સબંધિત અનેક ચિહ્ન મળ્યા

જીએનએસએસ મશીનની મદદથી થ્રી ડી ઈમેજ તૈયાર કરાઈ, અહીં સ્તંભ અને દીવાલો પર કમલના ફૂલ, પાંદડા તથા મૂર્તિઓના ચિહ્ન મળી આવ્યા નવી દિલ્હીએએસઆઈની ટીમ સતત બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં સરવે કરી રહી છે. શનિવારે મુસ્લિમ પક્ષ દ્વારા સહયોગ કરાયા બાદ મસ્જિદના ભોંયરામાં પણ સરવે હાથ ધરાયો હતો. આ દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો…

મિશન – અમે ભારતના બ્રાહ્મણ -ક્ષત્રિયો

2-8-2023 ના રોજ ડુંગરપુર જિલ્લા કલેક્ટરને નારાયણ પંડ્યાની આગેવાની હેઠળ તમામ બિન અનામત સમાજના 101 સભ્યોની વડાપ્રધાનને સંબોધિત હસ્તાક્ષરિત મેમોરેન્ડમ સોંપવામાં આવ્યું હતું. 59 અનામત બેઠકો પર 1961 પહેલા “બે સભ્ય મતવિસ્તારો”ની બંધારણીય વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ છે. ભારત બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ જ બનાવ્યું છે.

નૂહમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પર પોલીસે બૂલડોઝર ચલાવાયું

રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો, પ્રારંભિક તપાસમાં આ લોકો હિંસામાં સામેલ હોવાનું જણાયું નૂહહરિયાણાના મેવાત-નૂહમાં હિંસા બાદ હવે પોલીસે સફાળી જાગી છે અને ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ગેરકાયદેસર કબજા અને ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું આ…

યુપીના અમાનુલ્લાપુરનું નામ બદલીને જમુના નગર કરાશે

ઓડિશાના એક રેલવે સ્ટેશન અને રાજસ્થાનના ત્રણ ગામ સહિત કુલ ચાર ગામોના નામ બદલવાની કેન્દ્રની મંજૂરી નવી દિલ્હીકેન્દ્ર સરકારે ઓડિશાના એક રેલવે સ્ટેશન અને રાજસ્થાનના ત્રણ ગામ સહિત કુલ ચાર ગામોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે અને આ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.ઉદયપુર જિલ્લાના કાનોડ તાલુકામાં ખિમવતોં…

ગૌરીકુંડમાં ભારે પૂર- ભૂસ્ખલનથી 19 લોકો ગુમ, બેનાં મોત

ભૂસ્ખલનને કારણે મંદાકિની નદીમાં ત્રણ દુકાનો તણાઈ ગઈ, આ અકસ્માતમાં 19 લોકોના મોતની આશંકા રૂદ્રપ્રયાગઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને પગલે 19 લોકો ગુમ થયા છે. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. આ બનાવ બાદ અન્ય લોકોની શોધ ચાલુ છે. કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુંડ પાસે…

નાગરિકો વિશેની ડિજિટલ માહિતીના દુરોપયોગ બદલ 250 કરોડના દંડની જોગવાઈ

બિલમાં આંકડાની સારસંભાળ અને પ્રસંસ્કરણ કરતા એકમો માટે જવાબદેહી સાથે લોકોના અધિકારોને સ્પષ્ટ કરાયા નવી દિલ્હીકોઈ પણ એકમ હવે નાગરિકો વિશે ડિજિટલ રીતે સંગ્રહ કરાયેલી જાણકારી કે આંકડાનો દુરુપયોગ કરશે કે પછી તેનું સંગ્રહ કરવામાં નિષ્ફળ રહેશે તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ જોગવાઈ સંસદમાં રજૂ કરાયેલા ડિજિટલ…

આઈઆઈએમ માટેના નવા બિલથી સંસ્થાની સ્વાયત્તા પર ચિંતા

બિલ મુજબ રાષ્ટ્રપતિ આઈઆઈએમના વિઝિટર હશે અને તેમને તેમના કામનું ઓડિટ કરવાનો અધિકાર હશે નવી દિલ્હીમણિપુર મુદ્દે થયેલા હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે 28 જુલાઈના રોજ લોકસભામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું હતું. આ બિલ મુજબ રાષ્ટ્રપતિ આઈઆઈએમના વિઝિટર હશે અને તેમને તેમના કામનું ઓડિટ કરવાનો અધિકાર હશે. આ સિવાય આ બિલમાં…

અનેક વખત પદ છોડવાનું વિચારું છું, સીએમ પદ મને છોડતું નથીઃ ગેહલોત

રાજસ્થાનના મુખ્યપ્રધાનના મજાકમાં કરાયેલા નિવેદનથી તેમનું નિસાન કોના તરફ હતું એ રાજકારણમાં હસ્તક્ષેપ કરનારા સમજી ગયા જયપુરરાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેમણે મુખ્યમંત્રી પદને લઈને એવી વાત કહી કે જેનાથી બધા ચોંકી ગયા. અશોક ગેહલોતે કહ્યું કે તેઓ ઘણી વખત વિચારે છે કે મુખ્યમંત્રી પદ…

વિમાનનું એન્જિન બગડતાં ઈમરજન્સી લેન્ડિંગઃ 180 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા

દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-2433એ ઉડાન ભર્યાના 3 જ મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ પટણાપટણાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિન બગડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પટણા એરપોર્ટથી ઉડાન ભર્યાની માત્ર ત્રણ જ મિનિટ બાદ આ ખામી સામે આવી હતી જેના પગલે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. પાઈલટે આ દરમિયાન સમજદારીપૂર્વકની કામગીરી કરી હતી.પટણા એરપોર્ટના ડિરેક્ટરે…

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમનો સ્ટે

માનહાનિ મામલે રાહુલ ગાંધીએ આ વર્ષે માર્ચમાં સુરતની એક કોર્ટે બે વર્ષની કેદની સજા સંભળાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈએ તેમની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો નવી દિલ્હીમોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી…

દિલ્હીને સંપૂર્ણ રાજ્યનું ભાજપનું વચન, ઢંઢેરામાં ખોટું બોલ્યા કે સંસદમાઃ સુપ્રિયા સુલે

અરવિંદ કેજરીવાલનું સમર્થન કરીને સુપ્રિયા સુલેએ સરકારને ચાર પ્રશ્નો કર્યા જે દરમિયાન તેઓના આંખમાં પાણી આવી ગયા નવી દિલ્હીનેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી બિલ 2023 લોકસભામાં પસાર થઈ ગયું છે. બંને પક્ષોના કુલ 26 સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાંસદ સુપ્રિયા સુલે ખૂબ જ આક્રમક રીતે…

સુપ્રીમના ચુકાદાથી રાહુલના સંસદના દ્વાર ખુલ્યા, 2024ની ચૂંટણી પણ લડી શકશે

જો રાહુલનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયા બાદ વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ ગઈ હોત તો તેમનું સભ્યપદ બહાલ ન થયું હોત નવી દિલ્હીકોંગ્રેસ અને રાહુલ ગાંધી બંનેને શુક્રવારનો દિવસ ફળી ગયો. મોદી સરનેમ કેસમાં સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા અને તેમને સંભળાવાયેલી બે વર્ષની સજા સામે રોક લગાવી દીધી છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની…

વિપક્ષના હોબાળાથી નારાજ સંરક્ષણ પ્રધાને પાછળની ખુરશી પર જઈને નિવેદન આપ્યું

રાજનાથ સિંહે આંતર-સેવા સંગઠન બિલ, 2023 રજૂ કર્યું હતું અને તે લોકસભામાં પસાર થઈ ગયું, આ બિલ સૈન્ય સુધારાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે નવી દિલ્હીશુક્રવારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળા સાથે શરૂ થઇ હતી. જેના પરિણામે બિલ રજૂ કરવા પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નારાજ થઈ ગયા હતા. તેમણે આગળની ખુરશી છોડી પાછળ જવાનો નિર્ણય…

