ઊંઝા એપીએમસીના વાઈસ ચેરમેનની પેઢી પર જીએસટીના દરોડા

Spread the love

મહેસાણામાં જીએસટી વિભાગે આ કાર્યવાહી બાલચંદ સોમા નામની પેઢી પર કરી છે, જેના માલિક અરવિંદ પટેલ છે

ઊંઝા

ઊંઝાની જાણીતી એપીએમસીના વાઇસ ચેરમેનની એક પેઢી પર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં જીએસટી ટીમને મોટી પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારો મળી આવવાની શક્યતા છે. આ દરોડાની કાર્યવાહી થતાં જ સમગ્ર શહેરમાં સન્નાયો ફેલાઇ ગયો છે. મહેસાણામાં જીએસટી વિભાગે આ કાર્યવાહી બાલચંદ સોમા નામની પેઢી પર કરી છે, જેના માલિક અરવિંદ પટેલ છે. 

મળતી માહિતી પ્રમાણે, જીએસટી વિભાગે ઊંઝામાં જબરદસ્ત રીતે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, આમાં ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેનની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા, વાઇસ ચેરમેન અરવિંદ પટેલ છે, અને તેમની પેઢીનું નામ બાલચંદ સોમા છે. હાલમાં જ ઊંઝા એપીએમસસીના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલની પેઢી ઉપર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. બાલચંદ સોમા નામની પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. બાલચંદ સોમા નામની પેઢીના માલિક છે ખુદ ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ છે, આ કાર્યવાહીમાં અહીંથી મોટા પ્રમાણમાં બિન હિસાબી વ્યવહાર મળી આવવાની શક્યતા છે. 

ગુજરાતમાં ફરી એકવાર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, આજે સુરત શહેરમાંથી વધુ એક મોટી કરચોરી પકડાયાના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં ચાલી રહેલી કાર્યવાહીમાં 15 જેટલા ડ્રાયફૂટ વિક્રેતાઓને ત્યાંથી 1.10 કરોડની કરચોરી પકડાઇ છે. સુરતમાં જીએસટી વિભાગે છેલ્લા કેટલાક સમયથી ડ્રાયફૂટ વિક્રેતાઓ પર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધી કુલ 15 ડ્રાયફૂટ વિક્રેતાઓને ત્યાંથી 1.10 કરોડની કરચોરી પકડાઇ છે, હાલ જીએસટી વિભાગની તપાસની કામગીર પૂર્ણ થઇ છે. સુરતમાંથી મિક્સ ડ્રાયફૂટ પર 12%ની જગ્યાએ 5% ટેક્સ ભરવામાં આવ્યો છે. આની સાથે વેપારીઓની ટુકડાઓ દર્શાવી સારી ક્વૉલિટીના કાજુના વેચાણમાં પણ ગેરરિતી બહાર આવી છે. જીએસટી વિભાગે સુરત શહેર-જિલ્લાના 15 ડ્રાયફ્રુટના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. દિવાળી દરમિયાન મોટાભાગનો માલ બેનબરમાં વેચવામાં આવ્યો હતો, અહીંથી મોટાપાયે ખરીદ-વેચાણ અને સ્ટૉકને લગતાં હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. વેપારીઓએ ખૂબ નજીવું વેપારનું બિલીંગથી બતાવી મોટાભાગનો માલ રોકડમાં છૂટક વેપારીઓને ત્યાં કાપી નાંખ્યો હતો. ખાસ વાત છે કે, સુરત શહેરના નાનપુરા, ઘોડદોડ રોડ, વરાછા, ભાગળ, ઝાંપાબજાર સહિતનાં વેપારીઓને વરુણીમાં લેવામાં આવ્યા હતાં. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. 

દિવાળી, ધનતેરસ, છઠ્ઠ અને લગ્નની સિઝનને કારણે નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. નવેમ્બર 2024માં જીએસટી કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે. જોકે, ઓક્ટોબર 2023ની સરખામણીએ નવેમ્બરમાં જીએસટી કલેક્શનમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું. નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,67,929 કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. 1,72,003 કરોડ હતું. ડેટા અનુસાર, Cજીએસટી રૂ. 30,420 કરોડ, Sજીએસટી રૂ. 38,226 કરોડ, Iજીએસટી રૂ. 87,009 કરોડ હતુ. ગયા મહિને Iજીએસટી કલેક્શન રૂ. 91,315 કરોડ હતું. જ્યારે સેસનું કલેક્શન રૂ. 12,274 કરોડ થયું છે, જેમાંથી રૂ. 1036 કરોડ આયાતી માલ પર એકત્ર થયા છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બર 2022ની સરખામણીમાં નવેમ્બર 2023માં જીએસટી કલેક્શનમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં આ છઠ્ઠી વખત છે જ્યારે જીએસટી કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ થયું છે. નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલથી નવેમ્બર મહિના દરમિયાન કુલ જીએસટી કલેક્શન 11.9 ટકા વધીને 13,32,440 કરોડ રૂપિયા થઈ ગયું છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કુલ જીએસટી કલેક્શન 11,90,920 કરોડ રૂપિયા હતું. આ આઠ મહિનામાં સરેરાશ જીએસટી કલેક્શન દર મહિને 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે 2022-23ના સમાન સમયગાળામાં સરેરાશ રૂ. 1.49 લાખ કરોડ હતી. આ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1,87,035 કરોડ હતું, જે વિક્રમજનક છે. આ પછી મે અને સપ્ટેમ્બર વચ્ચે થોડો ઘટાડો થયો હતો. નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,67,929 કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. 1,72,003 કરોડ હતું.

Total Visiters :159 Total: 1503376

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *