હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ દ્વારાશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

Spread the love

અમદાવાદ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. કે.જી. વિભાગના ભૂલકાંઓ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને આયાબેનની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું

વિદ્યાર્થીઓના ઉત્સાહ તેમજ શિક્ષકો પ્રત્યેની સન્માનની ભાવના બદલ જનસહાયક ટ્રસ્ટનાંઉપપ્રમુખ નીતાબેન અમીન, આચાર્યા ગુંજનબેન શિવાલકાર સહિત તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને શિક્ષકદિનની શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *