મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખને મારી નાખવા ધમકી

પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે, કોંગ્રેસના ધારાસભ્યને બે વખત ધમકીભર્યા ફોન આવ્યા હતા મુંબઈ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અસલમ શેખને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગોલ્ડી બરાડ તરીકે આપી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના ધારાસભ્યને બે વખત…

ગોંદિયામાં એનસીપીમાં ફૂટ બાદ 300 કાર્યકર્તાનો કોંગ્રેસમાં પ્રવેશ

હાલમાં ભાજપના કાર્યકર્તાઓ ત્રાસ આપી રહ્યાં હોવાનો આક્ષેપ કરી રાષ્ટ્રવાદીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે ગોંદિયા પ્રફુલ પટેલનો ગૃહ જિલ્લો એટલે કે ગોંદિયામાં રાષ્ટ્રવાદિના ગઢમાં ગાબડું પડ્યું છે. યુવા રાષ્ટ્રવાદીના તાલુકા અધ્યક્ષ સહિત 300 કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પડેલી ફૂટ બાદ આ તમામ કાર્યકર્તાઓ પ્રફુલ પટેલ સાથે હતાં. જોકે હાલમાં ભાજપના કાર્યકર્તાઓ…

તેલંગણાના એક ગામમાં લગભગ 100 વાંદરાના મૃતદેહ મળ્યા

મૃત વાંદરાઓના કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા, સેમ્પલ હૈદરાબાદની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હૈદરાબાદ તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લામાં એક ગામની બહાર લગભગ 100 વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુનિગડાપાના કેટલાક ગ્રામજનોએ શનિવારે તેમના ખેતરો પાસે મૃત વાંદરાઓ જોયા અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી. આ પછી અધિકારીઓએ વેટરનરી વિભાગને જાણ કરી હતી.પશુચિકિત્સા અને…

નૈનિતાલમાં બસ ખાઈમાં પડતાં પાંચ બાળક-મહિલા સહિત સાતનાં મોત

ઘાયલ મુસાફરોને ઘટના સ્થળેથી બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા દહેરાદૂન ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખાઇમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં 32 લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલની મુલાકાતે આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા…

રાજ્યસભાના સાંસદ સહિત 27 ભારતીય ઈઝરાયેલમાં ફસાયા

તમામ લોકો સુરક્ષીત હોવાનું કહેવાઇ રહ્યું છે, 27 નાગરિકોએ બોર્ડર ક્રોસ કરી લીધી મેઘાલય ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં અન્ય દેશોના લોકો ફસાયા છે. બોલીવુડ અભિનેત્રી નુસરત ભરુચા પણ ઇઝરાયેલમાં ફસાઇ હતી. જોકે તે રવિવારે સુરક્ષીત રીતે ભારત પાછી ફરી હતી. હજી ભારતા 27 નાગરિકો ઇઝરાયેલમાં ફસાયા છે જેમાં રાજ્યસભાના એક સાંસદ પણ છે તેવી જાણકારી…

અલિગઢ મુસ્લિમ યુનિ.માં પેલેસ્ટાઈનના સમર્થનમાં છાત્રોનો સૂત્રોચ્ચાર

ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય ન હોવાનો વિદ્યરાથીઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો અલિગઢ ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં ગઈ કાલે પેલેસ્ટાઈનના સમર્થનમાં સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ‘વી સ્ટેન્ડ પેલેસ્ટાઈન’ અને ‘એએમયુ સ્ટેન્ડ વીથ પેલેસ્ટાઈન’ જેવા પોસ્ટરો અને…

વિદ્યાર્થીઓની આત્મહત્યા નિવારવા સરકારની નવી ગાઈડલાઈન ઉમ્મીદ

આ નવી ગાઈડલાઈન્સ મુજબ હવે સ્કૂલમાં સુસાઇડ પ્રિવેન્શન માટે પ્લાન ઓફ એક્શન તૈયાર કરવાનું રહેશે નવી દિલ્હી ભારતમાં એક સરકારી ડેટા મુજબ વર્ષ 2021માં લગભગ 13 હજાર વિધાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવામાં  આવી હતી. જયારે 2020-21માં 4.5 ટકા ઓછી આત્મહત્યા થઇ હતી. ડબલ્યુએચઓ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 7 લાખ લોકો આત્મહત્યા કરે છે, જેમાં 15-29…

