વોટ્સએપ યુઝર્સ હવે અજાણ્યા લોકોને મ્યુટ કરી શકશે

એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્સએપે જણાવ્યું કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરીને અને પ્રાઈવસી ચેકઅપ નામથી બે અપડેટ યુઝર્સ માટે લઈને આવ્યું છે નવી દિલ્હીવોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી આવતા સ્પેમ કોલ્સે ગત દિવસોમાં લોકોને ખૂબ પરેશાન કર્યા. સોશિયલ મીડિયા પર મામલો ગરમાયો. લોકોએ ફરિયાદ કરી. તે બાદ સરકાર પણ એક્ટિવ થઈ અને વ્હોટ્સએપને જરૂરી એક્શન…

ભારતે યુએનમાં આતંકી સાજિદ મીરની ઓડિયો ક્લિપ રજૂ કરી

ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા વોશિંગ્ટનભારતે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા રોક લગાવવામાં આવી હતી. ભારતે આજે આ અંગે…

પાક.માં યુનિવર્સિટીઓમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો

પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીઓમાં રંગોનો તહેવાર હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને…

સૌરાષ્ટ્રના આપના નેતા વશરામ સાગઠિયાની ઘરવાપસી

ગુજરાત કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમા જોડાયા બાદ વશરામ સાગઠિયા કોંગ્રેસના નવા પ્રમુખની પદયાત્રામાં હાજર રહેતા રાજકારણ ગરમાયુ હતું અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલોશીભર્યા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા અને જગદીશ ઠાકોરની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમુખ બાદ હવે કોંગ્રેસના પ્રભારી પણ બદલાય તેવી શક્યતાઓ છે. પ્રભારી તરીકે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને…

સેન્સેક્સમાં 195 અને નિફ્ટીમાં 37 પોઈન્ટનો ઊછાળો જોવાયો

મેટલ ઇન્ડેક્સ એક ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો, એ જ રીતે એફએમસીજી ઇન્ડેક્સ 0.4 ટકા અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ 0.3 ટકા ઘટીને બંધ થયા મુંબઈસ્થાનિક શેરબજારો આજે તેજી સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 195.45 પોઈન્ટ એટલે કે 0.31 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આજે દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ એક સમયે 63,588.31 પોઈન્ટની…

નરેન્દ્ર મોદી-અમિત શાહની હત્યાની ધમકીથી પોલીસ દોડતી થઈ

જે શખસે ફોન કર્યો હતો એ દારુનો વ્યસની હોવાનું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં જ તેને ઝડપી પાડવામાં આવશે. પોલીસ તેના પરિવાર સુધી પહોંચી ચૂકી છે નવી દિલ્હીપોલીસના જણાવ્યા મુજબ, એક વ્યક્તિએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી પોલીસને એક શખસે બે ફોન કોલ…

નાગૌરની આરક્ષિત બેઠક જયલમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયોની એક બેઠકનું આયોજન

નાગૌર જિલ્લા વિધાનસભાની આરક્ષિત બેઠક જયલમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિશનની માંગણીઓથી વાકેફ કરવા જયપુરના કન્વીનર યોગેશ્વર નારાયણ શર્મા, ડૉ. શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી, રમાકાંત શર્મા અને ઋષિરાજ રાઠોડે ભાગ લીધો હતો.

હરે કૃષ્ણ મંદિરમાં અષાઢી બીજના પ્રસંગે થયેલ ભવ્ય રથ યાત્રાની ઉજવણી

આષાઢી સુદ બીજના પ્રસંગે, તા. 20 જૂન 2023, મંગળવારના રોજ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી શ્રી રાધા માધવની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર દ્વારા આ રથ યાત્રા છેલ્લા 9 વર્ષોથી આયોજન કરવામાં આવે છે. હરે કૃષ્ણ મંદિર માં આ ઉત્સવ ની શરૂવાત જય જગન્નાથ, બલદેવ, સુભદ્રાના મંત્રોચાર સાથે શ્રી શ્રી રાધા…

વિનય પહરિયા ફાઇનાન્શિયલ અને હેલ્થકેર સેક્ટર્સમાં તેજી સાથે ઇક્વિટી રોકાણકારો માટે સંભવિત વૃદ્ધિ નિહાળે છે

વિનય પહરિયા, સીઆઈઓ, પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીમાં અમારી પાસે ગ્રોથ એટ અ રિઝનેબલ પ્રાઈઝ (GARP) પર ધ્યાન કેન્દ્રિત કરતી મજબૂત રોકાણ પ્રક્રિયા છે. અમે રિસ્ક-એડજસ્ટેડ ધોરણે લાંબા ગાળા માટે સારી કામગીરી કરવા માટે અમારી પાસે સાયન્ટિફિક સિસ્ટમ છે તે સુનિશ્ચિત કરવા માટે અમે પ્રક્રિયાના વિવિધ ભાગોમાં પુરાવા મેળવવા સંશોધન કરીએ છીએ. આ…

ઉત્કૃષ્ટ બનારસી વણાંટ 

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા અંબાણી વર્ષોથી ભારતીય કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આવા માટે ખૂબ નજીકથી સંકળાયેલા છે. કળાકારો  રામજી અને મોહમ્મદ હારુને મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બનારસી વણાટનું પ્રદર્શન કર્યું હતું. ભારતની મૂલ્યવાન સંસ્કૃતિ અને વારસાને સાચવી રાખનારા કળાકારો સ્વદેશ પ્રદર્શનમાં મુલાકાતીઓને સીધા જ મળી શક્યા અને કળાપ્રેમીઓ કળાકારોને તેમનું કામ કરતાં લાઇવ નિહાળવાનો ઉત્કૃષ્ટ અનુભવમેળવવાના સાક્ષી બન્યા હતા. રામજી અને  મોહમ્મદ હારુન સહિતના સ્વદેશ કળાકારોને નીતા અંબાણી મળ્યા અને તેમની પ્રતિભા તથા કળા પ્રત્યેના તેમના સમર્પણની ભરપૂર પ્રશંસા કરી હતી. Video Link: https://www.youtube.com/watch?v=RYzvP4N77tE

10 વસ્તુઓ અમે આ અઠવાડિયે લા લિગા સેન્ટેન્ડરમાં શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? Deportivo Alavésના પ્રમોશનથી લઈને Jude Bellinghamના મેડ્રિડમાં આગમન સુધીની ટોચની 10 વાતો અહીં છે સ્પેનિશ ફૂટબોલ માટે આ એક મોટું અઠવાડિયું હતું, જેમાં અંતિમ પ્રમોશન સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું, સ્પેનિશ રાષ્ટ્રીય ટીમે ટ્રોફી જીતી હતી અને ઉનાળાના પ્રથમ સ્થાનાંતરણની પુષ્ટિ થઈ હતી. તે બધું અને વધુ નીચે…

ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ સિનિયર (ઓપન) ચેસ ચેમ્પિયનશિપ-2023 માટે સ્પર્ધા

સ્થળ: AVPTI એલે. વિભાગ, ટાગોર રોડ, નં. હેમુ ગઢવી હોલ, રાજકોટ, તારીખ: 24.6.2023 થી 28.6.2023આ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ જીલ્લા દ્વારા કરવામાં આવશે. ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના નેજા હેઠળ 24.6.2023 થી 28.6.2022 સુધી AVPTI Ele ખાતે ચેસ એસો. વિભાગ, ટાગોર રોડ, નં. હેમુ ગઢવી હોલ, રાજકોટ. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 24.6.2023 ના રોજ બપોરે 1:00 વાગ્યે શરૂ…

જોસેલુ રિયલ મેડ્રિડના નવા સેન્ટર-ફોરવર્ડ તરીકે રાજધાનીમાં ઉતર્યો

સેન્ટર-ફોરવર્ડ 2023/24 સીઝન માટે RCD Espanyol પાસેથી લોન પર સેન્ટિયાગો બર્નાબ્યુ ખાતે પહોંચ્યા છે સ્પેનના આંતરરાષ્ટ્રીય અને તાજેતરમાં જ તાજ પહેરાવવામાં આવેલ નેશન્સ લીગ 2023 ચેમ્પિયન જોસેલુ માટો રિયલ મેડ્રિડમાં પાછો ફર્યો છે, તેણે પ્રથમ વખત તેની બાળપણની ક્લબ છોડ્યાના 12 વર્ષ પછી. સ્ટ્રાઈકર, જેણે રીઅલ મેડ્રિડ કેસ્ટિલા ખાતે બે સીઝન વિતાવી હતી અને 2011…

