
આજરોજ હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં 5 સપ્ટેમ્બર આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસની ઉજવણી ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવામાં આવી હતી. તેની સાથે સાથે વિદ્યાર્થી કવિ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકો બની શિક્ષણકાર્ય કર્યું હતું. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના વર્ગખંડનાં અનુભવો વર્ણવ્યા હતા.દરેક વિદ્યાર્થીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા, કો-ઓર્ડિનેટર અને શિક્ષકોએ શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.


