અબુધાબીના હિંદુ મંદિર માટે ડ્રેસ કોડ, ફોટોગ્રફી અને વીડિયોગ્રાફીના નિયમ જાહેર કરાયા

દિશા-નિર્દેશો અનુસાર ટી-શર્ટ, ટોપી અને ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેરીને આવનાર લોકોને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં અબુ ધાબી સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના અબુ ધાબીના પહેલા હિંદુ મંદિરને શુક્રવારે સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પથ્થરથી નિર્મિત અબુ ધાબીના આ પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યુ હતુ. મંદિર તંત્રએ પોતાની વેબસાઈટ…

કેન્દ્રએ પોસ્ટલ બેલેટની વય મર્યાદા 80થી વધારીને 85 વર્ષ કરી

હવે 85 વર્ષથી ઓછી ઉંમરના વૃદ્ધોએ મતદાન કરવા માટે ફરજિયાતપણે મતદાન કેન્દ્રો પર જવું પડશે નવી દિલ્હી હવે મતદાન કેન્દ્રો પર પહેલા કરતા વધુ વૃદ્ધોની લાઈન જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટેની વય મર્યાદા 80 થી વધારીને 85 વર્ષ કરી દીધી છે. એનો અર્થ એ કે હવે 85 વર્ષથી…

બિલ ગેટ્સે અશ્વિની વૈષ્ણવ સાથે ભારતની એઆઈ ઇકોસિસ્ટમ વિશે વાત કરી

એઆઈ ઇકોસિસ્ટમનો ઉપયોગ આરોગ્ય, કૃષિ અને શિક્ષણને સુધારવા માટે કેવી રીતે થઈ શકે છે એ અંગે પણ ચર્ચા થઈ હતી નવી દિલ્હી માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ છેલ્લા ચાર દિવસથી ભારતની મુલાકાતે છે. બિલ ગેટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના અન્ય અધિકારીઓ પહેલા ડોલી ચાવાળાને મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો…

શોએબ અખ્તરની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો, ફોટો શેર કર્યો

ફોટો કેપ્શનમાં લખ્યું, “મિકાઈલ અને મુજાદ્દીદની હવે એક નાની બહેન છે, અલ્લાહે અમને દીકરીના આશીર્વાદ આપ્યા છે કરાચી પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ત્રીજી વખત પિતા બન્યો છે. શોએબ અખ્તરની પત્ની રૂબાબ ખાને પુત્રીને જન્મ આપ્યો છે. બંને કપલે પોતાની દીકરીનું નામ નૂર અલી અખ્તર રાખ્યું છે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત શોએબ અખ્તરે સોશિયલ…

ધનબાદના ડીસી વરુણ રંજનને પદ પરથી હટાવી દેવાયા

માધવી મિશ્રાને ધનબાદના નવા ડેપ્યુટી કમિશ્નર બનાવવામાં આવ્યા રાંચી ધનબાદમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન ફરજમાં બેદરકારીના કારણે સરકારે કાર્યવાહી કરતા ડીસી વરુણ રંજનને પદ પરથી હટાવી દેવાયા છે. માધવી મિશ્રાને ધનબાદના નવા ડેપ્યુટી કમિશ્નર બનાવવામાં આવ્યા છે. વરુણ રંજનની ભૂલના કારણે ધનબાદમાં મુખ્યમંત્રી ચંપઈ સોરેન અને મુખ્ય સચિવ એલ ખ્યાંગ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું…

સૌથી ઓછી ટેસ્ટમાં વિજય મેળવનારી આયર્લેન્ડ છઠ્ઠી ટીમ

આયર્લેન્ડની ટીમે આ મામલે ભારતને પણ પાછળ મૂકી દીધું, પ્રથમ જ ટેસ્ટમાં વિ મેળવનારી ઓસ્ટ્રેલિયા એક માત્ર ટીમ ડબલીન આયર્લેન્ડ ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. ભારત, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી ટીમો જે ન કરી શકી તે આયર્લેન્ડે કરી બતાવ્યું છે. આયર્લેન્ડે અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ જીતીને આ અનોખો રેકોર્ડ…

ભારતની યુપીઆઈ સિસ્ટમને યુરોપિયન દેશ ગ્રીસની સ્વીકૃતિ

ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને કેનેડામાં તો પ્રચિલત છે નવી દિલ્હી ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની બોલબાલા દુનિયાભરમાં થઈ રહી છે. હવે યુરોપિયન દેશ ગ્રીસે પણ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને સ્વીકૃતિ આપી દીધી છે.  ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને…

તમાકુ કંપનીને ત્યાંથી 60 કરોડ રૂપિયાની લક્ઝરી કાર્સ મળી

આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ હતી, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે કાનપુર આવકવેરા વિભાગે (આઈટી) ઉત્તરપ્રદેશના કાનપુરની એક તમાકુ કંપનીમાં દરોડા પાડ્યા હતા. સાથે જ દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિત 20 ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા. સૂત્રોના અનુસાર, કંપનીએ પોતાનું ટર્નઓવર 20 થી 25 કરોડ બતાવ્યું છે, પરંતુ હકિકતમાં આ ટર્નઓવર લગભગ…

કૂતરા પણ ન રહે એવી જગ્યાએ ઘર ફાળવાયુઃ રેટ માઈનર વકીલ હસન

ડીડીએએ હસનના ઘરને તોડી પાડ્યું હતું, હસન સહિત આખો પરિવાર ધરણા પર બેસી ગયો નવી દિલ્હી ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારા રેટ માઈનર વકીલ હસનનું ઘર તોડી નાખ્યા બાદ અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યું છે. જોકે નવા મકાનની ફાળવણી બાદ હસને કહ્યું કે, જ્યાં જ્યાં કૂતરા પણ ના રહે,…

ભારતની ચિંતા બાદ શ્રીલંકાએ ચીનના જહાજને રોકાણની મંજૂરી ન આપી

શ્રીલંકાએ તમામ દેશોના રિસર્ચ માટેના જહાજોને પોતાને ત્યાં નહીં રોકાવા દેવાનુ નક્કી કર્યુ, ચીનના પેટમાં તેલ રેડાયું કોલંબો ચીનના જહાજો રિસર્ચના નામે જાસૂસી કરવા માટે હિન્દ મહાસાગરમાં આંટાફેરા કરતા રહે છે અને ઘણી વખત શ્રીલંકાના બંદરો પર રોકાતા હોય છે. આ વખતે ભારતના દબાણ હેઠળ શ્રીલંકાએ ચીનના જહાજોને પોતાના બંદરો પર રોકાવા માટે મંજૂરી નહીં…

કોંગ્રેસના નેતા ડૉ.અઝીઝ કુરેશીનું 83 વર્ષની ઉંમરે નિધન

ડૉ. અઝીઝ કુરેશી 1984માં મધ્ય પ્રદેશના સતના બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી પ્રથમ વખત સાંસદ બન્યા હતા ભોપાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ત્રણ વખતના પૂર્વ રાજ્યપાલ ડૉ.અઝીઝ કુરેશીનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. થોડા દિવસો પહેલા આરોગ્ય લથડતા તેમને ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે હોસ્પિટલમાં જ…

વિશ્વના અનેક દેશોમાં વસંત ઋતુનું વહેલું આગમન થયું

આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં અપેક્ષા કરતા વધારે ગરમી પડી છે અને તેના કારણે વસંત ઋતુના આગમનના એંધાણ પણ સમય કરતા વહેલા દેખાયા નવી દિલ્હી ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયામાં તાપમાન વધી રહ્યું છે, દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને ગ્લેશિયર પણ પીગળી રહ્યા છે.  હવે વિશ્વના લોકો એક નવો અનુભવ પણ કરી રહ્યા છે….

સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સેન્સેક્સમાં 1245, નિફ્ટીમાં 356 પોઈન્ટનો ઊછાળો

પેટાઃ બીએસઈ સેન્સેક્સે 73,590.58 પોઈન્ટ અને નિફ્ટીએ 22,312.65 પોઈન્ટના નવા રેકોર્ડ સર્જ્યા મુંબઈ કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે ડિસેમ્બર ક્વાર્ટરના જીડીપી ગ્રોથ ના આંકડા જારી કરવામાં આવ્યા હતા. જે અગાઉ લગાવવામાં આવેલા તમામ અનુમાનો કરતાં શ્રેષ્ઠ છે. ક્યુ3માં ઈન્ડિયન ઈકનોમી 8.4%ના રેકોર્ડ ગતિથી આગળ વધ્યો છે. ઈકોનોમીની તેજ રફ્તારની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી…

અમારી સરકારની દિશા, નીતિઓ અને નિર્ણય બધું જ યોગ્ય છેઃ મોદી

સંદેશખાલી કેસ મુદ્દે ઈન્ડી ગઠબંધન ચુપ છે, જેના કારણે આખો દેશ દુઃખી છે, તેમના નેતાઓના આંખ-કાન-નાક અને મોઢું ગાંધીજીના ત્રણ બંદરોની જેમ બંધ છેઃ મોદીના પ્રહાર કોલકાતા પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે આરામબાગમાં 7200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે એક જાહેર સભાને…

પંજાબમાં આપના નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા

જીવ ગુમાવનાર આપ નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ, હત્યારા ફરાર તરનતારન પંજાબના તરનતારન જિલ્લામાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતાની બદમાશોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યારાઓએ પહેલા આમ આદમી પાર્ટીના નેતાની ગાડીનો પીછો કર્યો અને ત્યારબાદ જ્યારે તેમણે શ્રી ગોઈંડવાલ સાહિબ પાસે રેલવે ફાટક બંધ થવાના કારણે ગાડી રોકી તો હત્યારાઓએ અંધાધૂંધ…

સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે“વોક ફોર હર-2” ચેરીટી વોકનું આયોજન

આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે અમદાવાદ આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૨ માર્ચ થી ૮ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેરિટી વોક અંતર્ગત તમારા કોઈપણ એક દિવસનાં ચાલેલા પગલાંનો ફોટો (સ્ક્રીન શોટ) આપના મોબાઈલ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આનંદ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરી

મુંબઈ  ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ શ્રી અનિલ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના નવા ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરતા આનંદ અનુભવે છે જે ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરાયેલી એક વ્યૂહાત્મક પહેલ છે. જનરલ ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા શ્રી સિંઘીની નિયુક્તિ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે વિકાસને આગળ ધપાવવા તથા નવીનતાને પ્રોત્સાહન આપવા તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. શ્રી સિંઘી બિઝનેસ ઓપરેશન્સ, અંડરરાઇટિંગ, ક્લેઇમ્સ, સેલ્સ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જેવા મહત્વના કામોમાં ઉદાહરણીય લીડરશિપ દ્વારા ઝળહળતી કારકિર્દી ધરાવે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે તેમણે પોતાની સફર શરૂ કરી હતી જ્યાં તેમણે એક દાયકા સુધી કામ કર્યુ હતું અને વેલ્થ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટના પદે પહોંચ્યા હતા. બાદમાં શ્રી સિંઘી રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં પહેલા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે અને પછી ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર તરીકે જોડાયા હતા અને વિવિધ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ચેનલ્સને આવરતી સેલ્સ, ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ અને રિટેલ તથા ગવર્મેન્ટ બિઝનેસમાં વ્યૂહાત્મક પહેલની કામગીરી હાથ ધરી હતી. પોતાની નવી ભૂમિકા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં જોડાવા અંગે હું ઉત્સાહિત છું અને આને કંપનીના સતત સફળતા અને ઇનોવેશનના એજન્ડામાં પ્રદાન આપવા માટેની આ એક મોટી તક તરીકે જોઉં છું. અત્યાર સુધીની મારી સફરમાં મને જે આંતરદ્રષ્ટિ અને અનુભવ મળ્યો છે તે મારા મતે સંસ્થા માટે મોટાપાયે વૃદ્ધિ અને ટકાઉ નફાકારકતા તરફ દોરી જશે.” કોમર્સમાં ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શ્રી સિંઘીની શૈક્ષણિક લાયકાત અને ઉદ્યોગના અનુભવના સુભગ સમન્વયથી તેઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની લીડરશિપ કેડરમાં એક મહત્વપૂર્ણ એસેટ બની રહશે. તેમની નિયુક્તિ પ્રતિભાઓને પોષવા તથા ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમની નવી ક્ષમતામાં શ્રી સિંઘી રિટેલ, ડિજિટલ અને ગવર્મેન્ટ બિઝનેસને સમાવતા વિવિધ નિર્ણાયક ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હ્યુમન રિસોર્સીસના ચીફ જેરી જોસે જણાવ્યું હતું કે “અમે શ્રી આનંદ સિંઘીનું હૂંફાળું સ્વાગત કરીએ છીએ અને તેમના પુરવાર થયેલા ટ્રેક રેકોર્ડ તથા લીડરશિપના વિવિધ સ્તરના અનુભવો સાથે અમે તેમને અમારી વર્તમાન લીડરશિપ ટીમને પૂરક બનાવતા અને વધુ મજબૂત કરતા જોઈએ છીએ. આનંદની નિયુક્તિ સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઉત્કૃષ્ટતા માટેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે તથા ચપળતા તથા દૂરંદેશી સાથે ઇન્શ્યોરન્સ ઉદ્યોગના ઊભરતા ક્ષેત્રમાં આગળ વધવા માટે તૈયાર છે.”

LALIGA EA SPORTS Matchday 27 પૂર્વાવલોકન: રેલિગેશન યુદ્ધ અને યુરોપ માટેની રેસમાં સીધા દ્વંદ્વયુદ્ધનો સપ્તાહાંત

માર્ચનો પ્રથમ LALIGA EA સ્પોર્ટ્સ મેચ ડે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જ્યારે સિઝનના અંતે બધું કહેવામાં આવે છે અને કરવામાં આવે છે. તે એટલા માટે છે કારણ કે ટેબલની ટોચ પર અને તળિયે ઘણા સીધા દ્વંદ્વયુદ્ધો આવી રહ્યા છે. મેચ ડેની પ્રથમ રમત આરસી સેલ્ટા અને યુડી અલ્મેરિયા વચ્ચે શુક્રવારની રાત્રિની મીટિંગ…

સરકારી જમીન પર કબજ જમાવવા મંદિર બનાવી દેવાય છેઃ હાઈકોર્ટ

ચાંદલોડિયાના 93 પરિવારોએ રોડ નિર્માણનો વિરોધ કરતા અરજી દાખલ કરી જે સિંગલ જજની અદાલતમાં ફગાવી દીધા બાદ તેમણે ડિવીઝન બેન્ચ સામે અપીલ દાખલ કરી અમદાવાદ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ એક રોડ માટે ડિમોલિશન કાર્યવાહી મુદ્દે અમદાવાદના કેટલાક લોકો હાઈકોર્ટ પહોંચ્યા હતા અને એક મંદિરને તોડી પાડવામાં ન આવે તે માટે વિનંતી કરી હતી. અરજી પર…

મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ-પવાર અને કોંગ્રેસ વચ્ચે બેઠકની વહેંચણી

ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના 20 સીટો પર જોકે કોંગ્રેસ 18 તથા શરદ પવારની એનસીપી 10 બેઠકો પર લોકસભા ચૂંટણીમાં પોત પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવા સહમત નવી દિલ્હી જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડિયા ગઠબંધનમાં રાજકીય પક્ષોની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને લઈને પણ મોટા…