
શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ, કેળવણી ધામ, નિકોલ, અમદાવાદ અને અમદાવાદ તેમજ ગાંધીનગરની જુદી જુદી હોસ્ટેલ ની સેવાઓ આપતી સામાજિક સંસ્થાઓ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્ટેલ સંબંધીત સેવાઓ માટે જીએસટી માંથી મુક્તિ અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામન સમક્ષ અને રાજ્યસભામાં અસરકારક અને સફળ રજૂઆત કરવા બદલ રાજ્યસભાના સાંસદ નરહરી અમીનના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે નરહરિ અમીનનું અમદાવાદ તેમજ ગાંધીનગરની જુદી જુદી સામાજિક અને હોસ્ટેલ સંબંધિત સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે નરહરિ અમીન (સંસદ સભ્ય રાજ્ય સભા) એ જણાવ્યું હતું કે ગામડાઓમાંથી શહેરોમાં અભ્યાસ કરવામાં આવતા અને હોસ્ટેલમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને હોસ્ટેલ સંબંધિત સેવાઓ માટે અત્યાર સુધી 12% જીએસટી લેવામાં આવતો હતો જેમાંથી મુક્તિ અપાવવા માટે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નાણામંત્રી નિર્મલા સીતારામન સમક્ષ તથા રાજ્યસભામાં પણ રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને લઈને જીએસટી કાઉન્સિલની 53 મી બેઠકમાં હોસ્ટેલ સંબંધિત સેવાઓ માટે માસિક ₹20,000 સુધીની ફી લઈને હોસ્ટેલ અને આવાસ સુવિધા આપવામાં આવતી હોય અને આવી સેવા ન્યૂનતમ ૯૦ દિવસની પૂરી પાડવામાં આવતી હોય તો તેવી હોસ્ટેલ સંબંધિત સેવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે જે બદલ નરહરિ અમીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનનો આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે પૂર્વ મંત્રી વલ્લભ કાકડીયા તથા સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયા એ પણ વડાપ્રધાન , નાણામંત્રી તેમજ નરહરિ અમીનનો હોસ્ટેલ સંબંધી સેવાઓ પૂરી પાડતી સામાજિક અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ વતી આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ (કેળવણીધામ), શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ (ગુલબાઈ ટેકરા/ નારણપુરા), શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ (નિકોલ નરોડા), સરદારધામ (વૈષ્ણોદેવી), અમદાવાદ, જન સહાયક ટ્રસ્ટ- હિરામણી સ્કુલ અમદાવાદ, શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ – અડાલજ, શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ – અમદાવાદ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ – SGVP છારોડી, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (કડી, ગાંધીનગર), અમીન ટી જે કે પી વિદ્યાર્થી ભવન – ગુલબાઈ ટેકરા, જીતો રત્નમણિ હોસ્ટેલ અમદાવાદ, ખોડલધામ સમિતિ અમદાવાદ, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ ગાંધીનગર, અમદાવાદ બિલ્ડર એસોસિએશન તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના આગેવાનો અને હોદ્દેદારો ગગજી સુતરીયા, વલ્લભ કાકડીયા (પૂર્વ મંત્રી ), માવજી લુણાગરિયા, વલ્લભ પટેલ (કડી), ધરમશી મોરડીયા, નાગજી શિંગાળા, ઘનશ્યામ ભાલાળા, જગદીશ ભુવા, કંચનબેન રાદડિયા(ધારાસભ્ય), બાબુભાઈ જે પટેલ(ધારાસભ્ય), રવજી વસાણી, અજીત પટેલ, સુરેશ પટેલ, ઉરેનભા પટેલ, ચેતન શાહ, પ્રકાશ સંઘવી(રત્નમણિ), વરુણ અમીન, આર સી પટેલ, પંકજ દેસાઈ, ભગવત અમીન, હરેશ વસાણી, ઘનશ્યામભાઈ (SGVP) તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંસ્થા ઓના આગેવાનઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
