અરવિંદ કેજરીવાલે ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી

ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ ધરપકડ કરી લેવામાં આવી હોવાનો કેજરીવાલનો દાવો નવી દિલ્હી  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વખતે કેજરીવાલે દલીલ કરી હતી કે અમને ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત…

સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીનું નામ ઈડીના વકીલોની યાદીમાં

ભાજપ અને ઈડી સાથે મળીને કામ કરી રહ્યા હોવાનો આપના નેતા સૌરભ ભારદ્વાજનો આક્ષેપ નવી દિલ્હી ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે નવી દિલ્હી બેઠક પરથી બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતાર્યા છે. બાંસુરી પાર્ટીના પ્રવક્તા છે અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પુત્રી પણ છે. જે વ્યવસાયે વકીલ છે. હાલમાં તેમનું નામ ઈડીના વકીલોની યાદીમાં આવી ગયું…

સત્તા પર આવીશું તો ભ્રષ્ટાચાર સામે ઈમાનદારીથી લડીશુઃ રમેશ

સત્તા આવીશું ત્યારે લોકશાહી રીતે અને સંસદીય સમિતિને સામેલ કરી તમામ બાબતોની સમીક્ષા કરીશું નવી દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જમીન કૌભાંડમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ વિપક્ષો સતત સત્તાધારી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કરતી રહે છે. અગાઉ પણ ઈડીએ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિત ઘણા…

અનમોલે એનડીએ અને એનએ 2 પરીક્ષા 2023માં ટોપ કર્યું

699 ઉમેદવારોએ આર્મી, એરફોર્સ અને એનડીએના 152મા કોર્સ અને આઈએનએના 114મા કોર્સ માટે ક્વોલિફાય કર્યું નવી દિલ્હી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમી પરીક્ષા, 2023નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ ડાઉનલોડ કરી શકાય છે. યુપીએસસી દ્વારા શેર કરવામાં આવેલી યાદી…

બોક્સર વિજેન્દ્ર કુમાર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયો

 વિજેન્દ્ર સિંહ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે ભાજપમાં જોડાયો હોવાનો ભાજપના નેતાનો દાવો નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મુક્કેબાજ વિજેન્દ્ર કુમારે આજે કોંગ્રેસને હાથ તાળી આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ હેડક્વાર્ટર ભાજપના મહાસચિવ વિનોદ તાવડેની ઉપસ્થિતિમાં વિજેન્દ્રને ખેસ પહેરાવાયો છે. કોંગ્રેસે ત્રીજી માર્ચે મથુરા બેઠક પરથી વિજેન્દ્રને ટિકિટ આપી હતી. જોકે હવે તે…

આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ફાઈટર પ્લેન લેન્ડિંગ-ટેકઓફ કરશે

2 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી હાઈવે પર ટ્રાફિક બંધ, 10 દિવસો માટે ટ્રાફિક માટે ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું લખનઉ ભારતીય વાયુસેના (આઈએએફ) એ ગઈ કાલે સોમવારથી 10 દિવસીય ‘ગગન શક્તિ-2024′  સૈન્ય કવાયત શરૂ કરી છે. આ ડ્રિલ હેઠળ દેશના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોજવામાં આવશે, આ વાયુ સેનાની સૌથી મોટી ડ્રિલ છે. એવામાં આજથી…

બે પૂર્વ વડાપ્રધાન સહિત ચાર વિભૂતિયોને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન

રાષ્ટ્રપતિ આજે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ્થાને ભારત રત્ન એનાયત કરશે નવી દિલ્હી ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે પૂર્વ વડાપ્રધાન સહિત 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ…

દિલ્હીના પરિવહન મંત્રીને પણ લીકર પોલીસી કાંડમાં સમન્સ

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત પર દિલ્હીની નવી દારુ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. આજે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને કૌભાંડ સંબંધિત…

રાહુલ ગાંધીને સામે ભાજપે 242 કેસવાળા ઉમેદવારને ઉતાર્યો

કાનૂની જરૂરિયાતો મુજબ, કે. સુરેન્દ્રને તાજેતરમાં પાર્ટીના મુખપત્રમાં તેમના વિરુદ્ધ કેસની વિગતો પ્રકાશિત કરી નવી દિલ્હી ભાજપે તેના કેરળ એકમના વડા અને વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર  કે. સુરેન્દ્રનને જાહેર કર્યા છે. સુરેન્દ્રન સામે 242 ગુનાહિત કેસ છે. વાયનાડ સીટ પર સુરેન્દ્રનનો મુકાબલો કોંગ્રેસના વર્તમાન સાંસદ રાહુલ ગાંધી સાથે થશે. કાનૂની જરૂરિયાતો અનુસાર, સુરેન્દ્રને…

પશ્ચિમ બંગાળમાં ટીએમસી-ભાજપ વચ્ચે કાર્ટૂન યુદ્ધ

તૃણમૂલે એક્સ હેન્ડલથી એક કાર્ટૂન શેર કરીને વડાપ્રધાન અને બંગાળ ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા કોલકાતા લોકસભા ચૂંટણીને લઈને બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ વચ્ચે વીડિયો વોર બાદ હવે એક કાર્ટૂન યુદ્ધ છેડાઈ ગયુ છે. તૃણમૂલે શુક્રવારે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલથી એક કાર્ટૂન શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બંગાળ…

