2024માં પૃથ્વી પર દુષ્કાળ અને પૂર વધવાની સંભાવના

વર્ષ 2024માં દુનિયાને નવો પોપ મળશે, રાજા ચાર્લ્સનું સ્થાન કોઈ એવી વ્યક્તિ લેશે જેની પાસે રાજા બનવાની કોઈ સત્તા જ નથી વોશિંગ્ટન2023 વીતી ગયું અને 2024 વિશ્વભરમાં ઉજવણી સાથે આવી ગયું. જ્યાં એક તરફ ગત વર્ષ કેટલાક દેશો માટે યુદ્ધનું વર્ષ હતું તો કેટલાક દેશો નવી સિદ્ધિઓની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. હવે આ વર્ષ…

ઈઝરાયેલ બંધકોની મુક્તિ માટે ડીલ કરવા તૈયાર, ગાઝાથી સૈનિકો પાછા બોલાવશે

ગુપ્તચર એજન્સી મોસાદના પ્રમુખ ડેવિડ બર્નિયાને બંધકોની મુક્તિ માટે ચર્ચા કરવા સરકારે લીલીઝંડી આપી દીધી જેરૂસલેમનવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઈઝરાયલી યુદ્ધ કેબિનેટની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવયું કે બંધકોની મુક્તિ માટે કતાર અને ઈજિપ્તના મધ્યસ્થીઓ સાથે ચર્ચાને આગળ વધારવા માટે આ પગલું ભરાયું છે. સાથે જ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા અપહરણ કરી…

એનઆઈએએ ક્રાઉડસોર્સિંગનો ઉપયોગ કરીને 43 શકમંદોની ઓળખ કરી

એનઆઈએએ 2023માં આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી કરતી વખતે દેશભરમાં 68 કેસ નોંધ્યા હતા નવી દિલ્હીનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ ગત વર્ષે અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય દૂતાવાસો પર કરાયેલા હુમલામાં સામેલ 43 શકમંદોની ઓળખ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીએ ક્રાઉડસોર્સિંગનો ઉપયોગ કરીને તમામ શકમંદોને શોધી કાઢ્યા હતા. આ મામલે એનઆઈએએ ગૃહ મંત્રાલયના…

ઓસ્ટ્રેલિયન બેટર ડેવિડ વોર્નરની વન-ડેમાંથી પણ નિવૃત્તી

સિડનીમાં 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ તેના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હશે મેલબોર્નઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટું એલાન કર્યું છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે વનડે ક્રિકેટમાંથી પણ સન્યાસ લઇ રહ્યો છે. જણાવી દઈએ…

મોહમ્મદ મુઈજ્જુ ભારતને પડતું મૂકીને પહેલાં ચીનની મુલાકાતે જશે

ભારત અને પછી ચીનની મુલાકાત લેવાની વર્ષો જૂની પરંપરાને અવગણે એવી શક્યતા માલેચીન સમર્થક ગણાતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ પહેલા ભારત અને પછી ચીનની મુલાકાત લેવાની વર્ષો જૂની પરંપરા તોડવાની તૈયારીમાં છે. એક અહેવાલોમાં દાવો કરાયો હતો કે તે ટૂંક સમયમાં જ ભારતને પડતું મૂકીને ચીનની મુલાકાતે જઈ શકે છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર…

..આપણે જેલમાં જવા તૈયાર રહેવું પડશેઃ કેજરીવાલ

આમ આદમી પાર્ટીઓ માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય રાજનીતિમાં ખૂબ જ પ્રભાવશાળી એન્ટ્રી કરી હોવાનો દાવો નવી દિલ્હીઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીના નેશનલ એક્ઝિક્યુટિવ અને 12મી નેશનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બંને બેઠકોમાં દેશભરના પાર્ટીના અધિકારીઓએ ભાગ લીધો હતો. જ્યારે પંજાબના સીએમ ભગવંત માન…

ઈન્ડોનેશિયમાં હિંદુ ગસ્તી નાગુર રાયની બોલબાલા

ગસ્તી નાગુર રાયના નામથી ટપાલ ટિકિટ, એરપોર્ટનું નામ પણ અપાયું છે જકાર્તાઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે, જ્યાં મુસલમાનોની વસતી 87 ટકા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીં એક હિંદુની બોલબાલા છે. સમગ્ર ઈન્ડોનેશિયામાં તેમના નામ પર ઘણી પ્રતિમાઓ બનાવાઈ છે. તેમના નામથી ટપાલ ટિકિટ જારી થઈ છે. આ સિવાય વિશ્વના વ્યસ્ત ગણાતા એરપોર્ટનું…

ઝારખંડમાં કાર ડિવાઈડર સાથે ટકરાતાં છ મિત્રોનાં મોત

આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી રાંચીઝારખંડના જમશેદપુરથી નવા વર્ષના પહેલા જ દિવસે માઠા સમાચાર સામે આવ્યા છે. એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 મિત્રોના એક સાથે મોત થયા છે. આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી.મળેલા અહેવાલો મુજબ…

યુએસ.-દ.કોરિયા ઉશ્કેરણી કરે તો તેમનો ખાત્મો બોલાવી દો

કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો પ્યોંગયાંગઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો તેમનો દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. અહેવાલ અનુસાર કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.ઉત્તર કોરિયામાં સત્તાધારી…

નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં દેશમાં અનેક સ્થળે ચક્કાજામ

ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ નવી દિલ્હીકેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ…

રામમંદિર સમારોહ માટે રામભક્તોને જ આમંત્રણ અપાયાઃ આચાર્ય

એ કહેવુ સંપૂર્ણપણે ખોટું છે કે ભાજપ ભગવાન રામના નામ પર લડી રહી છે નવી દિલ્હીઉદ્ધવ ઠાકરેના નિવેદન પર અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે સમારોહના આમંત્રણ માત્ર રામ ભક્તોને જ મોકલવામાં આવે છે. આ સિવાય તેમણે રાજ્યસભા સાંસદ સંજય રાઉત પર પણ નિશાન સાધ્યુ છે અને રામ…

છેલ્લા ચોવિસ કલાકમાં દેશમાં કોરોનાના 636 કેસ

સક્રિય દર્દીઓ વધીને હવે 4,394 થઇ ગયા, છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા નવી દિલ્હીદેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર આજે ફરી ભારતમાં 636 નવા કોરોનાના કેસ સામે આવતાં ચિંતા વધી ગઇ છે.ઉલ્લેખનીય છે કે ગત રોજ કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા પણ એક્ટિવ કેસમાં…

સેન્સેક્સમાં 32 અને નફ્ટીમાં 10 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

સેન્સેક્સ અને નિફ્ટીએ પોતાની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી, જોકે, ટ્રેડિંગની છેલ્લી 30 મિનિટમાં બજાર ઊંચા સ્તરોથી સરકી ગયું મુંબઈસોમવારે ભારતીય શેરબજારોમાં વર્ષ 2024નું પ્રથમ ટ્રેડિંગ સત્ર મિશ્ર રહ્યું હતું અને અંતે નિફ્ટી સપાટ સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ નજીવા વધારા સાથે બંધ થયો હતો.માર્કેટમાં છેલ્લો અડધો કલાક અસ્થિર રહ્યો હતો અને બીએસઈ…

શ્રીનગરના લાલચોકમાં નવા વર્ષને આવકારવા લોકો ઉમટી પડ્યા

શ્રીનગરના ક્લોક ટાવર ક્ષેત્રમાં આ ખાસ અવસર પર એક મ્યૂઝિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું જમ્મુસમગ્ર વિશ્વએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ભારતના દરેક રાજ્યોમાં લોકોએ ઠેક-ઠકાણે આ ખાસ દિવસની ઉજવણી કરી. પરંતુ સૌથી વધુ ચર્ચા જમ્મુ-કાશ્મીરની થઈ રહી છે. પહેલી વખત શ્રીનગરના લાલ ચોક પર નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકો રવિવારે મોડી રાતે…

ઈંદિરા ગાંધીએ મારી આંખનું ઓપરેશન કરાવવા ઓફર કરી હતીઃ રામભદ્રાચાર્ય

સંસાર હવે જોવા લાયક નથી રહ્યો જો કઈ જોવા લાયક છે તો તે નીલ-કમળ-શ્યામ-ભગવાન રામ જ છે, એમ કહીનેઓફર ફગાવી હતી અયોધ્યાઅયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે 1974માં કેવી રીતે ઈન્દિરા ગાંધીએ તેમને તેમની આંખોના ઓપરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો,…

જાપાનમાં ફસાયેલા ભારતીયો માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયા

જાપાનમાં લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા એલર્ટ, જાપાનમાં ફસાયેલા ભારતીયો મદદ માટે આ ઈમરજન્સી નંબરો અને ઈમેઈલ આઈડી પર સંપર્ક કરી શકાશે નવી દિલ્હી2024ની શરૂઆત સાથે જ જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જાપાનની ધરતી ફરી એક વખત ભીષણ ભૂકંપથી ધણધણી ઉઠી છે. 7.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં 15…

પ્રિયંકા ગાંધીએ નવા વર્ષની શુભકામના સાથે ગાઝામાં માર્યા ગયેલાઓનો ઉલ્લેખ કર્યો

આપણા બાળકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગાઝામાં  બાળકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી રહી છેઃ પ્રિયંકા નવી દિલ્હી 2023ના અંતિમ દિવસે દેશભરમાં લોકોએ જશ્ન મનાવીને નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું. આ અવસર પર એક બીજાને શુભકામના મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશવાસીઓને…

બકરીએ ગાયના વાછરડા જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો

આ ઘટના એવી છે કે જીવવિજ્ઞાન પર સંશોધન કરનારાઓ પણ આશ્ચર્યચકિત ઔરંગાબાદ બિહારના ઔરંગાબાદમાં એક એવી ઘટના બની કે સવારથી જ એક ઘરને જોવા લોકોની કતારો લાગી છે. આખરે આ ઘરમાં એવું તો શું બન્યું કે લોકો તેને જોવા કતારો લગાવી રહ્યા છે. ઔરંગાબાદના બરુણ બ્લોકના બિલાસપુર ગામમાં કુદરતનો એક વિચિત્ર કહી શકાય તેવો ચમત્કાર…

ઉત્તરાખંડમાં બહારના લોકો હવે જમીન નહીં ખરીદી શકે

બહારના લોકોને જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીથી મળતી કૃષિ અને બાગાયતની જમીન ખરીદવા માટે આપવામાં આવેલી છૂટ પર રોક લગાવાઈ દેહરાદૂન ઉત્તરાખંડમાં હવે રાજ્યની બહારના લોકો ખેતી અથવા બાગાયતના નામ પર જમીન નહીં ખરીદી શકશે. ઉત્તરાખંડમાં જમીન પર અતિક્રમણની વધતી ઘટનાઓ પર રોક લગાવવા માટે ધામી સરકારે રવિવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે લેન્ડ લો ડ્રાફ્ટિંગ કમિટીના…

દેશમાં સૌથી વધુ ઘૂળિયા શહેરોમાં અમદાવાદનો સમાવેશ

સંશોધકોએ માહિતી એકત્ર કરવા માટે દેશભરના 1,352 આરટીઓથી વાહન રજિસ્ટ્રેશન ડેટાનું એનાલિસિસ કર્યું નવી દિલ્હીદિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ કોઈનાથી છુપાયેલું નથી રહ્યું. પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા શહેરમાં સૌથી વધુ ધૂળ છે જેના કારણે લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? આ શહેર દિલ્હી નહીં પણ ગુજરાતનું અમદાવાદ શહેર છે. આઈઆઈટી દિલ્હી અને…