ગાંધીનગર

દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા ન આપવાના મામલે વિસનગરના જુનીયર ફાર્માસીસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છ ખાતે બદલી અને ખાતાકીય તપાસ કરવાની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના આપી હતી. દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક વલણ અપનાવાયું હતું. આરોગ્ય મંત્રીની સૂચનાથી થયેલી તપાસમાં ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું.
