હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે સીટની રચના કરાઈ

Spread the love

કન્વીનર પદે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી પન્ના મોમાયા હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ સી બી ટંડેલ સહિત સાત અધિકારીઓનો સમાવેશ

વડોદરા

હરણી તળાવમાં સ્કૂલના બાળકોની બોટ પલટી જવાના બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવી છે. જ્યારે આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

હરણી તળાવમાં ગઈકાલે પિકનિક પર આવેલા ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ પલટી જતા 12 બાળકો, એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝરના મોત નીપજયા હતા. ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રીએ કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી.

આ બનાવમાં પોલીસ કમિશનરે સીટની રચના કરી છે. જેના કન્વીનર પદે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી પન્ના મોમાયા હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ સી બી ટંડેલ સહિત સાત અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Total Visiters :144 Total: 1500735

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *