નમાઝ દરમિયાન સેન્ટ્રલ મસ્જિદનો ભાગ ધરાશાયી થતાં સાતનાં મોત

શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની અંદર આવ્યા હતા, જરિયા સેન્ટ્રલ મસ્જિદ ઝારિયામાં છે, તે ઉત્તરી નાઈજીરીયાના સૌથી મોટા શહેરોમાંનું એક છે નવી દિલ્હીઉત્તર-પશ્ચિમ નાઈજીરીયાના કડુના રાજ્યમાં નમાઝ દરમિયાન ઝારિયા સેન્ટ્રલ મસ્જિદનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાત નમાઝીયોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની…

શ્રીનગરમાં અપગ્રેડેડ મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યા

આ ફાઈટર જેટ્સને મિગ 21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા નવી દિલ્હીભારતે પાકિસ્તાન અને ચીન બંને મોરચે કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા શ્રીનગરમાં પર અપગ્રેડેડ મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યા છે. આ ફાઈટર જેટ્સને મિગ 21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા છે.ભારતે પુલવામા હુમલા બાદ વર્ષ 2019માં બાલાકોટમાં હવાઈ હુમલો કરીને ઘણા આતંકવાદી…

નૂહની સરકારી શાળાઓમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહે છે

હિંસાને જોતા, જિલ્લામાં સ્થગિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી 15 ઓગસ્ટથી જ શરૂ થશે નૂહનૂહમાં ચાલી રહેલા સાંપ્રદાયિક અથડામણના 11 દિવસ પછી શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરુ કરવામાં આવી છે. ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં ભણવા માટે બહુ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહે છે. મોટાભાગની સરકારી શાળાઓમાં ખાલીખમ વર્ગખંડ જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હરિયાણા…

ભૂસ્ખલનમાં દટાયેલી કારના મૃતકોમાં અમદાવાદના ત્રણ સામેલ

પાંચ લોકોમાં ત્રણ ગુજરાતના અમદાવાદના મણિનગરના રહેવાસી હતા, જ્યારે એક હરિદ્વાર તેમજ અન્ચ એકની ઓળખ થઈ ન હતી રૂદ્રપ્રયાગઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ફરી એકવાર…

ઈન્સ્ટા પર એક પોસ્ટ માટે 11.45 કરોડના ચાર્જની વાત વિરાટે ફગાવી

વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું, જો કે જીવનમાં મને જે પણ મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું, પરંતુ મારી સોશ્યલ મીડિયાની કમાણી વિશે ચાલી રહેલા સમાચાર સાચા નથી નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા…

રાજસ્થાનની ભૂમિ દુષ્કર્મની ભૂમિઃ વિજયા રાહટકર

પ્રજાની સૌથી વધુ અવગણના કરનારી ગેહલોત સરકારને જનતા વિધાનસભાની ચૂંટણીના મતદાનથી બદલી નાખશેઃ ભાજપના રાષ્ટ્રીય સચિવ જયપુરરાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય સચિવે રાજસ્થાનની ભૂમિને દુષ્કર્મની ભૂમિ ગણાવી છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ અને રાજસ્થાનના સહ પ્રભારી…

વિપક્ષી ગઠબંધન ઘમંડી, મણિપુર મુદ્દે રાજકારણ કરે છેઃ મોદી

અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને દેશભરમાં નકારાત્મકતા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યોઃ વડાપ્રધાન નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદને સંબોધિત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષ પર ઘમંડી ગઠબંધન ગણાવતા મણિપુર પર માત્ર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું, અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને…

દિલ્હી સર્વિસ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેન્દ્રનું જાહરનામું

19 મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો, દિલ્હી સરકાર સુધારેલા કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારશે નવી દિલ્હીસંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ દિલ્હી સેવા બિલને મંજૂરી આપી હતી. આ સાથે 19 મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો છે. અગાઉ દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો,…

કાશ્મીર ખીણમાં સ્થાનિકો સહિત 109 આતંકી સક્રિય હોવાનો સૈન્યનો દાવો

તાજેતરમાં ઘાટીમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. શક્ય છે કે આ તમામ વિદેશી આતંકવાદીઓ ઘણા વર્ષોથી ઘાટીમાં ક્યાંક છુપાયેલા હોય શકે છે નવી દિલ્હીજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર સુરક્ષા દળો પોતાની પકડ વધુ કડક કરી રહ્યા છે. વિદેશી (પાકિસ્તાની) અને સ્થાનિક આતંકવાદીઓ સતત એન્કાઉન્ટરમાં માર્યા જાય છે. ગયા વર્ષે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 91 આતંકવાદીઓ માર્યા ગયા…

મણિપુર મુદ્દે અમને સંસદમાં બોલવા ન દેવાયાઃ લોરહો પફોજ

અમારા હાથ બંધાયેલા છે, અમે ભાજપના સાથી છીએ, તેથી અમારે કેટલાક આદેશોનું પાલન કરવું પડશેઃ સાસંદ નવી દિલ્હીભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી પક્ષ નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ના એક સાંસદે મણિપુર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. એનપીએફ સાંસદ લોરહો પફોજે કહ્યું કે અમને મણિપુર મુદ્દે સંસદમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા. પફોજે કહ્યું કે અમે મણિપુર પર…

ફ્લોરિડાની મહિલાનું 1.65 કરોડનું મોબાઈલ બિલ કંપનીએ 2.05 લાખ કરી આપ્યું

ટી-મોબાઈલ કંપનીએ બિલ સાચો હોવાનો દાવો કર્યો પણ મિયામી ટીવી સ્ટેશન ડબલ્યુએસવીએન-ટીવીએ મહિલા વતી દરમિયાનગીરી કરતા કંપનીએ બિલ ઘટાડ્યું ફ્લોરિડાઘણી વખત ઘરમાં ફોન અને વીજળીનું બિલ થોડુ વધારે આવે તો આપણે ખર્ચાઓ પર કાબુ કરવા મંડી જઈએ છીએ. આ એટલા માટે છે કે આપણું બજેટ બગડે નહીં. પરંતુ જ્યારે અમેરિકાના ફ્લોરિડાની એક મહિલા સેલિનાને ફોનનું…

પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન તરીકે અનવર-ઉલ-હક કાકર ચૂંટાયા

પીએમ શાહબાઝ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક વડાપ્રધાન તરીકે અનવર ઉલ હકની નિમણૂક અંગે સલાહ કરી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના વિસર્જન સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું કે, અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી…

રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં યુરોપિયન દેશોના પ્રવાસે જશે

રાહુલ ગાંધી યુરોપના દેશો, બેલ્જિયમના બ્રસેલ્સ, નોર્વેના ઓસ્લો અને ફ્રાન્સમાં પેરિસ જશે. તે યુરોપિયન સંસદની પણ મુલાકાત લેશે અને ઈયુ સાંસદો સાથે વાતચીત કરશે નવી દિલ્હીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને તેમનું સાંસદ સદસ્યતા તેમજ 12 તુગલક રોડ ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન પરત મળી ગયું છે. હાલ કોંગ્રેસના નેતા રાહુલનો ઉત્સાહ જોશમાં પરીવર્તન…

રિઝર્વ ટિકિટને નિર્ધારિત તારીખના 48 કલાક પહેલાં રિ-શેડ્યુલ કરાવી શકાય છે

કામકાજના સમય દરમ્યાન રિઝર્વેશન કાઉન્ટર પર જઈ અને તેની ફી ભર્યા પછી તરત ટિકિટનું બીજીવાર શેડ્યુલ કરાવી શકાય છે નવી દિલ્હીભારતીય રેલવેમાં કન્ફર્મ ટિકિટ મળવી ખૂબ જ મુશ્કેલ કામ છે. કન્ફર્મ ટિકિટ મેળવવા માટે તમારે પહેલાથી જ તૈયારી કરવી પડે છે. રજાઓની સિઝનમાં કે તહેવારની સિઝન દરમ્યાન તો પહેલા બુકિંગ કરાવવા જઈએ તો પણ કન્ફર્મ…

ખાનગી હોસ્પિટલ્સ 14થી 16 ઓગસ્ટ સુધી પીએમજેએવાય ડાયાલિસિસ બંધ કરશે

ડાયાલિસિસના ભાવમાં કાપ મૂકવામાં આવતા નારાજ ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશને રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી અમદાવાદગુજરાતની સરકારે પીએમજેએવાય યોજના અંતર્ગત ચાલતા ડાયાલિસિસ માટે મળતી રકમ અચાનક જ 2000 માંથી 1650 કરી નાખી છે. તેઓએ છેલ્લા 8 વર્ષમાં દરમાં વધારો કર્યો નથી પરંતુ તેનાથી વિપરીત 17% ટકા ઘટાડો થયો છે. જેના સામે રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆત…

બુમરાહના નેતૃત્વમાં ભારતીય ટીમ મુખ્ય કોચ વિના રમશે

આઠ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમ મુખ્ય કોચ વિના શ્રેણી રમવા જશે નવી દિલ્હીઆયર્લેન્ડ શ્રેણી માટે રવાના થઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમ 15 ઓગસ્ટે મુંબઈથી ડબલિન માટે જશે. આ ટીમનું નેતૃત્વ જસપ્રીત બુમરાહ કરશે, જે એક વર્ષના લાંબા સમયગાળા પછી કમબેક કરી રહ્યો છે. ટીમ સાથે કોઈ મુખ્ય કોચ નહીં હોય. અગાઉ…

મધ્ય પ્રદેશમાં 50 ટકા કમિશનનો પ્રિયંકા ગાંધીના આક્ષેપ

પ્રિયંકા ગાંધીને આક્ષેપો સંદર્ભે પુરાવા આપવા શિવરાજ સિંહનો પડકાર ભોપાલમધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના એક ટ્વિટથી ભાજપ અને કોંગ્રેસ નેતા સામ-સામે આવી ગયા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટમાં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં 50% કમીશન આપતા જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ મળે છે. કર્ણાટકમાં ભ્રષ્ટ ભાજપ સરકારે 40% કમીશન વસૂલતી હતી. મધ્યપ્રદેશમાં ભાજપ…

એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સે બેન્કેશ્યોરન્સ માટે બજાજ માર્કેટ્સ સાથે જોડાણ કર્યું

પુણે/મુંબઈ ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડે બજાજ ફિનસર્વ લિમિટેડની પેટા કંપની અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટે વન-સ્ટોપ ડિજિટલ માર્કેટપ્લેસ બજાજ માર્કેટ્સ સાથે કાર અને બાઈક ઇન્શ્યોરન્સ પોલિસી ઓફર કરવા માટે ભાગીદારી કરી છે. મોટર ઇન્શ્યોરન્સ કેટેગરી હેઠળ, એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ બાઇક અને કાર ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઓફર કરે છે જે રૂ. 15…

મહિનાઓથી સળગી રહેલા મણિપુર પ રમોદી માત્ર બે મિનિટ બોલ્યાઃ રાહુલ ગાંધી

મોદી મણિપુરની આગને ઓલવવા જ નથી માગતા મણિપુરમાં શાંતિ લાવવા સૈન્યને તહેનાત કરવાની જરુર હોવાનો રાહુલનો અભિપ્રાય નવી દિલ્હીરાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સંસદમાં વડાપ્રધાન મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે આપેલા જવાબ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી સળગી રહ્યું છે અને પીએમ મોદી તેના…

આસામ રાઈફલ્સને રાજ્યમાં રાખવા અંગે મૈતેઈ-કૂકી સમુદાયના જુદા-જુદા અભિપ્રાય

બંને સમુદાયના ધારાસભ્યોએ આસામ રાઈફલ્સને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો ઈમ્ફાલમણિપુરમાં 3 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી જાતીય હિંસા વચ્ચે દેશના સૌથી જૂના અર્ધલશ્કરી દળ આસામ રાઈફલ્સને લઈને વિવાદ શરૂ થયો છે. વિરોધ એ વાતનો છે કે રાજ્યના બે મુખ્ય સમુદાયો મૈતેઈ અને કુકી સામ-સામે છે. બંને સમુદાયના ધારાસભ્યોએ આસામ રાઈફલ્સને લઈને વડાપ્રધાન નરેન્દ્ર…