ઝારખંડના પૂર્વ સીએમ સામે ઈડી ચાર્જશીટ દાખલ કરી

એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે, હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી રાંચી  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) રાંચીના બાર્ગેન વિસ્તારમાં 8.46 એકર જમીન કૌભાંડમાં ઝારખંડના ભૂતપૂર્વ સીએમ હેમંત સોરેન વિરુદ્ધ 30 માર્ચે વિશેષ પીએમએલએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે. સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ…

માનહાનિના કેસમાં કૉંગ્રેસના નેતાઓને અદાલતનું સમન્સ

રાહુલ ગાંધીને 1 જૂને હાજર થવાનો નિર્દેશ, સિદ્ધારમૈયા અને શિવકુમારને 29 એપ્રિલે હાજર થવા માટે સમન્સ બેંગલૂરુ માનહાનિના કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતાઓને વિશેષ અદાલતે સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે 2023 માં ભાજપે 40% કમિશન લીધું હતું અને પાર્ટી પાસે આરોપોને સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો…

આચારસંહિતાની જાહેરાત બાદ પંચને 79,000 ફરિયાદ મળી

આમાંથી 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરાયું અને તેમાંથી લગભગ 89% ફરિયાદો 100 મિનિટમાં ઉકેલાઈ નવી દિલ્હી ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેને 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે તેની સીવિજિલ એપ્લિકેશન દ્વારા 79,000 થી વધુ ફરિયાદો મળી છે.ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું હતું કે આમાંથી 99%…

પૂર્વ કેન્દ્રીયમંત્રીનાં પૂત્રવધૂ અર્ચના પાટીલ ભાજપમાં જોડાયા

અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાય છે મુંબઈ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અર્ચના પાટિલ ચાકુરકર ભાજપમાં જોડાયા…

કોંગ્રેસ પાસેથી આવકવેરા ખાતાએ 135 કરોડ રૂપિયા વસૂલ કર્યા

રોકડના ઉપયોગને કારણે કોંગ્રેસે વર્ષ 2018-19માં આવકવેરા છૂટ ગુમાવી દીધી હતી, એપ્રિલ 2019માં સર્ચ ઓપરેશનમાં બાબત સામે આવી હતી નવી દિલ્હી આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી 135 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. અહેવાલો અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ રૂપિયાના ઉપયોગને કારણે કોંગ્રેસ પાસેથી આ આવકવેરો વસૂલવામાં આવ્યો હતો. રોકડના ઉપયોગને કારણે કોંગ્રેસે વર્ષ 2018-19માં આવકવેરા છૂટ…

ઓડિશાના બીજેડીના સાંસદ અનુભવ મહાંતિનું રાજીનામું

ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળને મોટો ઝટકો ભૂવનેશ્વર લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ માટે જાણે પક્ષપલટાની ઋતુ આવી ગઈ છે. આ સૌની વચ્ચે એક રાજ્યમાં સત્તાધારી પાર્ટી બીજેડી મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળ (બીજેડી) ને શનિવારે મોટો ઝટકો લાગ્યો.  પાર્ટીના કેન્દ્રાપડા લોકસભા…

યુસુફને ભારતીય ક્રિકેટ ટીમની તસવીરના ઉપયોગ બદલ ઠપકો

પંચ તરફથી યુસુફને સૂચના અપાઈ કે તે ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીય ટીમની તસવીરનો ઉપયોગ કરી શકશે નહીં કોલકાતા ચૂંટણી પંચે બહરમપુરથી તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ચૂંટણી પ્રચારમાં ભારતીય ક્રિકેટ ટીમની કોઈ પણ તસવીર કે વીડિયોનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. તેના વિરુદ્ધ કોંગ્રેસે પંચને ફરિયાદ કરી હતી, જેની પર આ કાર્યવાહી કરવામાં…

રાજનાથના અધ્યક્ષપદે ભાજપની 27 સભ્યોની મેનિફેસ્ટો કમિટી

નાણા મંત્રી સીતારમણ સંયોજક અને ગોયલ સહ-સંયોજક, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને મહત્વની જવાબદારી નવી દિલ્હી ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષ પદે રચાયેલી આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને સંયોજક અને…

ટિકિટ ન મળવા છતાં પારસની એનડીએ સાથે જ રહેવા જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમારા નેતા છે અને તેમના નિર્ણય અમારા માટે સર્વોપરી છેઃ પશુપતિ પારસ પટના બિહારમાં એનડીએની બેઠકોની વહેંચણીમાં આરએલજેપીના વડા પશુપતિ પારસ ખાલી હાથે રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એક પણ બેઠક મળી નથી. ત્યારે એવા અહેવાલો વહેતા થયા હતા કે,પશુપતિ પારસ હવે એનડીએ સામે બળવો કરી શકે છે અને તે ઈન્ડિયા ગઠબંધનમાં…

શ્રીનગર-જમ્મુ હાઈવેના રામબન પાસે અકસ્માતમાં 10નાં મોત

પોલીસ, એસડીઆરએફ અને રામબન સિવિલની ક્યુઆરટી ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી જમ્મુ દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મૂ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક એક ભયાનક માર્ગ…