
અમદાવાદ
હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે “ગીતા શ્ર્લોક ગાન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્ર્લોકો નું સુંદર ગાન ધોરણ- ૧ થી ૮ નાં ૨૨૩ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ સમજાવી ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદ પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.