SAFF ચેમ્પિયનશિપ: FanCodeએ વિશિષ્ટ ડિજિટલ અધિકારો સુરક્ષિત કર્યા

· 21 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર. · ગ્રુપ Aમાં ભારત સાથે કુવૈત, નેપાળ અને પાકિસ્તાન છે · 21 જૂનથી 4 જુલાઈ દરમિયાન 15 મેચ રમાશે મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, આવનારી સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) ચૅમ્પિયનશિપને વિશિષ્ટ રીતે લાઇવ સ્ટ્રીમ કરશે. તમામ મેચ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટ 21 જૂનથી શરૂ થશે…

રથયાત્રાના કડિયાનાકાના રૂટ પર બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં આઠને ઈજા

આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી, મકાનને કોઇપણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી અમદાવાદશહેરમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આજે રથયાત્રાના દરિયાપુરના કડિયાનાકાના રૂટ પર મકાનની બીજા…

સેન્સેક્સમાં 159 અને નિફ્ટીમાં 78 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા, પાવર ઇન્ડેક્સ એક ટકાના વધારા સાથે બંધ થયો મુંબઈભારતીય શેરબજારમાં મંગળવારે જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતના સત્રમાં સેન્સેક્સ, નિફ્ટીમાં ઘણા બ્રેકડાઉન જોવા મળ્યા હતા, પરંતુ જેમ જેમ કારોબાર આગળ વધતો ગયો તેમ તેમ બજારમાં રિકવરી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ આજે 159.40 પોઈન્ટ એટલે કે 0.25 ટકાના…

પિતરાઈ બહેન સાથે દુષ્કર્મના કેસમાં એક શખ્સને 134 વર્ષની સજા

આ વ્યક્તિ પર આરોપ સાબિત થયો છે કે, તેણે તેની પિતરાઈ બહેન પર ઘણી વખત દુષ્કર્મ આચર્યું છે અને તેને ગર્ભવતી પણ બનાવી હતી થિરૂવનંતપુરમકેરળની એક અદાલતે પોતાની પિતરાઈ બહેન સાથે દુષ્કર્મ આચરવા મામલે એક વ્યક્તિને 134 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ વ્યક્તિ પર આરોપ સાબિત થયો છે કે, તેણે તેની પિતરાઈ બહેન પર…

નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બેને 315 કરોડ આપવાની જાહેરાત કરી

આઈઆઈટી-બોમ્બે એ મારા જીવનનો આધારશિલા રહ્યો છે, આ દાન માત્ર એક નાણાકીય યોગદાન કરતાં વધુ છે; આ સ્થળને મારા તરફથી શ્રદ્ધાંજલિ છેઃ નિલેકણી નવી દિલ્હીઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીએ દેશની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાને કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એક પ્રેસ રિલીઝ અને ટ્વીટ દ્વારા માહિતી મળી છે કે, નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બે ને 315 કરોડ…

અપહરણ કરાયેલું દંપતી તહેરાનથી મળ્યું, ભારત માટે રવાના

અપહરણ કરાયેલ દંપત્તિને માત્ર 24 કલાકમાં જ તહેરાનથી છોડાવી લેવામાં આવ્યું, 1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો અમદાવાદગેરકાયદે અમેરીકા જવા ઈચ્છતા લોકો માટે બોધપાઠ સમાન એક દર્દનાક ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનુ અમેરીકા પહોંચતા પહેલા જ અપહરણ થઈ જાય છે. તેમજ પંકજકુમાર ભરતભાઈ પટેલ નામના આ યુવાનને ઉંધો…

સુવર્ણ મંદિરમાં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસની જાહેરાત

ગુરબાનીના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સના બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી અમૃતસર, ચંડીગઢ‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સના બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી છે. ‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સ આપવા માટે પંજાબની ભગવંત માન સરકાર ‘શિખ-ગુરુદ્વારા એક્ટ’માં સુધારો કરી ‘સુવર્ણ મંદિર’માં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસ આપવાની જાહેરાત કરી હતી. આ બાબતે ગઈકાલે મળેલી પંજાબ સરકારની કેબિનેટ મીટીંગમાં આ નિર્ણય લેવાયો…