વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે SGVP ગુરુકુળ, અમદાવાદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the love

તા.14 જૂન,2025 વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ આરોગ્યધામ, હીરામણિ સ્કૂલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ચિરીપાલ ગ્રુપના સહયોગથી  રક્તદાન શિબિરનું આયોજન SGVP ગુરુકુળ, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કુલ 65 રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટ ના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીન, હીરામણિ સ્કૂલના CEO ભગવત અમીન, હીરામણિ આરોગ્યધામના CAO આશિષ રાજા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડોક્ટર વિશ્વાસ અમીન,ચીરિપાલ ગ્રુપના રોનક ચિરીપાલ, વંશ ચિરીપાલ અને જીસીએના ભૂતપૂર્વ સચિવ, હિતેશ પટેલ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *