અમે ઈન્ડિયન છીએ, મણિપુરને ઊભું કરવા કામ કરીશુઃ રાહુલ ગાંધી

મણિપુરને ઉભું કરવા અને ત્યાંની મહિલાઓ અને બાળકોના આંસુ લુછવા અમે કામ કરીશું, મણિપુરમાં ફરી ઇન્ડિયાની વિચાર ધારાને જીવંત કરાશેઃ કોંગ્રેસના નેતા નવી દિલ્હીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રહારોનો જવાબ આપતા ટ્વીટ કર્યું છે. આજે પીએમ મોદીએ વિપક્ષના ગઠબંધન ઈન્ડિયાની તુલના ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી કરી હતી જેના…

ભારતીય સેનામાં અગ્નિવીર યોજના હેઠળ નેપાળીઓની ભરતી નહીં કરાય

નેપાળ દ્વારા સંખ્યાબંધ વખત ભારતનો વિરોધ કરવાના કારણે તેમજ ચીન સાથે તેની વધી રહેલી નિકટતાના કારણે ભારતે આ નિર્ણય લીધો કાઠમંડુભારતે છેલ્લા કેટલાક વર્ષોથી નેપાળ સાથે ના સબંધોમાં આવેલા ઉતાર ચઢાવ વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે.જે પ્રમાણે હવે નેપાળીઓની ભારતીય સેનામાં ભરતી કરવામાં નહીં આવે.નેપાળના ગુરખા સૈનિકો દાયકાઓથી ભારતીય સેનામાં ફરજ બજાવતા રહ્યા છે…

તિસ્તા, શ્રીકુમાર બાદ સંજીવ ભટ્ટે પણ ડિસ્ચાર્જ આરજી ફાઈલ કરી

સેશન્સ કોર્ટ અગાઉ તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની પણ ડિસ્ચાર્જ અરજી ફગાવી ચૂકી છે અમદાવાદગુજરાતમાં 2002ના રમખાણો બાદ તત્કાલીન સીએમ મોદી અને રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ,પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને પૂર્વ આપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ સામે સિટની તપાસ ચાલી રહી છે.ત્યારે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરી છે. સેશન્સ કોર્ટ અગાઉ…

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાવાપીના સર્વે સામેની મુસ્લિમ પક્ષની અરજી સ્વિકારી

હાઈકોર્ટ આ મામલે બુધવારે સુનાવણી કરશે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો હાજર રહેશે, હાઈકોર્ટ બુધવારે જ પોતાનો ચુકાદો આપશે અલ્હાબાદઅલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના એએસઆઈ સર્વે અંગે મુસ્લિમ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. હવે બુધવારે એટલે કે આવતી કાલે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરશે. આ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ…

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY(U) અંતર્ગત 4,93,36 પાકા ઘર બાંધવામાં આવ્યા

આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAYU) ‘હાઉસિંગ ફોર ઓલ મિશન’ અંતર્ગત ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 4,93,136 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને પાકા ઘરો પૂરા પાડવા માટે આ યોજના જૂન 25, 2015થી અમલમાં આવી ત્યારથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાકા ઘરો બાંધવા માટે રૂ. 2398.44 કરોડની કેન્દ્રિય સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, દેશના 28 રાજ્યો અને 08 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ રૂ. 47,332 ની કેન્દ્રિય સહાયના ઉપયોગ સાથે ના.વ.2020-21થી કુલ 39,63,232 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. કેન્દ્રિય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરે આ  માહિતી જુલાઈ 24, 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી. મંત્રીના નિવેદન અનુસાર, આ યોજનામાં ત્રણ કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS) રહેલા છે જેમકે, લાભાર્થી આધારિત વ્યક્તિગત ઘર નિર્માણ અથવા વધારો (BLC), ભાગીદારીમાં કિફાયતી આવાસ (AHP) અને સ્વ-સ્થળ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજના (ISSR), અને એક કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS) ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના. આ યોજનાના કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS)માં વાર્ષિક રૂ.3 લાખ સુધીની આવકમર્યાદા ધરાવતા આર્થિક રીતે પછાત (EWS)ના લાભાર્થીઓ, જ્યારે કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS)માં વાર્ષિક રૂ. 18 લાખની આવક ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે, નિવેદન અનુસાર. નથવાણી પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAYU) યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં બાંધવામાં આવેલા પાકા ઘરોની સંખ્યા તથા રાજ્ય સરકારોએ આ યોજના હેઠળ આપવામાં આવેલી કેટલી કેન્દ્રિય સહાયનો ઉપયોગ કર્યો છે તે અંગે જાણવા માંગતા હતા. નિવેદન અનુસાર, PMAY-U હેઠળ, આશરે રૂ.2 લાખ કરોડની કેન્દ્રિય સહાસ સાથે 118.90 લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 112.22 લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, જેમાંથી 10.07.2023ની સ્થિતિએ 75.31 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂરુ થઈ ગયું છે અથવા તો સોંપી દેવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત આજની તારીખ સુધીમાં કુલ રૂ. 1.47 લાખ કરોડની કેન્દ્રિય સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે, નિવેદન અનુસાર. મંત્રીના નિવેદન અનુસાર, CLSSને બાદ કરતાં, PMAYUનો અમલીકરણ ગાળો અગાઉ 31.03.2022 સુધી નિર્ધારીત કરવામાં આવ્યો હતો, જે હવે ફંડિંગની પેટર્ન કે અમલીકરણની પદ્ધતિમાં બદલાવ વગર 31.12.2024 સુધી લંબાવવામાં આવ્યો છે, જેમાં આ યોજનાના સમયગાળા અર્થાત્ 31.03.2022 સુધીમાં મંજૂરી પામેલા તમામ ઘરોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે.

રામનવમી પર હિંસાની તપાસ એનઆઈએ દ્વારા જ કરાશે

કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે દ્વારા મમતાને એક મોટો ઝટકો લાગ્યો છે. રામ નવમીના તહેવાર દરમિયાન હિંસાની તપાસ એનઆઈએને સોંપવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે પશ્ચિમ બંગાળ સરકારની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે મામલાની ગંભીરતાને જોતા એનઆઈએ તપાસની જરૂરિયાત નકારી ન શકાય.રામનવમી દરમિયાન રાજ્યમાં…

અમને પોલીસ દ્વારા જ ટોળાને સોંપવામાં આવીઃ પીડિતા

ઘટનામાં ત્રણ મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, જેમાંથી એક મહિલા 20 વર્ષની છે, બીજી 40 વર્ષની છે અને ત્રીજી મહિલા 50 વર્ષની છે ઈમ્ફાલ મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાની ઘટનાએ સમગ્ર દેશને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે. આ ઘટના 4 મેના રોજ બની હતી. જેનો વીડિયો બુધવારે (19 જુલાઈ) સોશિયલ મીડિયા પર વાયરલ થયો…

જજોને મળતી પ્રોટોકોલ સુવિધાને વિશેષાધિકાર ન માની લેવાયઃ ડી.વાય.ચંદ્રચૂડ

અલ્હાબાદ હાઈકોર્ટના એક જજને રેલવે મુસાફરી દરમિયાન થયેલી અસુવિધા પર રેલવેથી સ્પષ્ટતા માગવામાં આવતા વાંધો દર્શાવ્યો નવી દિલ્હી દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે જજોને મળતી પ્રોટોકોલ સુવિધાઓને વિશેષાધિકાર ન માની લેવામાં આવે. આ સુવિધાઓનો ઉપયોગ એવી રીતે ન કરવો જોઈએ કે તેનાથી બીજાને અસુવિધા થાય કે પછી ન્યાયપાલિકાની ટીકા થાય.  અલ્હાબાદ હાઈકોર્ટના એક…

મણિપુર દુષ્કર્મના એક આરોપીનું ઘર ટોળાએ સળગાવી નાખ્યું

ઘટનામાં અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઈમ્ફાલ મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવ્યા બાદ તેમના પર સામૂહિક દુષ્કર્મમાં સામેલ મુખ્ય આરોપીઓમાંથી એકનું ઘર ટોળાએ સળગાવી દીધું છે. આ ઘટના ચેકમાઈ વિસ્તારમાં બની છે. એકાએક ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી દીધી હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મુખ્ય આરોપીનું નામ હુયરુમ હીરોદાસ…

2023ના અંત સુધીમાં દેશમાં મુસ્લિમોની વસતી 20 કરોડ થશે

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર કર્યા નવી દિલ્હી ભારતમાં 2023ના અંત સુધીમાં મુસ્લિમોની વસતી 20 કરોડની આજુબાજુ થઈ જશે. લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફથી આ માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર…

રાહુલ સામે માનહાની કેસમાં 4 ઓગ્સ્ટે સુનાવણી થશે

સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી, તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ આપ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી. તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ…

ઝારખંડમાંથી આઈએસઆઈએસનો શંકાસ્પદ આતંકી ઝડપાયો

આરોપી દેશમાં હિંસક કાર્યવાહીની ઘટનાને અંજામ આપવા માટે વિદેશમાં સ્થિત આઈએસઆઈએસ સંગઠનના ટ્રેનિંગ કેમ્પમાં જવાની પણ તૈયારી કરી રહ્યો હતો જસન , લોહરદગા લોહરદગા શહેરી વિસ્તારની મિલ્લત કોલોનીમાંથી ધરપકડ કરાયેલ આઈએસઆઈએસનો શંકાસ્પદ આતંકવાદી ફૈઝાન અંસારી (પિતાફિરોઝઅંસારી) મૂળ રાંચી જિલ્લાના બેડો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મુદકટ્ટી ગામનો રહેવાસી છે. જો કે તેમનો આખો પરિવાર છેલ્લા 15…

તહેવારોમાં રેલવેના રિઝર્વેશન બુક, સ્પેશિયલ ટ્રેન્સ પર નજર

દિલ્હીથી યુપી-બિહાર જનારા માટે નવેમ્બર સુધીનું બુકિંગ ફૂલ નવી દિલ્હી ભારતમાં તહેવારોના અવસર પર ટ્રેનની મુસાફરીને લઈને સમસ્યા સર્જાય છે. ઘરથી દૂર રહેતા લોકો ઘરે જવાની તૈયારીઓ અગાઉથી જ કરી લે છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હોવ તો તેના માટે અગાઉથી બુકિંગ કરવામાં આવે છે. લોકો તેના માટે 4-5 મહિના અગાઉથી તૈયારી કરે…

મમતાના ઘરમાં છરી-હથિયાર સાથે ઘૂસવા જતો શખ્સ ઝડપાયો

યુવકની ઓળખ નૂર આલમ તરીકે થઇ, આરોપી પાસેથી વિવિધ એજન્સીઓના આઈડી કાર્ડ મળી આવ્યા, કાર પર પોલીસનું સ્ટીકર હતું કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. કોલકાતા પોલીસે એક વ્યક્તિને પકડી પડ્યો છે જે મુખ્યમંત્રીના આવાસમાં ધુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવકની ઓળખ નૂર આલમ તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે,…

ટામેટા બાદ ચોરોનો આદર્શ વિકલ્પ આદુ, ખેતરો ટાર્ગેટ પર

કેરળના ખેડૂતોએ કર્ણાટકના આદુ ઉત્પાદક ક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કોઝિકોડ આદુના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચત કર્ણાટકમાં આદુનું વાવેતર કરનારા કેરળના હજારો ખેડૂતો ચોરોના ત્રાસનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું હતું કે, તાજા આદુનો ભાવ 100 કિલો જ્યારે જૂના આદુનો ભાવ 192 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હોવાથી ચોર આદુને આકર્ષક વિકલ્પ તરીકે જોઈ…

દેશના સૌથી ધનિક ધારાસભ્ય પાસે 1400 કરોડથી વધુની સંપત્તી

પશ્ચિમ બંગાળના એક ધારાસભ્ય પાસે 2 હજાર રૂપિયા પણ નથી, દેશના 20 સૌથી ધનિક ધારાસભ્યોમાંથી 12 કર્ણાટકના નવી દિલ્હી દેશના ધારાસભ્યોની સંપત્તિને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌથી ધનિક ધારાસભ્ય પાસે 1,400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જ્યારે પશ્ચિમ બંગાળના એક ધારાસભ્ય પાસે 2…

કારગીલમાં લડનાર સૈનિક પત્નીને અપમાનથી ન બચાવી શક્યો

આસામ રેજિમેન્ટમાં સુબેદાર સૈનિકેનિવૃત્તિ પછી, ઘર, પત્ની અને સાથી ગ્રામજનોની સુરક્ષા ન કરી શકવા પર દુઃખ વ્યક્ત કર્યું ઇમ્ફાલ મણિપુર વીડિયો મણિપુરમાં નગ્ન પરેડ અને છેડતી કરવામાં આવેલી બે આદિવાસી મહિલાઓમાંથી એકનો પતિ કારગિલ યુદ્ધનો અનુભવી છે. કારગીલમાં લડનાર એક સૈનિકે આજે આ ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેણે દેશની રક્ષા કરી પરંતુ…

મણિપુરમાં 3 મેથી અત્યાર સુધીમાં છ હજાર એફઆઈઆર, 70 હત્યા

ઇમ્ફાલ ખીણ અને આસપાસના પહાડી વિસ્તારોમાંથી પોલીસે અત્યાર સુધીમાં કુલ 657 લોકોને કસ્ટડીમાં લીધા હોવાનું કહેવાય છે ઈમ્ફાલ મણિપુરમાં છેલ્લા કેટલા સમયથી ચાલતી હિંસા હવે ક્રૂરતામાં ફેરવાઈ ગઈ છે. હાલમાં જ વાયરલ થયેલા બે મહિલાઓ સાથેની ક્રૂરતાના વીડિયોએ આ વાત સ્પષ્ટ કરી દીધી છે. આ દરમિયાન એક અહેવાલમાં જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, 3…

ઉદ્યોગપતિની દિવસમાં 1600 કરોડની કમાણી, ખેડૂતને 27 રુપિયા કમાવવાનાં ફાંફાઃ પ્રિયંકા

કોંગ્રેસનાં નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા, છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર સળગી રહ્યું છે, પણ વડાપ્રધાન ચુપ રહ્યા ગ્વાલિયર મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મોટાભાગના પક્ષો અત્યારથી સક્રિય જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યોજાયેલી જનાક્રોશ રેલીમાં સંબોધન કર્યું… તેમણે કહ્યું કે, ભારતીય…

વુજુ સ્થળ સિવાય જ્ઞાનવાપીના અન્ય પરિસરનો એએસઆઈ સર્વે કરાવાની કોર્ટની મંજૂરી

4 ઓગસ્ટ સુધીમાં સર્વે માટે એક ટીમ બનાવવાનો, કોઈ નુકસાન પહોંચાડ્યા વિના વૈજ્ઞાનિક રીતે સર્વે કરવાનો કોર્ટનો આદેશ વારાણસી વારાણસીમાં, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલના સર્વેક્ષણ માટેના આદેશ પર મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીના જિલ્લા ન્યાયાધીશની અદાલતે વુજુ સ્થળ સિવાય જ્ઞાનવાપીના અન્ય પરિસરનો એએસઆઈસર્વે કરાવવાની માંગને મંજૂર કરી છે. આ પહેલા…