કટિહારમાં પ્રદર્શનકારીઓ પર પોલીસના ગોળીબારમાં એકનું મોત

વિરોધ કરી રહેલા લોકો અચાનક ઉગ્ર બની જતા પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને એરિયલ ફાયરિંગ કરતા ત્રણ જણાને ગોળી વાગી કટિહારબિહારના કટિહારમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. જ્યારે બેની હાલત નાજુક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારસોઈ પ્રખંડ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પાવર કટનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં ગ્રામજનો…

મોદી સરકાર સામેની અવિશ્વાસની બે દરખાસ્તને લોકસભા સ્પિકરે મંજૂરી આપી

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેઓ તમામ પક્ષો સાથે વાત કરશે, પછી જાહેરાત કરશે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ક્યારે ચર્ચા થશે નવી દિલ્લીકોંગ્રેસે તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સાથે મળીને લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ બે અલગ-અલગ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે…

મણિપુરના આદિવાસીઓ પર હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવા માગ

મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી નવી દિલ્હી દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વંશીય સંઘર્ષને કારણે જોમી-કુકી સંગઠને પીએમ મોદીના હસ્તક્ષેપની માંગ કરતા પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યના આદિવાસીઓ પર થયેલા હુમલાની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ તેવી માગ કરી છે. આ…

અયોધ્યાને ગ્લોબલ સિટી બનાવવા હજારો કરોડનો પ્રોજેક્ટ

અયોધ્યાના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરતા પહેલા જેરુસલેમ અને વેટિકન સિટી જેવા તીર્થધામોની સુવિધાઓ અને વ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવ્યો અયોધ્યા એક તરફ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને બીજી તરફ શહેરને ગ્લોબલ સિટી બનાવવા માટે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. અયોધ્યાના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરતા…

કારગિલ દિવસ પર મોદી સહિત નેતાઓની શહીદોને અંજલિ

કારગિલ વિજય દિવસ ભારતના એ અદભૂત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશેઃ મોદી નવી દિલ્હી આજે 26મી જુલાઈના રોજ સમગ્ર દેશ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. 24 વર્ષ પહેલા વર્ષ 1999માં આજના દિવસે ભારતીય સેનાએ કારગીલ શિખરો પર ઘૂસી ગયેલા દુશ્મનોને હરાવીને વિજયનું એલાન કર્યું હતું….

ઈમ્ફાલના મોલમાં મહિલાની છેડતી કરનારો બીએસએફનો જવાન સસ્પેન્ડ

પજવણી કરનાર બીએસએફ જવાન સામે ઇમ્ફાલમાં છેડતીનો કેસ પણ નોંધવામાં આવ્યો ઈમ્ફાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)નો જવાન એક છોકરીની પજવણી કરતો જોવા મળે છે. આ ઘટના મણીપુરના ઇમ્ફાલમાં આવેલા એક ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં બની હતી. આ ઘટના અંગે પગલા ભરતા બીએસએફએ છેડતીખોર હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો…

બરૌની-નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન ત્રણ કિમી ખોટી દીશામાં દોડી

મુઝફ્ફરપુરથી નર્કટિયાગંજ ડાઈવર્ટ કરેલી ટ્રેનને હાજીપુર રેલ લાઈનમાં સિગ્નલ અપાયું, જોકે લૉકો પાઇલટ અને ગાર્ડને જાણ થતા ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને મુઝફ્ફરપુર પાછી લવાઈ પટણા રેલવેમાં રોજ બનતા અવનવા અકસ્માત પૈકી તાજેતરમાં બિહારના બરૌનીથી નવી દિલ્હી રવાના થયેલી સ્પેશિયલ ટ્રેન ત્રણેક કિલોમીટર સુધી ખોટી દિશામાં જવાને કારણે રેલવે(ઈસીઆર) તંત્રમાં દોડાદોડી થઈ ગઈ હતી. લોકો પાઇલટને…

રસ્તાની બાજુમાં ઊભેલી કારને કન્ટેનરે ટક્કર મારતા ચારનાં મોત

આ તમામ પુષ્કર, અજમેર અને ખાટુ શ્યામની મુલાકાત લઈને મેરઠ પરત ફરી રહ્યા હતા, એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ બહાદુરગઢ હરિયાણાના બહાદુરગઢમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત બહાદુરગઢમાં કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર…

રાજસ્થાનમાં પુત્રીના લવ મેરેજથી નારાજ માતા-પિતાની આત્મહત્યા

પેટાઃ સુસાઈડ નોટમાં લખ્યું, અમારી દીકરીએ લવ મેરેજ કર્યા છે, જેથી અમે પરેશાન છીએ અને આત્મહત્યા કરીએ છીએ, પોલીસે અમારા પુત્રને હેરાન ન કરવો બાડમેર રાજસ્થાનમાં એક દંપતીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તેમની પુત્રીએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. દંપતી આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં લખ્યું…

મણિપુરમાં 22-23 જુલાઈએ 718 મ્યાનમાર નાગરિકો પ્રવેશ્યા

મણિપુર સરકારે આસામ રાઈફલ્સ પાસેથી આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો, મ્યાનમારના નાગરિકોના બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ્સ રાખવાનો નિર્દેશ ઈમ્ફાલમણિપુરમાં હાલમાં જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયી નથી. મણિપુરમાં હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સોમવારે મોડી રાત્રે ગૃહ વિભાગે આપેલા નિવેદન પ્રમાણે…

ગુજરાતમાં રાહત પણ દેશના 12 રાજ્યોમાં વરસાદ મુસ્કેલી વધારશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોનસૂન ટર્ફ સતત સક્રિય છે અને તે તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે નવી દિલ્હીસોમવારે પણ દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગાહી દર્શાવે છે કે ગુજરાતમાં વરસાદથી રાહત મળી શકે છે, પરંતુ 12 રાજ્યો માટે ચોમાસું મુશ્કેલીમાં વધારો જ કરશે….

મણિપુર મહિલાઓને પરેડ મામલે સાતમા આરોપીની ધરપકડ

પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની ધરપકડ માટે ઠેર ઠેર શોધખોળ ઈમ્ફાલમણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવવા મામલે પોલીસે સાતમા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની ધરપકડ માટે ઠેર ઠેર શોધખોળ અભિયાન ચલાવી રહી છે.આ ઘટના અંગે અત્યાર સુધી પોલીસે…

લગ્ન-જાનમાં ગીતો વગાડવા એ કોપીરાઈટનો ભંગ નથી

લગ્નમાં ગીતો વગાડવાએ કાયદાનું ઉલ્લંઘન ન ગણાય અને કોઈ પણ આવી પ્રવૃત્તિઓ માટે રોયલ્ટી ન ઉઘરાવી શકે નવી દિલ્હીસરકારે સ્પષ્ટતા કરી હતી કે લગ્ન કે જાનમાં ગીતો વગાડવા તે કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન ન ગણાય અને કોઈ પણ આવી પ્રવૃત્તિઓ માટે રોયલ્ટી ન ઉઘરાવી શકે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી)એ એક જાહેર નોટિસમાં કહ્યું…

મણિપુર મુદ્દે સાંસદોના સંસદ બહાર સોમવારે આખી રાત ધરણા

અમારી એક જ માંગ છે કે પીએમ મોદીએ મણિપુર મુદ્દે બોલવું જોઈએ. અમે અહીં વિરોધ કરવાનું ચાલુ રાખીશુઃ સંજયસિંહ નવી દિલ્હીઆમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદની બહાર આખી રાત ધરણાં કર્યા હતા. મણિપુરમાં નગ્ન મહિલાઓની પરેડ સંબંધિત વાયરલ વીડિયોને લઈને દેશમાં માર્ગોથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચી…

યુપીમાં ગેરકાયદેસર રહેતા 74 રોહિંગ્યાની એટીએસે ધરપકડ કરી

ધરપકડ કરાયેલા રોહિંગ્યા લોકોમાં 16 મહિલાઓ અને છોકરીઓ અને 58 પુરુષો છે, આ તમામ લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી અમદાવાદગઈકાલે યુપી એટીએસએ રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા 74 રોહિંગ્યાઓની ધરપકડ કરી હતી. રાજ્યના વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એટીએસને માહિતી મળી રહી હતી કે કેટલાક…

ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોમાં પણ આવે છેઃમોદી

ઈસ્ટ ઈન્ડિયા કંપની અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયામાં પણ ઈન્ડિયાનો ઉલ્લેખ છેઃ વડાપ્રધાન નવી દિલ્હીભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષ પર ભારે પ્રહારો કર્યા હતા. છેલ્લા 4 દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે, મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. વિપક્ષ વિખેરાયેલો અને હતાશ લાગી રહ્યો છે.આટલું જ…

ઈન્ડિયા હેઠળના વિપક્ષોની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની યોજના

ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છેઃ નરેન્દ્ર મોદી નવી દિલ્હીસંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો યથાવત જોવા મળ્યો હતો. જેના કારણે લોકસભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ મણિપુર મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે….

ઝારખંડમાં પ્રેમીને મળવા ગયેલી યુવતી 8-10 લોકોનો ગંગરેપ

પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી ઝારખંડભારતમાં રેપ, હત્યા સહિતના ગુનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. યુવતીઓ, મહિલાઓ સાથે રેપ કે ગેંગરેપ થવાના કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક આદિવાસી યુવતી તેના પ્રેમીને મળવા માટે પહોંચી હતી. એ સમયે તેની…

નવ વર્ષમાં મની લોન્ડરિંગ કેસમાં 93 ટકાથી વધુ દોષિત

13 જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં 25 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવાનો ખુલાસો નવી દિલ્હીભારત સરકારે ગઈકાલે સંસદમાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ છેલ્લા નવ વર્ષમાં મની લોન્ડરિંગના કેસમાં 93 ટકાથી વધુને દોષિત ઠેરવ્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 13 જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં 25 ટકાથી વધુ જગ્યાઓ…

મિશન દોસ્તી હેઠળ ભાજપ મોટાપાયે વિપક્ષોને પક્ષમાં જોડશે

મુખ્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવા મહાઅભિયાન શરૂ કરવાની તૈયારી નવી દિલ્હીછેલ્લા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી રણનીતિ બનાવાઈ રહી છે. આ રણનીતિ હેઠળ સૌથી મોટો મુદ્દો વિપક્ષી નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવાનો પણ છે. આ અભિયાનને સફળ બનાવવા કેન્દ્રથી લઈને ભાજપના દિગ્ગજ નેતાઓએ કામ પણ શરૂ કરી…