અમદાવાદ
એઆઈને એક ખતરા તરીકે નહીં, એક સક્ષમ સાધન તરીકે જોવું જોઈએ, એમ લારાકોન ઇન્ડિયા 2026કોન્ફરન્સ દરમિયાન CTO, વિટોર ક્લાઉડ ટેકનોલોજીસ વિશાલ રાજપૂતે દર વર્ષે હજારો એન્જિનિયરો તકો ગુમાવે છે કારણ કે કંપનીઓ વધતી જતી ઓટોમેશન તરફ આગળ વધી રહી છે એ બાબત પર પ્રકાશ પાડતાં કહ્યું હતું.
લારાકોન ઇન્ડિયા મીટમાં વિવિધ સત્રોમાં મુખ્ય નોંધો, ટેકનિકલ વાર્તાલાપ, પેનલ ચર્ચાઓ, લાઇવ કોડિંગ પ્રદર્શનો, વર્કશોપ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ખાસ AI SDKના લોન્ચ કરાયું હતું—એક જનરલ પર્પઝ ટૂલકિટ જે ટેક્સ્ટ, ઇમેજ અને ઓડિયો જનરેટ કરી શકે છે, અને એન્જિનિયરો, કંપનીઓ અને વિદ્યાર્થીઓને ઊંડા પ્રોગ્રામિંગ જ્ઞાન વિના એપ્લિકેશન્સ બનાવવા સક્ષમ બનાવે છે.
લારાકોન ઇન્ડિયા માત્ર કોન્ફરન્સ નથી—તે એક મૂવમેન્ટ છે. ઘણા પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો હજુ પણ AI શું છે તે અંગે ગૂંચવણમાં છે. અમે વિશ્વના શ્રેષ્ઠ લોકોને અહીં લાવીએ છીએ જેથી ડેવલપર્સ, બિઝનેસ લીડર્સ અને વિદ્યાર્થીઓ સમજી શકે કે AI અવરોધ નહીં પરંતુ તક છે. આ ગુજરાતનો વૈશ્વિક મંચ પર ચમકવાનો ક્ષણ છે,એમ રાજપૂરોહિતે વધુમાં જણાવ્યું હતું.
ટેલર ઓટવેલ, લારાવેલના સ્થાપકે ભારતના ડેવલપર સમુદાયની પ્રશંસા કરતાં કહ્યું કે, ભારતમાં અહીંનો ઉત્સાહ પ્રેરણાદાયક છે. લારાકોન ઇન્ડિયા લારાવેલની વૈશ્વિક ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ખુલ્લી, સહયોગી અને આગળની વિચારસરણી.. સાથે મળીને, અમે વેબ ડેવલપમેન્ટનું ભવિષ્ય ઘડી રહ્યા છીએ અને સરહદો પાર તકો સર્જી રહ્યા છીએ.