દેશના પાંચ રાજ્યોમાં 7, 17,23 અને 30 નવેમ્બરે ચૂંટણી, 3 ડિસેમ્બરે પરિણામ

મધ્યપ્રદેશ,   છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી, 60 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે નવી દિલ્હી હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ,   છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ…

આંધ્ર હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડૂની ત્રણ જામીન અરજી ફગાવી દીધી

પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે નવી દિલ્હી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાંથી ફરી એક વખત પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂને ઝટકો લાગ્યો છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે નાયડૂ દ્વારા અલગ-અલગ કેસોમાં દાખલ 3 જામીન અરજી ફગાવી દીધી છે.  સીઆઈડીએ 9 સ્પટેમ્બરના રોજ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરી હતી. પુર્વ મુખ્યમત્રી…

મહિલાઓ વિરૂધ્ધ ગુનાના મામલે કોર્ટે સંવેદનશીલ રહેવું જોઈએઃ સુપ્રીમ

એક વ્યક્તિ અને તેમની માતા દ્વારા પોતાની પત્ની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવાની સજા વિરુદ્ધ દાખલ અરજીને ફગાવી દીધી નવી દિલ્હી મહિલાઓ વિરૂદ્ધ ગુના મામલે સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોએ મહિલાઓ વિરુદ્ધ ગુના મામલેની સુનાવણી દરમિયાન સંવેદનશીલ હોવું જોઈએ. જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની પીઠે…

રશિયા પાસેથી સસ્તું ઓઈલ દેશ-વૈશ્વિક હિતોને ધ્યાનમાં રાખીને ખરીદ્યુઃ પુરી

પુરીએ રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની મંદી અંગેનો પણ ઉલ્લેખ કર્યો નવી દિલ્હી ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલ ઑઈલ એન્ડ ગેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં તેમણે રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની…

સિક્કિમમાં 14000 કરોડના ડેમ સંદર્ભે અનેક વખત ચેતવણી અપાઈ હતી

ફ્લડનું નિરીક્ષણ કરતી સિસ્ટમ અંગે રીડિંગ પર ધ્યાન ન અપાયું, જો સમયસર એલર્ટ કરાયા હોત તો કદાચ નુકસાનથી બચી શકાયા હોત ગંગટોક તાજેતરમાં જ સિક્કિમમાં આભ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં લ્હોનાક લેકમાં એટલી હદે પાણી આવી ગયું કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડની ઘટના બની અને તેના લીધે તીસ્તા નદી ગાંડીતૂર બની હતી. જેના પગલે…

મહારાષ્ટ્રમાં 131 દર્દીના મોત માટે જવાબદાર કોણઃ રાજ્યને પંચની નોટિસ

હોસ્પિટલ મેનેજમેન્ટ અને તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતાં હવે માનવાધિકાર પંચે રાજ્ય સરકારને નોટિસ પાઠવી 4 સપ્તાહમાં જવાબ આપવા સમય આપ્યો મુંબઈ મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી દર્દીઓનો મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. નાંદેડ બાદ હવે નાગપુરમાં માત્ર ચાર જ દિવસમાં 80 દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન આ બે જિલ્લામાં દર્દીઓના…

સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે

તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતને કડક રીતે લાગુ કરવા કેન્દ્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો નવી દિલ્હી સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે. કેન્દ્ર સરકારે  સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની અસ્થાયી નિમણૂકમાં એસસી/એસટી/ઓબીસી અનામત મળશે.  કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ…

કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખસેડ્યા હોવાની શક્યતા

કેનેડાના વિદેશમંત્રી મેલોની જોલીએ નિવેદન આપ્યું કે, સરકાર કર્મચારીઓમાં કાપના મુદ્દે ભારત સાથે રાજદ્વારી રીતે વાતચીત કરી રહી છે નવી દિલ્હી ભારત કેનેડા વચ્ચે તનાવપૂર્ણ સંબંધ જોવા મળી રહ્યા છે. એવામાં ભારતે કેનેડા પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા 41 કેનેડીયન રાજદ્વારીઓને પાછા બોલવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ એવું…

મેનકા અને વરૂણ ગાંદીનું ભાજપ પત્તું કાપે એવી શક્યતા

માતા-પુત્રે ભાજપના સ્થાનિક કાર્યકરોનો ટેકો ગુમાવી દીધો હોવાના માડિયા રિપોર્ટસ લખનૌ/નવી દિલ્હી   ભારતીય જનતા પાર્ટી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મેનકા ગાંધી કે વરૂણ ગાંધીને પિલભત કે સુલ્તાનપુરમાંથી ચૂંટણી લડવાની ટિકીટ આપે તે સંભવિત લાગતું નથી. આ માહિતી આપતાં અખબારો સહિત અન્ય મિડીયા રિપોર્ટસ પણ જણાવે છે કે તે માતા-પુત્રે ભાજપના સ્થાનિક કાર્યકરોનો ટેકો ગુમાવી દીધો…

પંજાબ પાસે અન્ય રાજ્યને આપવા એક ટીપું પાણી નથીઃ માન

અન્ય રાજ્યોને આપીએ છીએ, તેથી વધારે એક ટીપું પણ પાણી આપવાના નથી, પંજાબના મુખ્યપ્રધાનનો કેબિનેટની બેઠકમાં હુંકાર ચંડીગઢ   સર્વોચ્ચ અદાલતે બુધવારે સતલજ-યમુના-લિંક (એસ.વાય.એલ.) માટે પંજાબમાં તેની કેનાલ માટેની જમીનની મોજણી શરૂ કરવા જણાવ્યું હતું, અને તે માટે પંજાબ સરકારને સહકાર આપવા આદેશ આપ્યો હતો. તે પછી બીજા જ દીવસે ગુરૂવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને…

રાજૌરીમાં આતંકી હુમલો નહીં તો કોનો હાથ એ મોટો સવાલ

અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં 3 અધિકારી સહિત ઓછામાં ઓછા 5 સૈન્યકર્મી ઘવાયા હતા જમ્મુ જમ્મ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે એક સૈન્ય કેમ્પમાં એક અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં 3 અધિકારી સહિત ઓછામાં ઓછા 5 સૈન્યકર્મી ઘવાયા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.  સૂત્રોના જણાવ્યાનુસાર મેજર રેન્કના એક અધિકારીએ ગોળીબારના અભ્યાસ…

એનડીએમાં છું, ટીડીપીને સમર્થન આપીશુઃ પવન કલ્યાણ

અભિનેતામાંથી નેતા બનેલા પવને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સામે પણ આકરા પ્રહારો કર્યા અને તેમને આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી અમરાવતી જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે એનડીએ છોડવાની અટકળોને  સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે જો તે ભવિષ્યમાં આવો કોઈ નિર્ણય લેશે તો તે અંગે યોગ્ય જાહેરાત કરશે. એવી અફવા ફેલાઇ હતી…

સાત ફેરા વગરના હિન્દુ વિવાહ કાયદેસર ન મનાયઃ કોર્ટ

પત્નીએ છૂટાછેડા લીધા વિના જ બીજા લગ્ન કરી લીધાં છે એટલા માટે તેને દંડિત કરવાની પતિની માગ કોર્ટે ફગાવી દીધી અલ્હાબાદ અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે સાત ફેરાં અને અન્ય રીતિઓ વગર હિન્દુ વિવાહ  કાયદેસર મનાય જ નહીં. હાઈકોર્ટે એક કેસ ફગાવી દીધો હતો જેમાં એક પતિએ આરોપ મૂક્યો હતો કે તેની પત્નીએ…