ઠાણેની કોલેજમાં એનસીસીના વિદ્યાર્થીને ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવ્યો

વીડિયો સામે આવ્યા લોકો કોલેજના આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, , ઘટનામાં એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો થાણેમહારાષ્ટ્રમાં એનસીસી કેડેટ્સ સાથે બનેલી ગંભીર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે ઠાણેમાં આવેલી એક કોલેજમાં એનસીસી વિદ્યાર્થીની ક્રુરતાપૂર્વક માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા…

રાજકોટથી પકડાયેલા ત્રણમાંથી એક આતંકી પાંચ વર્ષ જેતપુરમાં રહ્યો છે

સૈફ નવાઝ નામનો આતંકી સોનીબજારમાં બંગાળી કારીગર તરીકે કામ કરતો હતો, હવે આ તપાસના તાર જેતપુર સુધી પહોંચે તેવી શક્યતા રાજકોટતાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા રાજકોટમાંથી આતંકી સંગઠન સાથે સંકળાયેલા અલકાયદાના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આતંકીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં સામે આવ્યું હતું કે,ત્રણ આતંકી પૈકી એક સૈફ નવાઝ નામનો આતંકી અગાઉ…

જ્ઞાનવાપીમાં એએસઆઈ સર્વે માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી

અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વિવાદિત માળખાને સ્પર્શ ન થાય અને ત્યાં કોઈ ખોદકામ ન થાય, અમે તમામ પક્ષકારોને સાંભળ્યા છેઃ સુપ્રીમ નવી દિલ્હીજ્ઞાનવાપી કેમ્પસના સર્વેની મંજૂરી આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ…

ગમે તે થાય, મારું કર્તવ્ય એ જ રહેશે, ભારતના વિચારની રક્ષા કરવાનોઃ રાહુલ

સુપ્રીમકોર્ટે રાહુલની સજા અને દોષિત જાહેર કરવાના નીચલી કોર્ટના ચુકાદા પર રોક ન લગાવી હોત તો તે 2024ની લોકસભા ચૂંટણી ન લડી શક્યા હોત નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે આજે મોદી સરનેમ કેસમાં મહત્વનો આદેશ આપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા વધુમાં વધુ સજા આપવાનું…

સંજય રાયના દેશમાં 42 સ્થળે ઈડીના દરોડા, 14.54 કરોડની મિલ્કત ટાંચમાં લેવાઈ

ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં રોજગારની શોધમાં આવેલા ઠગ સંજય પ્રસાદ રાયે ગાંધીધામથી નોકરી કરી કેરિયરની શરૂઆત કરી હતી નવી દિલ્હીકરોડો રુપિયાની છેતરપીંડી કરનાર અને પીએમઓના નામે અનેક લોકોને શીશામાં ઉતારનાર નટરવલાલ સંજય રાય ઉર્ફે સંજય શેરપુરીયાના દેશભરમાં 42 સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા છે. ઈડીએ આ આ દરોડા ગાંધીધામ સહિત દેશના જૂદા-જૂદા શહેરોમાં દરોડા પાડીને કુલ…

સગીરોને લિવઈનમાં રહેવાની મંજૂરી ન આપી શકાયઃ કોર્ટ

અલ્હાબાદ હાઈકોર્ટે આ કૃત્યને માત્ર અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદેસર પણ ગણાવ્યું પ્રયાગરાજલિવ-ઈન રિલેશનશિપનો ટ્રેન્ડ પણ જબરદસ્ત વધી ગયો છે. ઘણીવાર આવા કિસ્સાનો કરુણ અંત આવતો હોય છે. તેવામાં અલ્હાબાદ હાઈકોર્ટે હાલમાં આ અંગે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને લિવ-ઈનમાં રહેવાની મંજૂરી આપી શકાય નહીં તેમ કહ્યું હતું અને આ…