આંતરરાષ્ટ્રીય પદાર્પણમાં જ ગુજરાતની દાનિયા ગોડીલ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો

ગાંધીધામ ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડીલ તેની આંતરરાષ્ટ્રી કારકિર્દીનો શાનદાર રીતે પ્રારંભ કર્યો હતો કેમ કે તેણે તાજેતરમાં જ પૂરી થયેલી WTT યૂથ કન્ટેન્ડર અમાન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યાં હતાં. આ ટુર્નામેન્ટ 22થી 25મી ઓગસ્ટ દરમિયાન જોર્ડનના અમાન ખાતેના પ્રિન્સ સોમાયા હોલ ખાતે યોજાઈ હતી. 11 વર્ષની દાનિયા અંડર-11 ગર્લ્સ…

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં કેજરીવાલ સુપ્રીમમાં

સુપ્રીમ કોર્ટની ડબલ બેંચ આજે આ કેસમાં સુનાવણી હાથ ધરશે અમદાવાદદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. તાજેતરમાં કેજરીવાલની હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કેજરીવાલ…

ઈન્ડિયાના નેતૃત્વ માટે રાહુલ લોકોની પહેલી પસંદ

15 ટકા લોકોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તરફેણ કરી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ 15 ટકા લોકોનું સમર્થન મળ્યું નવી દિલ્હીવિપક્ષનું ઈન્ડિયા ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને પડકારવા સજ્જ છે. કુલ 26 વિરોધ પક્ષોની બે સફળ બેઠકો બાદ હવે ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ બેઠકમાં ઈન્ડિયા ગઠબંધનના…

કેન્દ્ર સરકાર ચીનનું સંપૂર્ણ સત્ય કહી રહી નથીઃ રાહુલ ગાંધી

ચીને ભારત પાસેથી હજારો કિલોમીટર જમીન છીનવી લીધી છે, તે દુઃખદ છે કે મોદીએ તેના પર કહ્યું કે, ચીને એક ઇંચ પણ જમીન નથી છીનવી લદાખકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટો દાવો કર્યો છે. લદ્દાખમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, હું તમને ખાતરી આપું છું કે અમે 2024માં બીજેપીને હરાવીશું….

જીઓ ફાઈનાન્સિયલ સર્વિસનો શેર સતત પાંચમી વખત નીચલી સર્કિટમાં પછડાયો

માત્ર ચાર સત્રમાં જ આ કંપનીના માર્કેટ કેપમાં રૂપિયા ૩૧૨૦૦ કરોડ થી વધુનું ધોવાણ થઇ ચૂક્યું છે મુંબઈરિલાયન્સમાંથી ડીમર્જ થયેલી જીઓ ફાઇનાંશિયલ સર્વિસનો શેર સોમવારે લિસ્ટેડ થયો ત્યારથી સતત પટકાઈ રહ્યો છે. આજે તે સતત પાંચમી વખત નીચલી સર્કિટમાં પટકાયો હતો. જે એફ એસ એલના પટકાવાથી બેન્ચમાર્ક ને પણ ધક્કો લાગે છે, કારણ કે આ…

ભૂતપૂર્વ ડબલ્યુડબલ્યુઈ હેવીવેઇટ ચેમ્પિયન બ્રે વ્યાટની દુનિયાને અલવિદા

બ્રે વ્યાટના મૃત્યુના કારણનો હજુ ખુલાસો થયો નથી, 36 વર્ષની વયે તેમના નિધનના સમાચારને કારણે ડબલ્યુડબલ્યુઈ જગતમાં શોકનો માહોલફ્લોરિડાભૂતપૂર્વ ડબલ્યુડબલ્યુઈ હેવીવેઇટ ચેમ્પિયન બ્રે વ્યાટે દુનિયાને અલવિદા કહી દીધું છે. 36 વર્ષની વયે તેમના નિધનના સમાચારને કારણે ડબલ્યુડબલ્યુઈ જગતમાં શોકનો માહોલ છે. ડબલ્યુડબલ્યુઈના જાણીતા રેસલર બ્રે વ્યાટના મૃત્યુના કારણનો હજુ ખુલાસો થયો નથી.તેમના નિધનના સમાચાર પિતા…

દુષ્કર્મના દોષિત દ્વારા વકાલતની મંજૂરી સામે સુપ્રીમ નારાજ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું સજા બાદ પ્રેક્ટિસનું લાયસન્સ આપી શકાય? વકીલાતને ઉમદા વ્યવસાય ગણવામાં આવે છે નવી દિલ્હી2002 ગુજરાત રમખાણો સંબંધિત બિલકિસ બાનો કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સીલ પર કડક વલણ દાખવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પાના આશ્ચર્ય થયું જ્યારે સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના…

આઈઆઈટી મુંબઈને 160 કરોડ રૂપિયાનું ગુપ્ત દાન મળ્યું

આવું પ્રથમ વખત બન્યું છે કે આઈઆઈટીને બેનામી દાન મળ્યું છે મુંબઈઆઇઆઇટી બોમ્બેને 160 કરોડ રૂપિયાનું બેનામી દાન મળ્યું છે. આ ચેક એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી આવ્યો છે જે પોતાના વિશે સંપૂર્ણ ગુપ્તતા જાળવવા ઈચ્છે છે. પહેલીવાર કોઈએ આટલી મોટી રકમ ગોપનીય રીતે દાન કરી છે. આઈઆઈટીબીના ડાયરેક્ટર સુભાષીષ ચૌધરીએ તેની સરખામણી મંદિરો સાથે કરી…

મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે

મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા નવી દિલ્હીમણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે આજે મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે.સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મણિપુર હિંસાના 27 મામલાઓનો સામનો કરવા માટે ગુવાહાટીમાં એક અથવા…

ઈન્ડિયાના લોગોમાં તિરંગાના ત્રણ રંગ ઉપરાંત વાદળી રંગ જોવા મળશે

આ લોગો ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે નવી દિલ્હીવિપક્ષી ગઠબંધન આઈએનડીઆઈએની મુંબઈમાં ત્રીજી બેઠક યોજાશે. આ બેઠક પહેલા ગઠબંધનઆઈએનડીઆઈએએ તેનો લોગો તૈયાર કર્યો છે. આ લોગોમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો ઉપરાંત વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવશે.આ લોગો ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ રિલીઝ…

ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3ની લેટેસ્ટ તસવીરો મોકલી

ઈસરોએ માહિતી આપી કે ચંદ્રયાન-3 પર ચંદ્રયાન-2ની નજર છે, તે તેની જાસૂસી કરી રહ્યો હોય તેમ ટ્વિટમાં જણાવાયું હતું કે મારી નજર તમારા પર છે નવી દિલ્હીચંદ્રયાન-3ની સફળતાથી ભારત સહિત સમગ્ર વિશ્વ આનંદિત છે. ભારતે એ કરી બતાવ્યું છે જે આજ સુધી દુનિયામાં કોઈ બીજો દેશ કરી શક્યો નથી. ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ…

કેમ્પનો ફોટો શેર કરવા બદલ વિરાટ સહિતના ક્રિકેટર્સને કડક સુચના

વિરાટે યો-યો ટેસ્ટના સ્કોરનો ફોટો પણ શેર કર્યો જેનાથી બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ નારાજ થયુંબેંગલુરૂએશિયા કપની તૈયારી માટે ભારતીય ટીમનો કેમ્પ બેંગલુરુમાં ચાલી રહ્યો છે. વિરાટ કોહલી પણ આ કેમ્પનો એક ભાગ છે. ભારતીય બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેમ્પના પહેલા દિવસનો એક ફોટો શેર કર્યો હતો, જે બીસીસીઆઈને પસંદ ન આવતા તમામ ક્રિકેટરોને…

એક કંપની કે ગ્રૂપમાં વધારે હિસ્સો ધરાવતા એફપીઆઈ માટે એડિશનલ ડિસ્ક્લોઝર ફરજિયાત

આ ડિસ્ક્લોઝરમાં એફપીઆઈમાં એ તમામ સંસ્થાનો વિશે જણાવવું પડશે જ્યાં તેમની ભાગીદારી, ઈકોનોમિક હિત અને કન્ટ્રોલ રાઈટ્સ હશે નવી દિલ્હીશેરબજારમાં વધારે પારદર્શકતા લાવવા માટે બજાર નિયામક સેબી (સેબી)એ એક કંપની કે ગ્રૂપમાં વધારે હિસ્સો ધરાવતા એફપીઆઈ (એફપીઆઈ) માટે એડિશનલ ડિસ્ક્લોઝર આપવાનું ફરજિયાત કરી દીધું છે. આ ડિસ્ક્લોઝરમાં એફપીઆઈમાં એ તમામ સંસ્થાનો વિશે જણાવવું પડશે જ્યાં…

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, શાળાઓમાં એસેમ્બલીને મીનિંગફુલ બનાવાશે

આ અભ્યાસક્રમ ફ્રેમવર્ક લગભગ 36 વર્ષથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલી શકે છે નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બે દિવસ પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (એનઈપી)ની અનુરૂપ શાળા શિક્ષણ માટે એક નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (એનસીએફ-2023) શરૂ કર્યું છે. આ અભ્યાસક્રમ ફ્રેમવર્કની અસર માત્ર બોર્ડની પરીક્ષાઓ પર જ નહીં પરંતુ સમગ્ર શાળાના શિક્ષણ પર પડશે.કેન્દ્રીય…

વાયુસેના 100 નવા એલસીએ તેજસ, એમએઆરકે-1એ જેટ એરક્રાફ્ટ ખરીદશે

આવા 83 ફાઈટર જેટ માટે 48 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પહેલા જ સાઈન થઈ ચૂક્યો છે નવી દિલ્હીભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી માટે સ્વદેશી રીતે વિકસિત 100 વધુ એલસીએ તેજસ એમએઆરકે-1એ જેટ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાનું વિચારી રહી છે. આવા 83 ફાઈટર જેટ માટે 48 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પહેલા જ સાઈન થઈ…

એનસીપીમાં મતભેદ નથી, અજિત અમારા નેતાઃ શરદ પવાર

શરદ પવારના આ નિવેદનથી કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંઝવણમાં મૂકાઈ શકે છે નવી દિલ્હીરાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ મતભેદ નથી કે અજિત પવાર અમારા નેતા છે. એનસીપી પ્રમુખે પાર્ટીમાં વિભાજન થયાની વાતને નકારી કાઢી છે. જોકે હવે શરદ પવારના આ નિવેદનથી કોંગ્રેસ…

આરસી સેલ્ટા વિશે જાણવા લાયક પાંચ વસ્તુઓ

વિગો સ્થિત ક્લબનો જન્મ એક સદી પહેલા થયો હતો અને ટીમ વિશે કેટલીક હકીકતો છે જે તમને કદાચ ખબર નહીં હોય. સ્પેનિશ ફૂટબોલની સૌથી ઐતિહાસિક ક્લબમાંની એક RC સેલ્ટા છે, જે ગેલિસિયાના વિગો શહેરમાં સ્થિત ટીમ છે. 2023/24 સીઝનમાં, ગેલિશિયન ક્લબ તેની શતાબ્દીની ઉજવણી કરશે અને અહીં પાંચ બાબતો છે જે કદાચ તમે ટીમ વિશે…

પાંચ વર્ષમાં મેડિકલ ફૂગાવો વધીને 14 ટકાથી વધુ પર પહોંચ્યો

2018માં ચેપી રોગોની સારવાર માટે સરેરાશ મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમ 24,569 રૂપિયા હતો, જે 2022માં વધીને 64,135 રૂપિયા થઈ ગયો નવી દિલ્હીદિવસેને દિવસે રોજીંદી જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવે સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધાર્યો છે. તેના ઉપર, કોવિડ સમયગાળાથી, હોસ્પિટલમાં પણ સારવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર પાછળનો ખર્ચ…

નાઈજીરિયામાં કટ્ટરવાદીઓએ 42 મહિલાઓનું અપહરણ કર્યું

મહિલાઓ ગ્રામ્ય વિસ્તારમાં લાકડા ભેગા કરી રહી ત્યારે ક્ટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો, મહિલાને છોડવા માટે તેમણે 50000 નાયરાની માંગણી કરી બોર્નોઆફ્રિકન દેશ નાઈજીરિયામાં કટ્ટરવાદી સંગઠનો છાશવારે આતક મચાવતા રહે છે. હવે નાઈજીરિયાના બોર્નો નામના રાજ્યમાં કટ્ટરવાદીઓએ હુમલો કરીને 42 મહિલાઓનુ અપહરણ કરીને હાહાકાર મચાવી દીધો છે.સ્થાનિક લોકોએ મીડિયાને આ જાણકારી આપતા કહ્યુ હતુ કે, આ…

વિરાટ કોહલીએ 17.2ના સ્કોર સાથે યોયો ટેસ્ટ પાસ કરી

યોયો ટેસ્ટ બાદ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ફિટનેસથી બધાના દિલ જીતી લીધા છે. કોહલીએ ફિટનેસ ટેસ્ટમાં 17.2નો સ્કોર મેળવ્યો છે. તેણે પોતે ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે. યોયો ટેસ્ટ બાદ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક…